Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 19:3 - પવિત્ર બાઇબલ C.L.

3 ત્યારે આમ્મોનના આગેવાનોએ રાજાને કહ્યું, “તમે એમ ધારો છો કે દાવિદે તમારા પિતાના સન્માર્થે તમને દિલાસો પાઠવવા આ માણસોને મોકલ્યા છે? ના, તેણે તો આપણા દેશને શી રીતે જીતી લેવો તેની બાતમી કાઢવા એમને જાસૂસો તરીકે મોકલ્યા છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 પણ આમ્મોનીઓના આગેવાનોએ હાનૂનને કહ્યું, “શું તમે એમ ધારો છો કે, તમારા પિતાના સન્માનાર્થે દાઉદે તમારી પાસે દિલાસો આપનારાઓને મોકલ્યા છે? શું તેના ચાકરો દેશની તપાસ કરવા, તેને પાયમાલ કરવા તથા દેશની બાતમી કાઢવા માટે તમારી પાસે નથી આવ્યા?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 ત્યારે આમ્મોની સરદારોએ હાનૂનને કહ્યું, “તું શું એમ માને છે કે, તારા પિતાને માન આપવાના હેતુથી દાઉદે આ માણસોને આશ્વાસન આપવા મોકલ્યા છે? એ માણસો તો તેના જાસૂસો છે અને આ દેશને શી રીતે જીતી લેવો એની બાતમી મેળવવા આવ્યા છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 ત્યારે આમ્મોની સરદારોએ હાનૂનને કહ્યું, “તમે શું એમ માનો છો કે, તમારા પિતાને માન આપવાના હેતુથી દાઉદે આ માણસોને આશ્વાસન આપવા મોકલ્યા છે? એ માણસો તો તેના જાસૂસો છે અને આ દેશને શી રીતે જીતી લેવો એની બાતમી મેળવવા આવ્યા છે.”

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 19:3
12 Iomraidhean Croise  

તેઓ આમ્મોનમાં આવી પહોંચ્યા એટલે આમ્મોનના રાજદરબારીઓએ રાજાને કહ્યું, “તમે એમ માનો છો કે દાવિદે તમારા પિતાના માનમાં તમારા પ્રત્યે હમદર્દી દર્શાવવા આ સંદેશકો મોકલ્યા છે? અલબત્ત, નહિ. તેણે તો તેમને નગરની જાસૂસી કરવા મોકલ્યા છે, જેથી તે આપણને જીતી લે.”


દાવિદ રાજાએ કહ્યું, “નાહાશે મારી સાથે રાખી હતી તેવી વફાદાર મૈત્રી હું હાનુન સાથે પણ રાખીશ.” તેથી હાનુનના પિતાના મૃત્યુ વિશે તેને દિલાસો પાઠવવા દાવિદે સંદેશકો મોકલ્યા. જ્યારે તેઓ આમ્મોનમાં હાનુન રાજા પાસે ગયા,


તેથી હાનુને એ માણસોને પકડીને તેમની દાઢી મૂંડાવી નાખી અને કમરથી નીચેના ભાગનાં તેમનાં વસ્ત્રો કપાવી નાખીને તેમને કાઢી મૂક્યા.


તેથી દાનના કુળના લોકોએ કુળના સર્વ કુટુંબોમાંથી પાંચ શૂરવીર માણસોને પસંદ કર્યા અને સોરા તથા એશ્તાઓલ નગરોથી તેમને દેશનું સંશોધન કરી બાતમી મેળવી લાવવાની સૂચના આપી મોકલ્યા. તેઓ એફ્રાઈમના પહાડીપ્રદેશમાં આવી પહોંચ્યા અને મિખાને ત્યાં ઊતર્યા.


પણ પલિસ્તીઓના રાજવીઓ આખીશ પર ગુસ્સે થઈ ગયા અને તેમણે તેને કહ્યું, “એ માણસને તેના નગરમાં પાછો મોકલ. તેને આપણી સાથે યુદ્ધમાં આવવા ન દે. કારણ, તે લડાઇ સમયે આપણી વિરુદ્ધનો થઈ જશે. પોતાના માલિકનો પ્રેમ સંપાદન કરવા આપણા માણસોને મારી નાખવા સિવાય તેની પાસે બીજો કયો સારો માર્ગ હોય?


આખીશે જવાબ આપ્યો, “હું તને ઈશ્વરના દૂત જેટલો જ વફાદાર ગણું છું. પણ તું અમારી સાથે લડાઈમાં ન આવી શકે એવું પલિસ્તીઓના રાજવીઓનું કહેવું છે.


Lean sinn:

Sanasan


Sanasan