Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 16:40 - પવિત્ર બાઇબલ C.L.

40 પ્રભુએ ઇઝરાયલીઓને ફરમાવેલા નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે તેઓએ રોજ સવારે અને સાંજે વેદી પર સંપૂર્ણ દહનબલિ ચઢાવવાનો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

40 યહોવાએ ઇઝરાયલને ફરમાવેલા નિયમશાસ્ત્રમાં જે સર્વ લખેલું છે, તે પ્રમાણે દરરોજ સવારે તથા સાંજે દહનીયાર્પણની વેદી પર યહોવાને દહનીયાર્પણો ચઢાવવા માટે [નીમ્યા.]

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

40 યહોવાહે, ઇઝરાયલને ફરમાવેલા નિયમશાસ્ત્રમાં જે સર્વ લખેલું છે, તે પ્રમાણે દરરોજ સવારે તથા સાંજે દહનીયાર્પણની વેદી પર યહોવાહને દહનીયાર્પણો ચઢાવવા માટે તેઓને નીમ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

40 તેમણે યહોવાએ ઇસ્રાએલ માટે ફરમાવેલી સંહિતામાં કહ્યા પ્રમાણે દરરોજ સવારે અને સાંજે યજ્ઞવેદી પર યહોવાને દહનાર્પણ ચઢાવવાનું હતું.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 16:40
11 Iomraidhean Croise  

અહિટૂબનો પુત્ર સાદોક અને અબ્યાથારનો પુત્ર અહિમેલેખ યજ્ઞકારો હતા. સરાયા ન્યાય કચેરીનો સચિવ હતો.


બપોર વીતી ગયા અને છેક સંયાબલિનો સમય થવા આવ્યો ત્યાં સુધી તેમણે બૂમબરાડા પાડી લવારો કર્યા કર્યો; પણ કંઈ અવાજ સંભળાયો નહિ કે કોઈ જવાબ મળ્યો નહિ, એક શબ્દ પણ સંભળાયો નહિ.


મારા ઈશ્વર પ્રભુના સન્માનાર્થે હું મંદિર બંધાવું છું. એ પવિત્રસ્થાનમાં હું અને મારા લોક સુગંધીદ્રવ્યોનો ધૂપ બાળીને તેમની ભક્તિ કરીશું, અને ત્યાં જ પ્રભુ અમારા ઈશ્વરના સન્માનાર્થે રોજ સવાર-સાંજ, પ્રત્યેક સાબ્બાથે, ચાંદ્રમાસના પ્રથમ દિવસે અને બીજા પવિત્ર દિવસોએ દહનબલિ ચઢાવીશું. તેમણે હમેશાં એમ કરવાની ઇઝરાયલને આજ્ઞા આપી છે.


હિઝકિયા રાજા દરરોજ સવારે અને સાંજે ચડાવવાના દહનબલિ માટે અને સાબ્બાથદિને, ચાંદ્રમાસને પ્રથમ દિવસે તેમજ પ્રભુના નિયમશાસ્ત્રમાં ઠરાવેલ અન્ય પર્વોએ અર્પણ ચડાવવા માટે પોતાનાં ઢોરઢાંકમાંથી પશુઓ પૂરાં પાડતો.


તેમને આસપાસના લોકોનો ભય હોવા છતાં વેદીને તેના મૂળ સ્થાને જ બાંધી. તે પછી તેમણે સવારસાંજનાં નિયમિત બલિદાનો ચડાવવાનું ફરીથી ચાલુ કર્યું.


હું પ્રાર્થના કરતો હતો તેવામાં ગાબ્રિયેલ જેને મેં અગાઉના સંદર્શનમાં જોયો હતો, તે ઝડપથી ઊડીને મારી પાસે આવ્યો. એ તો સાંજનું અર્પણ ચડાવવાનો સમય હતો.


પછી તેણે ધાન્યઅર્પણ ચડાવ્યું. મુઠીભર લોટ લઈને તેણે તેનું યજ્ઞવેદી પર દહન કર્યું. (આ અર્પણ તો દરરોજના દહનબલિ ઉપરાંતનું હતું.)


સર્વશક્તિમાન પ્રભુ કહે છે, “બેથેલ જાઓ અને પાપ કરો! ગિલ્ગાલ થઈને ગુના વધારો! દરરોજ સવારે તમારાં બલિદાનો અને દર ત્રણ દિવસે તમારાં દશાંશ ચઢાવો.


Lean sinn:

Sanasan


Sanasan