Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 24:1 - પવિત્ર બાઇબલ C.L.

1 આરોનના વંશજોનાં પણ આ પ્રમાણે જૂથ પાડવામાં આવ્યાં. આરોનને ચાર પુત્રો હતા: નાદાબ, અબીહૂ, એલાઝાર અને ઇથામાર.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હારુનના પુત્રોના આ પ્રમાણે વર્ગ પાડ્યા હતા. હારુનના પુત્રો:નાદાબ, અબીહૂ, એલાઝાર તથા ઇથામાર.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હારુનના પુત્રો; નાદાબ, અબીહૂ, એલાઝાર તથા ઈથામાર.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 હારુનનાં વંશજોને પણ જૂથોમાં વહેંચી નાખવામાં આવ્યા હતા. હારુનને પુત્રો હતા: નાદાબ, અબીહૂ, એલઆઝાર અને ઇથામાર.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 24:1
16 Iomraidhean Croise  

દાવિદે લેવીઓના તેમના કુટુંબ પ્રમાણે ત્રણ વર્ગ પાડયા: ગેર્શોન, કહાથ અને મરારી.


તેણે યજ્ઞકારો અને લેવીઓની ટુકડીઓની વ્યવસ્થા, પ્રભુના મંદિરમાંનું સર્વ સેવાકાર્ય તેમજ સેવામાં વપરાતાં સર્વ પાત્રો વિષે સૂચનાઓ આપી.


આમ્રામને બે પુત્રો હતા: આરોન, મોશે; વળી, મિર્યામ નામે એક પુત્રી હતી. આરોનને ચાર પુત્રો હતા: નાદાબ, અબીહૂ, એલાઝાર અને ઇથામાર.


સૂફ, એલ્કાના, માહાથ, આમાસાય.


લેવીઓ ને યહૂદિયાના લોકોએ યહોયાદાની સૂચનાઓનું પાલન કર્યું. ફરજ પરથી બદલતા માણસોને જવા દેવામાં આવતા નહિ. તેથી સાબ્બાથદિને ફરજ પર ચઢતા કે ઊતરતા બધા માણસો લશ્કરી અધિકારીઓ પાસે ઉપલબ્ધ રહેતા.


હિઝકિયા રાજાએ યજ્ઞકારો અને લેવીઓનાં વિવિધ સેવા પ્રમાણે જૂથ પાડયાં અને સૌને ફરજ વહેંચી આપી. આ ફરજોમાં દહનબલિ અને સંગતબલિ ચડાવવાં, પ્રભુના મંદિરની આરાધનામાં ભાગ લેવો અને મંદિરના જુદા જુદા ભાગમાં આભારસ્તુતિ કરવી વગેરેનો સમાવેશ થતો હતો.


પોતે કયા વારામાં કે જૂથના છે એનો ભેદ રાખ્યા વિના હાજર રહેલા સર્વ યજ્ઞકારોએ પોતાને સમર્પિત કર્યા. આસાફ, હેમાન અને યદુથૂન તથા તેના ગોત્રના સર્વ લેવીઓએ અળસીરેસાનાં વસ્ત્ર પહેર્યાં હતાં. લેવીઓ ઝાંઝ અને વીણા સાથે વેદીની પૂર્વગમ ઊભા હતા અને તેમની સાથે એક્સો વીસ યજ્ઞકારો રણશિંગડાં વગાડતા હતા. રણશિંગડાં વગાડનારાઓએ અને ગાયકોએ એક સાથે તાલબદ્ધ રીતે પ્રભુની આભારસ્તુતિ કરવાની હતી. તેથી રણશિંગડાં વગાડતાંની સાથે જ તેમણે ઊંચે સાદે ગીત ગાયું: “પ્રભુની સ્તુતિ હો, કેમ કે તે ભલા છે અને તેમનો પ્રેમ સનાતન છે.” ત્યારે પ્રભુનું મંદિર એકાએક વાદળથી ભરાઈ ગયું. પ્રભુનું ગૌરવ મંદિરમાં વ્યાપી ગયું હોઈ યજ્ઞકારો ત્યાં આરાધના કરવા ઊભા રહી શક્યા નહિ.


પોતાના પિતા દાવિદે નક્કી કરેલા નિયમો પ્રમાણે તેણે યજ્ઞકારોની તથા સ્તોત્ર ગાવાનાં અને ન્યાય કામોમાં મદદ કરવા લેવીઓની દૈનિક કામગીરીની વ્યવસ્થા ગોઠવી. ઈશ્વરભક્ત દાવિદની આજ્ઞા પ્રમાણે પ્રત્યેક દરવાજા પર રોજની ફરજ બજાવવા માટે તેણે મંદિરના રક્ષકોની ટુકડીઓની વ્યવસ્થા કરી.


મોશેના પુસ્તકમાં લખેલી સૂચનાઓ પ્રમાણે તેમણે યરુશાલેમના મંદિરમાં વારા પ્રમાણે સેવા કરવા માટે યજ્ઞકારો અને લેવીઓની નિમણૂક કરી.


બુક્કી અબિશુઆનો પુત્ર, અબિશુઆ ફિનહાસનો પુત્ર, ફિનહાસ એલાઝારનો પુત્ર અને એલાઝાર આરોનનો પુત્ર.


“તારા ભાઈ આરોન અને તેના પુત્રો નાદાબ, અબીહૂ, એલાઝાર તથા ઈથામારને તારી પાસે બોલાવ. તેમને યજ્ઞકાર તરીકે મારી સેવા બજાવવા ઇઝરાયલીઓમાંથી અલગ કર.


આરોને આમ્મીનાદાબની પુત્રી એટલે નાહશોનની બહેન એલીશેબા સાથે લગ્ન કર્યાં. એલીશેબાએ નાદાબ, અબીહૂ, એલાઝાર અને ઇથામારને જન્મ આપ્યો.


આરોનના પુત્રો આ છે: નાદાબ, અબીહૂ, એલાઝાર અને ઈથામાર.


આરોનને ચાર પુત્રો હતા. જયેષ્ઠ નાદાબ, પછી અબીહૂ, એલાઝાર અને ઇથામાર.


પરંતુ નાદાબ અને અબીહૂ સિનાઈના રણપ્રદેશમાં પ્રભુની સમક્ષ અપવિત્ર અગ્નિ ચઢાવતાં માર્યા ગયા હતા. તેમને કોઈ સંતાન નહોતું. તેથી આરોનના જીવતાં સુધી એલાઝાર અને ઇથામારે યજ્ઞકાર તરીકેની સેવા બજાવી હતી.


Lean sinn:

Sanasan


Sanasan