Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 24:3 - પવિત્ર બાઇબલ C.L.

3 દાવિદ રાજાએ આરોનના વંશજોને તેમની સેવાની ફરજ પ્રમાણેનાં જૂથમાં વહેંચી નાખ્યા. એલાઝારના વંશજ સાદોક અને ઇથામારના વંશજ અહિમેલેખે તેને એ કામમાં મદદ કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 દાઉદે તથા એલાઝારના પુત્રોમાંના સાદોકે તથા ઇથામારના પુત્રોમાંના અહીમેલેખે સેવાના કામની ગોઠવણ કરવાને તેઓના આ પ્રમાણે વર્ગ પાડ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 સાદોક, એલાઝારના વંશજોમાંનો એક અને અહીમેલેખે, ઈથામારના વંશજોમાંનો એકની સાથે મળી, દાઉદે, યાજકો તરીકેના કામ માટે તેઓને વિવિધ જૂથોમાં ગોઠવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 દાઉદે એલઆઝારના વંશજ સાદોક અને ઇથામારના વંશજ અહીમેલેખેની મદદથી હારુનના કુલસમૂહોને તેમની ફરજ પ્રમાણે જૂથોમાં વહેંચી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 24:3
15 Iomraidhean Croise  

શેવા સચિવ હતો.


અહિટૂબનો પુત્ર સાદોક અને અબ્યાથારનો પુત્ર અહિમેલેખ યજ્ઞકારો હતા. સરાયા ન્યાય કચેરીનો સચિવ હતો.


રાજાએ યોઆબની જગ્યાએ યહોયાદાના પુત્ર બનાયાને સેનાપતિ બનાવ્યો અને અબ્યાથારની જગ્યાએ સાદોકને યજ્ઞકારપદે નીમ્યો.


દાવિદે સાદોક અને અબ્યાથાર યજ્ઞકારોને તેમજ ઉરિયેલ, અસાયા, યોએલ શમાયા, એલિયેલ અને આમ્મીનાદાબ એ છ લેવીઓને બોલાવ્યા.


પણ સાદોક યજ્ઞકાર અને તેના સાથી યજ્ઞકારો ગિબ્યોનમાં ભજનના ઉચ્ચસ્થાનની સેવા માટે નીમાયા હતા.


અહિટૂબનો પુત્ર સાદોક અને અબ્યાથારનો પુત્ર અહિમેલેખ યજ્ઞકારો હતા; શાવ્શા મંત્રી હતો.


તેમના ભાઈઓ આરોનના વંશજોની જેમ તેમણે પણ ચિઠ્ઠીઓ નાખી. દાવિદ રાજા, સાદોક, અહિમેલેખ તથા યજ્ઞકાર અને લેવીના કુટુંબોના વડાઓ તેના સાક્ષી હતા. એમાં નાનાં કે મોટાં કુટુંબોનો ભેદ રાખવામાં આવ્યો ન હતો.


એલાઝારના વંશજોના સોળ જૂથ, જ્યારે ઇથામારના જૂથમાં આઠ જૂથ પાડવામાં આવ્યાં; એનું કારણ એ હતું કે એલાઝારના વંશજોમાં કુટુંબના વડાપુરુષોની સંખ્યા વધારે હતી.


પછી લેવીઓના નોંધણીકાર નથનાએલના પુત્ર શમાયાએ તેમનાં નામની નોંધણી કરી. રાજા, તેના અમલદારો, સાદોક યજ્ઞકાર, અબ્યાથારનો પુત્ર અહિમેલેખ અને યજ્ઞકારના તેમજ લેવીના કુટુંબના વડાપુરુષો એ સૌ તેના સાક્ષી હતા.


પોતાના પિતા દાવિદે નક્કી કરેલા નિયમો પ્રમાણે તેણે યજ્ઞકારોની તથા સ્તોત્ર ગાવાનાં અને ન્યાય કામોમાં મદદ કરવા લેવીઓની દૈનિક કામગીરીની વ્યવસ્થા ગોઠવી. ઈશ્વરભક્ત દાવિદની આજ્ઞા પ્રમાણે પ્રત્યેક દરવાજા પર રોજની ફરજ બજાવવા માટે તેણે મંદિરના રક્ષકોની ટુકડીઓની વ્યવસ્થા કરી.


દાવિદ અહિમેલેખ યજ્ઞકાર પાસે નોબમાં ગયો. અહિમેલેખ તેને ધ્રૂજતો ધ્રૂજતો મળવા આવ્યો અને પૂછયું, “તું એકલો જ અહીં કેમ આવ્યો છે? તારી સાથે કોઈ કેમ નથી?”


Lean sinn:

Sanasan


Sanasan