Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 23:24 - પવિત્ર બાઇબલ C.L.

24 તેઓ લેવીના ગોત્ર અને કુટુંબવાર વંશજો હતા; પ્રત્યેકનું નામ ગણતરીમાં નોંધાયેલું હતું. વીસ વર્ષ કે તેથી વધુ વયના તેમના પ્રત્યેક વંશજ પ્રભુના મંદિરના કામમાં ભાગ લેતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 તેઓ પોતાના પિતૃઓનાં કુટુંબો પ્રમાણે લેવીઓના પુત્રો હતા, એટલે તેઓમાંના જેઓ નામવાર ગણતરીમાં ગણાયા હતા, એટલે વીસ તથા તેથી અધિક વયના હતા તેઓ યહોવાના મંદિરમાં સેવાનું કામ કરનાર હતા. તેઓ પોતાના પિતૃઓનાં [કુટુંબોના] મુખ્ય પુરુષો હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 તેઓ પોતાનાં કુટુંબો પ્રમાણે લેવીઓના દીકરા હતા. જેઓ નામવાર ગણતરીમાં ગણાયા હતા. તેઓ વીસ તથા તેથી વધારે ઉંમરના હતા. તેઓ યહોવાહના ભક્તિસ્થાનમાં સેવાનું કામ કરતા હતા. તેઓ પોતાના કુટુંબોનાં મુખ્ય આગેવાનો હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 લેવીના વંશજોના વીસ વર્ષ અને તેથી વધારે ઉંમરના પુરુષોની ગણતરી કરીને પર પ્રમાણે વિભાગો અને પેટાવિભાગોમાં તેઓનું વગીર્કરણ કરવામાં આવ્યું. યહોવાના મંદિરમાં જુદી જુદી સેવાઓ માટે તેઓને નિયુકત કરવામાં આવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 23:24
20 Iomraidhean Croise  

મરારીના બીજા પુત્ર મુશીને ત્રણ પુત્રો હતા: માહલી, એદેર અને યરેમોથ.


દાવિદની આખરી સૂચનાઓ મુજબ વીસ વર્ષ કે તેથી વધારે વયના બધા લેવીઓની નોંધ કરવામાં આવતી,


તેણે ત્રીસ કે તેથી વધુ ઉંમરના સર્વ નર લેવીઓની ગણતરી કરી. એમની કુલ સંખ્યા એકત્રીસ હજારની થઈ.


યજ્ઞકારોને તેમના ગોત્ર પ્રમાણે ફરજ સોંપાઈ હતી, જ્યારે વીસ વર્ષ કે તેથી વધારે ઉંમરના લેવીઓને તેમનાં સેવાકાર્યોનાં જૂથ પ્રમાણે ફરજ સોંપાઈ હતી.


દેશનિકાલ થયેલાઓ યરુશાલેમ પાછા ફર્યા તે પછીના બીજા વર્ષના બીજા માસમાં શઆલ્તીએલનો પુત્ર ઝરૂબ્બાબેલ, યોસાદાકનો પુત્ર યેશૂઆ, સાથી યજ્ઞકારો તથા લેવીઓ તેમજ દેશનિકાલીમાંથી યરુશાલેમ પાછા આવેલા સૌએ પ્રભુના મંદિરને ફરી બાંધવાનું કામ શરૂ કર્યું. વીસ કે તેથી વધુ ઉંમરના લેવીઓને મંદિરના બાંધકામની દેખરેખ માટેની જવાબદારી સોંપવામાં આવી.


હવે કોટની મરામત પૂરી થઈ ગઈ અને દરવાજાનાં બારણાં ચડાવી દેવામાં આવ્યાં. મંદિરના સંરક્ષકો, પવિત્ર ગાયકવૃંદના સભ્યો અને અન્ય લેવીઓને તેમના કામની સોંપણી કરવામાં આવી.


તેમણે બીજા મહિનાને પ્રથમ દિવસે સમગ્ર સમાજને એકત્ર કર્યો અને ગોત્ર તથા કુટુંબ પ્રમાણે બધાંની ગણતરી કરવામાં આવી. વીસ વર્ષ અને તેથી વધુ ઉંમરના બધા પુરુષોનાં નામ નોંધવામાં આવ્યાં.


ત્યાર પછી મુલાકાતમંડપ છોડી લેવામાં આવ્યો એટલે ગેર્શોનના કુટુંબો અને મરારીના કુટુંબો મંડપનો સરસામાન ઊંચકીને ચાલી નીકળ્યા.


ત્યાર પછી લેવીકુળના કહાથના કુટુંબો પવિત્ર સરસામાન ઊંચકીને ચાલી નીકળ્યા. તેઓ બીજા પડાવને સ્થળે આવી પહોંચે તે પહેલાં, મંડપ ફરી ઊભો કરવામાં આવતો હતો.


તમારે પવિત્રસ્થાનની અને વેદીની સેવા સંભાળવાની છે. જેથી ઇઝરાયલીઓ પર ફરી કોપ આવે નહિ.


ઇઝરાયલી લોકોની તેમનાં સૈન્ય અને ટુકડીઓ પ્રમાણે વસતીગણતરી કરવામાં આવી, ત્યારે તેમની કુલ સંખ્યા 6,03,550ની હતી.


એટલે દરેકને માટે તું ચાંદીના પાંચ સિક્કા લે. (સિક્કાનું વજન પવિત્રસ્થાનના તોલમાપ પ્રમાણે હોવું જોઈએ. એક સિક્કો બાર ગ્રામનો હોય છે.)


અને ત્રીસથી પચાસ વર્ષ સુધીની ઉંમરના પુરુષો જેઓ મુલાકાતમંડપમાં સેવા કરવાને લાયક હોય તેમની નોંધણી કર.


“લેવીઓએ પચીસ વર્ષની ઉંમરે મુલાકાતમંડપમાં સેવા કરવાની શરૂઆત કરવી,


Lean sinn:

Sanasan


Sanasan