Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 9:31 - પવિત્ર બાઇબલ C.L.

31 શેકીને ચડાવવાના ધાન્ય અર્પણ માટે કોરાના ગોત્રનો શાલ્લૂમનો જયેષ્ઠ પુત્ર માત્તિથ્યા નામે લેવી જવાબદાર હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 શાલુમ કોરહીનો જ્યેષ્ઠ પુત્ર માત્તિથ્યા, જે એક લેવી હતો, તેને તવા પર શેકાયેલી ચીજો [સંભાળી રાખવાનું] કામ સોંપવામાં આવ્યું હતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 શાલ્લુમ કોરાહીનો જયેષ્ઠ દીકરો માત્તિથ્યા, જે એક લેવી હતો, તેને અર્પણો માટે રોટલીઓ તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

31 ભાખરી શેકવાની કાયમી જવાબદારી કોરાહના વંશના શાલ્લુમના મોટા પુત્ર લેવી માત્તિથ્યાની હતી. કારણકે તે વિશ્વાસપાત્ર હતો.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 9:31
10 Iomraidhean Croise  

છતાં તેના અતિ આગ્રહને વશ થઈને તેઓ તેની સાથે ગયા અને તેના ઘરમાં રહ્યા. લોતે તેમને માટે જમણની વ્યવસ્થા કરી. તેણે ખમીરરહિત રોટલી બનાવડાવી. પછી તેમણે ભોજન લીધું.


ઈશ્વરને સમર્પિત રોટલી, ધાન્ય- અર્પણમાં વપરાતો લોટ, ખમીરરહિત પોળીઓ, શેકેલાં અર્પણો અને ઓલિવ તેલથી મોહેલા લોટ અંગેની તથા મંદિરમાં અર્પવામાં આવતી બધી ચીજવસ્તુઓના તોલમાપની જવાબદારી તેમણે ઉપાડવાની હતી,


યરુશાલેમમાં રહેતા મંદિરના સંરક્ષકો આ પ્રમાણે હતા: શાલ્લૂમ, આક્કુબ, તાલ્મોન અને અહિમાન. શાલ્લૂમ તેમનો આગેવાન હતો.


કોરેનો પુત્ર અને અબિયાસાફનો પૌત્ર શાલૂમ કોરા ગોત્રના તેના જાતભાઈઓ સાથે પ્રભુના મુલાકાતમંડપના પ્રવેશદ્વારે ચોકીપહેરો ભરતા હતા. તેમના પૂર્વજો પણ પ્રભુની છાવણીમાં દરવાજો સાચવનાર હતા.


એકંદરે 212 માણસોને પ્રવેશદ્વારો અને દરવાજાના સંરક્ષક તરીકે પસંદ કર્યા હતા. તેમના વસવાટના ગામ પ્રમાણે તેમની નોંધણી કરવામાં આવી હતી. રાજા દાવિદ અને સંદેશવાહક શમુએલે તેમના પૂર્વજોને આ મહત્ત્વની જવાબદારી સોંપી હતી.


ચાર મુખ્ય સંરક્ષકો લેવીઓ હતા અને આખરી જવાબદારી તેમની હતી. તેઓ મંદિરના ઓરડાઓ અને તેમાં રાખેલા પૂરવઠા માટે જવાબદાર હતા.


“જો તમે તવા પર શેકેલી વસ્તુ ધાન્ય અર્પણ તરીકે ચડાવો તો તેમાં ખમીર નાખવું નહિ. લોટમાં ઓલિવ તેલ મિશ્ર કરી એ વાનગી બનાવવી.


“જો તમે કઢાઈમાં તળેલું ધાન્ય અર્પણ લાવો તો તે લોટમાં ઓલિવ તેલ મિશ્ર કરી બનાવવું.


“ધાન્યઅર્પણ અંગેના નિયમો આ પ્રમાણે છે: આરોનવંશી યજ્ઞકારે યજ્ઞવેદી સમક્ષ ધાન્યઅર્પણ પ્રભુને ચડાવવું.


તેણે તેમાં તેલ મિશ્ર કરવું અને પછી તવા ઉપર શેકીને તેના ટુકડા કરવા અને પછી તે ધાન્યઅર્પણ તરીકે ચડાવવો. તેની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan