Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 3:14 - પવિત્ર બાઇબલ C.L.

14-15 યોશિયાને ચાર પુત્રો હતા: યોહાનાન, યહોયાકીમ, સિદકિયા, અને યોહાઝ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 તેનો પુત્ર આમોન, તેનો પુત્ર યોશિયા હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 મનાશ્શાનો દીકરો આમોન અને આમોનનો દીકરો યોશિયા હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 તેનો પુત્ર આમોન, તેનો પુત્ર યોશિયા હતો.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 3:14
17 Iomraidhean Croise  

મનાશ્શા મરણ પામ્યો અને તેને રાજમહેલની વાટિકામાં, એટલે ઉઝઝાની વાટિકામાં દફનાવવામાં આવ્યો, અને તેના પછી તેની જગ્યાએ તેનો પુત્ર આમોન રાજા બન્યો.


આમોન યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે બાવીસ વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં રહીને બે વર્ષ રાજ્ય કર્યું. તેની માતાનું નામ મશુલ્લેમેથ હતું. તે યોટબા નગરના હારુસની પુત્રી હતી.


આમોનને ઉઝ્ઝાની વાટિકામાં આવેલી કબરમાં દફનાવવામાં આવ્યો અને તેના પછી તેની જગ્યાએ તેનો પુત્ર યોશિયા રાજા બન્યો.


તેના અમલદારો તેના શબને રથમાં મૂકીને યરુશાલેમ લઈ ગયા અને ત્યાં તેને પોતાની કબરમાં દફનાવવામાં આવ્યો. યહૂદિયાના લોકોએ યોશિયાના પુત્ર યહોઆઝનો તેની જગ્યાએ રાજ્યાભિષેક કર્યો.


ઇજિપ્તના રાજા નેખોએ યોશિયાના પુત્ર એલિયાકીમને યોશિયાના અનુગામી તરીકે યહૂદિયાનો રાજા બનાવ્યો, અને તેનું નામ બદલીને યહોયાકીમ રાખ્યું. યહોઆઝને તો ઇજિપ્ત લઈ જવામાં આવ્યો અને યહોઆઝ ત્યાં મૃત્યુ પામ્યો.


યોશિયા યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે આઠ વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં એકત્રીસ વર્ષ રાજ કર્યું.


યહૂદિયાના લોકોએ યોશિયાના પુત્ર યહોઆહાઝને પસંદ કરીને યરુશાલેમમાં રાજા તરીકે તેનો અભિષેક કર્યો.


સિદકિયા યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે એકવીસ વર્ષની ઉંમરનો હતો, અને તેણે યરુશાલેમમાં અગિયાર વર્ષ રાજ કર્યું:


યહોયાકીમ યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે પચીસ વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં અગિયાર વર્ષ રાજ કર્યું. તેણે પોતાના ઈશ્વર પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું.


કારણ, પોતાના પિતા યોશિયા પછી રાજા બનનાર યહૂદિયાના રાજા શાલ્લૂમ વિષે પ્રભુ આ પ્રમાણે કહે છે. “તે અહીંથી સદાને માટે ગયો છે અને ત્યાંથી કદી પાછો આવશે નહિ.


તેથી યોશિયાના પુત્ર યહૂદિયાના રાજા યહોયાકીમ વિષે પ્રભુ કહે છે કે એ માણસની કેવી દુર્દશા થશે! કોઈ તેના મૃત્યુ માટે શોક કરશે નહિ. જેમ સ્નેહીજનો માટે ‘ઓ મારા ભાઈ’ ‘ઓ મારી બહેન’ એમ કહીને વિલાપ કરે છે તેમ તેને માટે કોઈ ‘ઓ મારા સ્વામી’, ‘ઓ મારા રાજા’ એવું કહી રડશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan