Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 9:22 - પવિત્ર બાઇબલ C.L.

22 એકંદરે 212 માણસોને પ્રવેશદ્વારો અને દરવાજાના સંરક્ષક તરીકે પસંદ કર્યા હતા. તેમના વસવાટના ગામ પ્રમાણે તેમની નોંધણી કરવામાં આવી હતી. રાજા દાવિદ અને સંદેશવાહક શમુએલે તેમના પૂર્વજોને આ મહત્ત્વની જવાબદારી સોંપી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 એ સર્વને દરવાજાના દ્વારપાળ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા, તેઓ બસો બાર હતા. તેઓ પોતપોતાનાં ગામોમાં તેમની વંશાવળી પ્રમાણે ગણાયા હતા, તેઓને દાઉદે તથા શમુએલ દષ્ટાએ તેઓના મુકરર કરેલા કામ પર નીમ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 એ સર્વ જે દરવાજા ઉપર દ્વારપાળ તરીકે પસંદ કરાયેલા હતા તેઓ બસો બાર હતા. તેઓ પોતપોતાનાં ગામોમાં તેમની વંશાવળી પ્રમાણે ગણાયા હતા. તેઓને દાઉદે તથા શમુએલ પ્રબોધકે તેઓના મુકરર કરેલા કામ પર નીમ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 એ સર્વને દરવાજાના દ્વારપાળ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેઓ 212 જણા હતા. તેઓ પોતપોતાનાં ગામોમાં તેમની વંશાવળી મુજબ ગણાયા હતા તેઓને દાઉદે તથા પ્રબોધક શમુએલે ચોક્કસ નક્કી કરેલા કામ પર નીમ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 9:22
18 Iomraidhean Croise  

તેણે યજ્ઞકારો અને લેવીઓની ટુકડીઓની વ્યવસ્થા, પ્રભુના મંદિરમાંનું સર્વ સેવાકાર્ય તેમજ સેવામાં વપરાતાં સર્વ પાત્રો વિષે સૂચનાઓ આપી.


યજ્ઞકારો અને લેવીઓએ પ્રભુના મંદિરમાં વારા પ્રમાણે ફરજ બજાવવા ટુકડીઓની વ્યવસ્થા કરેલી છે. માટે પ્રવીણ કારીગરો તને મદદ કરવા તત્પર છે અને સર્વ લોકો અને તેમના આગેવાનો તને આધીન છે.


આરંભથી અંત સુધી દાવિદ રાજાનો ઇતિહાસ શમુએલ, નાથાન અને ગાદ એ ત્રણ સંદેશવાહકોના ગ્રંથોમાં નોંધેલો છે.


તેઓ અને તેમના વંશજો મંદિરના દરવાજાઓના સંરક્ષક તરીકે ચાલુ રહ્યા.


શેકીને ચડાવવાના ધાન્ય અર્પણ માટે કોરાના ગોત્રનો શાલ્લૂમનો જયેષ્ઠ પુત્ર માત્તિથ્યા નામે લેવી જવાબદાર હતો.


વિધિગત રીતે અશુદ્ધ હોય એવો કોઈ મંદિરમાં પ્રવેશે નહિ તે માટે તેણે મંદિરના દરવાજાઓ આગળ સંરક્ષકો મૂક્યા.


યજ્ઞકારોની વસાહતનાં નગરોમાં કોરેને તેના એ કાર્યમાં મદદ કરનાર લેવીઓમાં એદેન, મિન્યામીન, યેશૂઆ, શમાયા, અમાર્યા અને શકન્યા હતા. તેઓ નાના કે મોટા સર્વ સાથી લેવીઓને તેમની સેવાના જૂથ પ્રમાણે ખોરાક વહેંચી આપતા.


તેઓ સૌની તેમનાં પત્ની, બાળકો અને અન્ય આશ્રિતો સહિત નોંધણી કરવામાં આવી હતી, કારણ, તેમને ગમે તે સમયે પવિત્ર સેવાકાર્ય બજાવવા તૈયાર રહેવું પડતું.


લેવીઓનાં કેટલાંક જૂથ જે અગાઉ યહૂદિયામાં રહેતાં હતાં તેમને માટે બિન્યામીનના કુળપ્રદેશમાં રહેવાની વ્યવસ્થા થઈ.


તે સમયે જ્યાં દશાંશો, પ્રથમ લણેલું અનાજ, પ્રતિ વર્ષના પ્રથમ પાકનાં ફળ સહિત મંદિરનો ફાળો રાખવામાં આવતો હતો તે ભંડારો પર માણસો નીમવામાં આવ્યા. આ માણસો પાસે નિયમશાસ્ત્રમાં ઠરાવ્યા પ્રમાણે યજ્ઞકારો અને લેવીઓ માટે જુદાં જુદાં નગરો પાસેનાં ખેતરોમાંથી ફાળો ઉઘરાવવાની જવાબદારી હતી. યહૂદિયાના સઘળા લોકો યજ્ઞકારો અને લેવીઓ પર ખુશ હતા;


શાઉલે જવાબ આપ્યો, “વિચાર ઘણો સારો છે; ચાલ, જઈએ.” તેથી તેઓ ઈશ્વરભક્તના નગરમાં ગયા. તેઓ નગરમાં જવા પર્વત ચઢતા હતા ત્યારે પાણી ભરવા આવતી કેટલીક યુવતીઓ તેમને મળી. તેમણે તેમને પૂછયું, “દૃષ્ટા નગરમાં છે?” (ભૂતકાળમાં જ્યારે કોઈને ઈશ્વરની દોરવણી મેળવવી હોય ત્યારે તે કહેતા, ‘ચાલો, દૃષ્ટા પાસે જઈએ.’ કારણ, તે સમયે સંદેશવાહકને દૃષ્ટા કહેતા હતા.)


Lean sinn:

Sanasan


Sanasan