Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 28:11 - પવિત્ર બાઇબલ C.L.

11 પછી દાવિદે શલોમોનને મંદિરનો, એટલે તેની પરસાળનો, તેનાં મકાનોનો, તેના ભંડારોનો, તેના ઉપલા માળનો, તેની અંદરની ઓરડીઓનો અને દયાસન રાખવાના પરમપવિત્રસ્થાનનો નકશો આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 પછી દાઉદે પોતાના પુત્ર સુલેમાનને [મંદિરની] ઓસરીનો, તેના ઓરડાઓનો, તેના ભંડારોનો, તેના માળ પરની ઓરડીઓનો, તેના અંદરના ઓરડાઓનો તથા દયાસનની જગાનો નકશો [આપ્યો.]

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 પછી દાઉદે પોતાના પુત્ર સુલેમાનને સભાસ્થાનનો, તેના આંગણાનો, તેના ઓરડાઓનો ભંડારોનો, તેના માળ પરના અને અંદરના ખંડોનો અને દયાસનની જગાની રૂપરેખાનો નકશો પણ આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 પછી દાઉદે સુલેમાનને મંદિર, તેનું પ્રાંગણ અને તેની આસપાસના મકાનોનો નકશો આપ્યો. તેણે તેને ભંડારના, માળ ઉપરની ઓરડીઓ, અંદરની ઓરડીઓ અને દયાસન માટે ઓરડીનો નકશો પણ આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 28:11
28 Iomraidhean Croise  

ત્રિમાળી ઓરડીઓનો પ્રત્યેક માળ 22 મીટર ઊંચો હતો. મંદિરની ત્રણ બાજુએ બાંધેલી આ ઓરડીઓ ગંધતરુના ભારટિયાથી મંદિરની દીવાલ સાથે ટેકવેલી હતી.


મંદિરની પરસાળ સાડાચાર મીટર લાંબી અને પવિત્રસ્થાનની પહોળાઈ જેટલી એટલે કે નવ મીટર પહોળી હતી.


વળી, તેણે પોતાના મનમાં હતું તે પ્રમાણે પ્રભુના મંદિરના ચોક, તેની ચારે બાજુના ખંડો અને મંદિરની સાધનસામગ્રી અને પ્રભુને અર્પિત ભેટોના ભંડારો વિષે બધું જણાવ્યું.


દાવિદ રાજાએ કહ્યું, “પ્રભુએ પોતે આપેલી સૂચનાઓ પ્રમાણે લખવામાં આવેલ લેખમાં એ બધું જણાવેલ છે.”


પછી યજ્ઞકારો પ્રભુની કરારપેટી ઊંચકીને મંદિરમાં લઈ ગયા અને તેને કરુબોની પાંખો નીચે પરમ પવિત્રસ્થાનમાં મૂકી.


તેણે ટોબિયાને ભંડારનો એક મોટો ઓરડો વાપરવા માટે આપ્યો. એ ઓરડો તો ધાન્ય-અર્પણો, લોબાન, મંદિરનાં પાત્રો, યજ્ઞકારો માટેનાં અર્પણો, લેવીઓને આપવામાં આવેલ અનાજ, દ્રાક્ષાસવ અને ઓલિવ તેલના દશાંશો અને મંદિરના સંગીતકારો અને સંરક્ષકોને અપાયેલાં દાન રાખવા માટે હતો.


મેં તને પર્વત પર જે નમૂનો બતાવ્યો હતો તે પ્રમાણે જ એ બધું બનાવવામાં આવે તેની કાળજી રાખવી.


હું તને જે નમૂનો દેખાડું તે જ પ્રમાણે તારે મંડપ તથા તેની સર્વ સાધનસામગ્રી બનાવવી.


મેં તને પર્વત પર જે નમૂનો બતાવ્યો તે જ પ્રમાણે મંડપ ઊભો કરવાનો છે.


“તું રેખાબી ગોત્રના લોકો પાસે જઈને તેમને પ્રભુના મંદિરના એક ઓરડામાં બોલાવી લાવ અને તેમને દ્રાક્ષાસવ પીવા આપ”


બાહ્ય દરવાજાથી તે છેડે આવેલા ખંડની બહારની બાજુ સુધીની લંબાઈ પચીસ મીટર હતી.


ઈસુએ સામે જોયું તો મંદિરની દાનપેટીમાં શ્રીમંત માણસો પોતાનાં દાન નાખતા હતા.


યજ્ઞકાર તરીકે તેઓ જે કાર્ય કરે છે, તે તો માત્ર સ્વર્ગીય મંડપનો નમૂનો અને પ્રતિછાયા છે. મોશેના સંબંધમાં પણ એવું જ હતું. જ્યારે તે મંડપ બનાવવાની શરૂઆત કરવાનો હતો ત્યારે ઈશ્વરે તેને કહ્યું, “પર્વત પર તને જે નમૂનો બતાવવામાં આવ્યો તે જ પ્રમાણે બધું કરવાની ચોક્સાઈ રાખજે.”


Lean sinn:

Sanasan


Sanasan