Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 4:41 - પવિત્ર બાઇબલ C.L.

41 હિઝકિયા રાજાના સમયમાં ઉપર જણાવેલ લોકો ગેરાર ગયા અને ત્યાં વસતા લોકોના તંબૂ અને ઝૂંપડાં તોડી પાડયાં. તેમણે ત્યાંના રહેવાસીઓને હાંકી કાઢયા અને પોતે ત્યાં કાયમી વસવાટ કર્યો; કારણ, ત્યાં તેમનાં ઘેટાંને માટે પુષ્કળ ઘાસચારો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

41 આ નામવાર ગણાવેલા પુરુષો યહૂદિયાના રાજા હિઝકિયાના સમયમાં આવ્યા, ને ત્યાંના રહેવાસીઓના તંબુઓનો નાશ કર્યો. તથા જે મેઉનીમ ત્યાં મળી આવ્યા તેઓનો જળમૂળથી નાશ કર્યો, ને તેઓની જગાએ પોતે રહ્યા, કેમ કે તેઓનાં ટોળાંને માટે ત્યાં ચારો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

41 આ નામવાર જણાવેલા આગેવાનો, યહૂદિયાના રાજા હિઝકિયાના સમયમાં તે પ્રદેશ પર ચઢાઈ કરીને અગાઉ હામના વંશજોનો વસવાટ હતો ત્યાં આવ્યા. મેઉનીમ ત્યાં જ મળી આવ્યા હતા. તેઓએ તેનો સંપૂર્ણપણે નાશ કર્યો અને ત્યાં રહ્યા કારણ કે તેઓને પોતાના જાનવરો માટે ત્યાં પુષ્કળ પ્રમાણમાં ઘાસચારો મળ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

41 યહૂદિયાના રાજા હિઝિક્યાના સમયમાં આ આગેવાનોએ તે પ્રદેશ પર ચઢાઈ કરી, હામના વંશજોના તંબુઓ અને મકાનોનો નાશ કર્યો, અને તેના વતનીઓને મારી નાખી તેનો કબજો મેળવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 4:41
13 Iomraidhean Croise  

અને એ નગરોની આસપાસનાં ગામડાંઓમાં છેક બાઆલનગર સુધી વસ્યા હતા. તેમણે તેમનાં કુટુંબો અને વસવાટનાં સ્થળોની રાખેલી આ નોંધ છે.


યુદ્ધમાં તેમણે ઘણા શત્રુઓનો સંહાર કર્યો, કારણ, એ ઈશ્વરની ઇચ્છા પ્રમાણેનું યુદ્ધ હતું. તેઓ દેશનિકાલના સમય સુધી એ વિસ્તારમાં રહ્યા.


તેમણે કેટલાક ઘેટાંપાળકોની છાવણીઓ પર હુમલો કરી મોટી સંખ્યામાં ઘેટાં અને ઊંટો લઈ લીધાં. પછી તેઓ યરુશાલેમ પાછા ફર્યા.


કેટલાક સમય બાદ મોઆબ અને આમ્મોનનાં સૈન્યો મેઉનીઓનો સાથ લઈને યહોશાફાટ સામે લડવા આવ્યા.


ઈશ્વરે તેને પલિસ્તીઓ, ગુરબઆલમાં રહેતા આરબો અને મેઉનીઓને હરાવવામાં મદદ કરી.


તેથી અદોમના લોકો વિરુદ્ધની મારી યોજના વિષે સાંભળો, અને તેમાન નગરના રહેવાસીઓ વિરુદ્ધના મારા ઇરાદાઓ સાંભળો: હું સોગંદપૂર્વક કહું છું કે નાનાં નાનાં બાળકોને પણ શત્રુઓ ઘસડી જશે અને તેમની દશા જોઈને બીજા ચોંકી ઊઠશે.


એક માણસમાંથી તેમણે બધી પ્રજાઓ પેદા કરી, અને તેમને આખી પૃથ્વી પર વસાવી. તેમના વસવાટ અંગેના ચોક્કસ સમયો અને સ્થળો તેમણે પોતે અગાઉથી નક્કી કર્યાં હતાં.


સિદોનીઓ, અમાલેકીઓ અને માઓનીઓએ જુલમ કર્યો હતો, અને ત્યારે તમે મને પોકાર કર્યો હતો, ત્યારે શું મેં તમને બચાવ્યા નહોતા?


Lean sinn:

Sanasan


Sanasan