Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 23:5 - પવિત્ર બાઇબલ C.L.

5 ચાર હજારને સંરક્ષણની ફરજ બજાવવા, અને ચાર હજારને રાજાએ પૂરાં પાડેલાં સંગીતના વાજિંત્રો વડે પ્રભુની સ્તુતિ કરવા નીમ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 ચાર હજાર દ્વારપાળો હતા.ચાર હજાર દાઉદે બનાવેલાં વાજિંત્રો વડે યહોવાની સ્તુતિ કરતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 ચાર હજારને દ્વારપાળો તરીકે નીમ્યા. દાઉદે પોતે બનાવેલા વાજિંત્રો સાથે ઈશ્વરની સ્તુતિ કરવા માટે, ચાર હજાર ગાયકોને નિમણૂક આપી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 ચાર હજારને દ્વારપાળો તરીકે નીમવામાં આવ્યા અને 4,000ને દાઉદે બનાવેલા વાજિંત્રો સાથે યહોવાની સ્તુતિ ગાવા માટે નિયુકત કરવામાં આવ્યા.”

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 23:5
23 Iomraidhean Croise  

શલોમોને તે લાકડાનો ઉપયોગ પ્રભુના મંદિરમાં અને રાજમહેલમાં કઠેરા બાંધવામાં તેમ જ સંગીતકારો માટે વીણા અને સિતાર બનાવવામાં કર્યો. ઇઝરાયલમાં આયાત થયેલું એ સર્વશ્રેષ્ઠ સુખડ હતું; એના જેવું ફરી ક્યારે જોવા મળ્યું નથી.)


તેથી તેઓ અરામીઓની છાવણીમાંથી સમરૂન પાછા ગયા અને દરવાનોને બૂમ પાડી બોલાવ્યા: “અમે અરામીઓની છાવણીમાં ગયા હતા તો ત્યાં કોઈ નહોતું; ઘોડા અને ગધેડાં બાંધેલાં છે અને અરામીઓ તંબૂઓ યથાવત્ છોડી જતા રહ્યા છે.”


યદૂથૂનના પુત્ર ઓબેદ-અદોમ અને તેમના કુટુંબનાં અડસઠ માણસોએ તેમને મદદ કરવાની હતી. હોસા અને ઓબેદ- અદોમ દ્વારપાળ હતા.


પ્રાર્થના કરવા, કીર્તન ગાવા અને સ્તુતિ કરવા અને એમ પ્રભુની કરારપેટીની આગળ ઇઝરાયલના પ્રભુ ઈશ્વરની આરાધના કરવા દાવિદે કેટલાક લેવીઓને નીમ્યા.


અને રોજ સવારે અને સાંજે તેમ જ સાબ્બાથ, ચાંદ્રમાસના પ્રથમ દિવસોએ અને બીજા ઉત્સવો વખતે પ્રભુને અર્પણો ચઢાવવામાં આવે ત્યારે પ્રભુની સ્તુતિ કરવી અને તેમનો મહિમા કરવો. પ્રત્યેક વખતે આ કામ કરવા લેવીઓની સંખ્યા નક્કી કરવાના નિયમો ઘડવામાં આવ્યા હતા. લેવીઓને પ્રભુની સેવાભક્તિ નિરંતર કરવાનું કામ સોંપેલું હતું.


મંદિરમાં સંગીત માટે લેવીઓનાં કેટલાંક કુટુંબો જવાબદાર હતાં. આ કુટુંબોના વડાઓ મંદિરનાં જ મકાનોમાં રહેતા. કારણ, તેમણે રાત્રે કે દિવસે પોતાની ફરજ બજાવવા ઉપલબ્ધ રહેવાનું હતું.


તેઓ સિતાર, વીણા અને રણશિંગડાંના વાદન સાથે યરુશાલેમ આવ્યા અને પ્રભુના મંદિરે ગયા.


બીજા લેવીઓ માલસામાનની હેરફેર પર અને જુદા જુદા કામના કારીગરો પર દેખરેખ રાખનાર હતા. તો કેટલાક લેવીઓ લહિયા, નોંધણીકારો કે મંદિરના સંરક્ષકો હતા.


આસાફના ગોત્રના નીચે જણાવેલ લેવી સંગીતકારો દાવિદ રાજાની સૂચના પ્રમાણે તેમના નિયત સ્થાને ઊભા હતા: આસાફ, હેમાન, અને રાજાનો સંદેશવાહક યદૂથૂન. મંદિરના દરવાજાના રક્ષકોએ તેમનું સ્થાન છોડવાનું નહોતું, કારણ, બીજા લેવીઓ તેમને માટે પાસ્ખા બલિદાન તૈયાર કરતા હતા.


પોતાના પિતા દાવિદે નક્કી કરેલા નિયમો પ્રમાણે તેણે યજ્ઞકારોની તથા સ્તોત્ર ગાવાનાં અને ન્યાય કામોમાં મદદ કરવા લેવીઓની દૈનિક કામગીરીની વ્યવસ્થા ગોઠવી. ઈશ્વરભક્ત દાવિદની આજ્ઞા પ્રમાણે પ્રત્યેક દરવાજા પર રોજની ફરજ બજાવવા માટે તેણે મંદિરના રક્ષકોની ટુકડીઓની વ્યવસ્થા કરી.


તેની સાથે યજ્ઞકારો, લેવીઓ, મંદિરના સંગીતકારો, સંરક્ષકો અને સેવકો પણ ગયા.


યજ્ઞકારો, લેવીઓ, મંદિરના સંરક્ષકો, સંગીતકારો, અન્ય સામાન્ય પ્રજાજનો, મંદિરના સેવકો. એમ ઇઝરાયલીઓના સર્વ લોકો યહૂદિયાનાં ગામો અને નગરોમાં વસ્યા.


ગાયકો અને નૃત્યકારો કહેશે: “અમારી સર્વ આશિષોનો સ્રોત સિયોનમાં છે.”


તમારાં પવિત્ર શહેરો રણ જેવાં બની ગયાં છે. સિયોન પણ વેરાન છે; યરુશાલેમ ઉજ્જડ બન્યું છે.


દાવિદની જેમ નવાં નવાં ગીતો બનાવી તેમને સારંગીના સૂર સાથે ગાવાનું તમને ગમે છે.


Lean sinn:

Sanasan


Sanasan