Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 7:29 - પવિત્ર બાઇબલ C.L.

29 બેથ-શાન, તાનાખ, મગિદ્દો અને દોર તથા તેમની આસપાસનાં નગરો પર મનાશ્શાના વંશજોનું નિયંત્રણ હતું. ઇઝરાયલના પુત્ર યોસેફના વંશજો એ બધાં સ્થળોમાં વસ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 વળી મનાશ્શાના વંશજોની સીમા પાસે બેથ-શાન તથા તેના કસબાઓ, તાનાખ તથા તેના કસબાઓ, દોર તથા તેના કસબાઓ હતા.તેઓમાં ઇઝરાયલના પુત્ર યૂસફના વંશજો રહેતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 મનાશ્શાની સીમા પાસે બેથ-શેઆન તથા તેનાં ગામો, તાનાખ તથા તેનાં ગામો, મગિદ્દો તથા તેનાં ગામો, દોર તથા તેનાં ગામો હતા. આ બધાં નગરોમાં ઇઝરાયલના દીકરા યૂસફના વંશજો રહેતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 અને તેનો પુત્ર રેફાહ હતો અને બેથશઆન તથા તેના કસબાઓ, તાઅનાખ તથા તેના કસબાઓ ત્યાં હતા. મગિદૃો તથા તેના કસબાઓ, દોર તથા તેના કસબાઓ મનાશ્શાના વંશજોના હતા. આ બધી જગ્યાઓ પર ઇસ્રાએલના પુત્ર યૂસફના વંશજો રહેતાં હતા.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 7:29
12 Iomraidhean Croise  

અહિલૂદનો પુત્ર બાના: તાનાખ તથા મગિદ્દો નગરો, યિઝ્રએલની દક્ષિણે સારેથાન નગર નજીક બેથશાન પાસેના સમગ્ર પ્રદેશથી છેક આબેદ મહોલા અને યોકમીમ નગર સુધી.


શલોમોન રાજાએ પ્રભુનું મંદિર અને રાજમહેલ બાંધવા, યરુશાલેમની પૂર્વગમની જમીનમાં પુરાણ કરવા અને નગરનો કોટ બાંધવા વેઠિયાઓનો ઉપયોગ કર્યો. તેણે તેમનો ઉપયોગ હાસોર, મગિદ્દો અને ગેઝેર નગરો બાંધવામાં પણ કર્યો.


યોશિયા રાજા હતો ત્યારે આશ્શૂરના રાજાને મદદ કરવા માટે ઇજિપ્તનો રાજા નેખો મોટું સૈન્ય લઈને યુફ્રેટિસ નદી પર ગયો. યોશિયા રાજાએ ઇજિપ્તના સૈન્યનો મગિદ્દો આગળ સામનો કર્યો. પણ તે લડાઈમાં માર્યો ગયો.


જે બન્યું તે જોઈને અહાઝયા રાજા બેથ-હાગ્ગાન નગર તરફ પોતાના રથમાં નાસી છૂટયો. યેહૂએ તેનો પણ પીછો કર્યો. યેહૂએ પોતાના માણસોને હુકમ કર્યો, “એને પણ મારી નાખો.” તેથી તેના માણસોએ યિબ્લામ નગર નજીક ગૂરના રસ્તે અહાઝયા રથ હાંકી રહ્યો હતો ત્યારે જ તેને ઘાયલ કર્યો. છતાં ગમે તેમ કરીને તે મગિદ્દો નગર સુધી પહોંચ્યો અને ત્યાં મરણ પામ્યો.


પણ યોશિયા લડાઈ લડી લેવા મક્કમ હતો. ઈશ્વર નખો રાજા દ્વારા જે કહેતા હતા તે સાંભળવાનો તેણે નકાર કર્યો અને તે છુપાવેશે મગિદ્દોના મેદાનમાં લડવા ગયો.


તે સમયે મગિદ્દોના મેદાનમાં હદાદરિમ્મોન માટે થયેલા વિલાપ જેવો વિલાપ યરુશાલેમમાં થશે.


પછી પેલા આત્માઓએ જેને હાર-માગેદોન કહેવાય છે તે સ્થળે રાજાઓને એકઠા કર્યા.


મગિદ્દોના ઝરણા પાસે તાઅનાખ આગળ રાજાઓ આવ્યા અને લડયા. કનાનના રાજાઓ લડયા. પણ તેઓ કંઈ રૂપું લૂંટી ગયા નહિ.


પછી તેમણે તેમનું બખ્તર લઈને આશ્તારોથ દેવીના મંદિરમાં મૂકાયું અને તેમનાં શબ બેથશાન શહેરના કોટ પર જડી દીધાં.


Lean sinn:

Sanasan


Sanasan