Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 19:2 - પવિત્ર બાઇબલ C.L.

2 દાવિદ રાજાએ કહ્યું, “નાહાશે મારી સાથે રાખી હતી તેવી વફાદાર મૈત્રી હું હાનુન સાથે પણ રાખીશ.” તેથી હાનુનના પિતાના મૃત્યુ વિશે તેને દિલાસો પાઠવવા દાવિદે સંદેશકો મોકલ્યા. જ્યારે તેઓ આમ્મોનમાં હાનુન રાજા પાસે ગયા,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 દાઉદે કહ્યું, “હું નાહાશના પુત્ર હાનૂન પર કૃપા રાખીશ. કેમ કે તેના પિતાએ મારા પર કૃપા રાખી હતી.” માટે તેણે તેના પિતા ના મૃત્યુ સંબંધી તેને દિલાસો આપવા માટે માણસો મોકલ્યા. દાઉદના સેવકો હાનૂનને દિલાસો આપવા માટે આમ્મોનીઓના દેશમાં તેની પાસે ગયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 દાઉદે કહ્યું, “હું નાહાશના દીકરા હાનૂન પર દયા રાખીશ, કેમ કે તેના પિતાએ પણ મારા પ્રત્યે ભલાઈ રાખેલી હતી.” તેથી દાઉદે તેના પિતાના મરણ સંબંધી તેને દિલાસો આપવા સારુ સંદેશાવાહકોને આમ્મોનીઓના દેશમાં મોકલ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 દાઉદે વિચાર્યું, “નાહાશે મારા પ્રત્યે દાખવ્યો હતો તેવો સદૃભાવ મારે તેના પુત્ર હાનૂન પ્રત્યે રાખવો જોઇએ.” તેથી દાઉદે હાનૂનના પિતાના મૃત્યુનું આશ્વાસન આપવા માણસો મોકલી આપ્યા. પણ જ્યારે દાઉદના માણસો હાનૂન પાસે આશ્વાસન આપવા આમ્મોન પહોંચ્યા.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 19:2
14 Iomraidhean Croise  

દાવિદે પૂછયું, “શાઉલના કુટુંબમાંનું હજુ સુધી કોઈ બાકી રહ્યું છે? જો હોય તો યોનાથાનને લીધે હું તેના પર પ્રેમ દર્શાવવા માગું છું.”


દાવિદે કહ્યું, “ગભરાઈશ નહિ, તારા પિતા યોનાથાનને લીધે હું તારા પ્રત્યે માયાળુ રહીશ. તારા દાદા શાઉલની સઘળી જમીન જાગીર હું તને પાછી આપીશ અને તું હંમેશા મારી સાથે જમજે.”


એલિશાએ ગેહઝીને કહ્યું, “તેણે આપણી ખૂબ સારસંભાળ લીધી છે. ભારે જહેમત ઉઠાવી છે. તો હવે તેના બદલામાં હું તેને માટે શું કરું તે તેને પૂછી જો. હું રાજા કે સેનાપતિ પાસે જઈ તેમને માટે ભલામણ કરું એવી કદાચ તેની ઇચ્છા હોય.” તેણે જવાબ આપ્યો, “હું મારા લોક સાથે વસું છું અને બધી વાતે સુખી અને સંપન્‍ન છું.”


થોડા સમય પછી આમ્મોનીઓનો રાજા નાહાશ મરણ પામ્યો, એટલે તેનો પુત્ર હાનુન રાજા બન્યો.


ત્યારે આમ્મોનના આગેવાનોએ રાજાને કહ્યું, “તમે એમ ધારો છો કે દાવિદે તમારા પિતાના સન્માર્થે તમને દિલાસો પાઠવવા આ માણસોને મોકલ્યા છે? ના, તેણે તો આપણા દેશને શી રીતે જીતી લેવો તેની બાતમી કાઢવા એમને જાસૂસો તરીકે મોકલ્યા છે.”


લોકો આગળ મોશેના નિયમશાસ્ત્રનું મોટેથી વાંચન કરવામાં આવતું હતું ત્યારે તેઓના વાંચવામાં આ શાસ્ત્રભાગ આવ્યો કે જ્યાં એમ કહેલું છે કે કોઈપણ આમ્મોની કે મોઆબીને ઈશ્વરના લોકોમાં કદી જોડાવા દેવો નહિ.


હવે આમ્મોની ટોબિયા તેની પાસે ઊભો હતો. તે બોલ્યો, “ભલેને તેઓ કોટ બાંધે, એક શિયાળવુંય તેના પર ચડે તોય તે પડી જશે!”


સાનબાલ્લાટ તથા ટોબિયાએ તેમજ અરબોએ, આમ્મોનીઓએ અને આશ્દોદીઓએ સાંભળ્યું કે અમે યરુશાલેમના કોટને ફરી બાંધવાના કામમાં પ્રગતિ કરી રહ્યા છીએ અને કોટનાં ગાબડાં પૂરાવાં લાગ્યાં છે ત્યારે તેઓ ખૂબ જ રોષે ભરાયા.


રાજાએ પૂછયું, “આ માટે મોર્દખાયને કંઈ સન્માન કે બક્ષિસ આપવામાં આવ્યાં છે?” રાજાના સેવકોએ જવાબ આપ્યો, “તેને માટે કંઈ જ કરવામાં આવ્યું નથી.”


આ નાના નગરમાં એક ગરીબ પણ બુદ્ધિમાન માણસ રહેતો હતો. તેણે પોતાની બુદ્ધિથી નગરને બચાવ્યું છતાં પણ તે ગરીબ માણસને કોઈએ સંભાર્યો નહિ.


ઘણા યહૂદીઓ માર્થા અને મિર્યામને તેના ભાઈના મરણ અંગે દિલાસો આપવા આવ્યા હતા.


દાવિદ સિકલાગ પાછો આવ્યો ત્યારે લૂંટનો કેટલોક ભાગ યહૂદિયાના આગેવાન મિત્રો પર આ સંદેશા સાથે મોકલ્યો, “પ્રભુના શત્રુઓ પાસેથી મેળવેલી લૂંટમાંથી તમને આ ભેટ મોકલું છું.”


Lean sinn:

Sanasan


Sanasan