Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 15:15 - પવિત્ર બાઇબલ C.L.

15 પ્રભુએ મોશે દ્વારા આપેલી આજ્ઞા પ્રમાણે લેવીઓએ કરારપેટીને દાંડા વડે પોતાને ખભે ઉપાડી લીધી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 યહોવાના વચન પ્રમાણે મૂસાએ જેમ આજ્ઞા આપી હતી, તેમ લેવી પુત્રોએ પોતાની ખાંધ પર ઈશ્વરનો કોશ તેની અંદરના દાંડા વડે ઉપાડ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તેથી ઈશ્વરના વચન પ્રમાણે મૂસાએ જે આજ્ઞા આપી હતી, તે પ્રમાણે લેવીઓએ પોતાના ખભા પર ઈશ્વરનો કોશ તેની અંદરનાં દાંડા વડે ઉપાડ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તે પ્રમાણે લેવીઓએ દેવના કોશના દાંડા પોતાના ખભા પર મૂકીને તેને ઊંચક્યો.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 15:15
12 Iomraidhean Croise  

દાવિદે સાંભળ્યું કે ઈશ્વરની કરારપેટીને લીધે પ્રભુએ ઓબેદ-અદોમના કુટુંબને અને તેના સર્વસ્વને આશિષ આપી છે ત્યારે તે કરારપેટીને મહોત્સવ સહિત યરુશાલેમ લઈ આવવાને નીકળ્યો.


કરારપેટી ઊંચકનારાઓ છ ડગલાં ચાલ્યા કે દાવિદે તેમને થોભાવીને આખલા અને માતેલા વાછરડાનું બલિદાન કર્યું.


દાંડા લાંબા હોવાથી તેના છેડા બીજા કોઈ સ્થળેથી નહિ, પણ માત્ર પરમપવિત્રસ્થાનની બરાબર સામેથી જ દેખી શક્તા હતા. (આજે પણ એ દાંડા ત્યાં છે.)


તરત જ ઉઝ્ઝા પર પ્રભુનો ક્રોધ ભભૂકી ઊઠયો અને કરારપેટીને અડકવા બદલ તેને મારી નાખ્યો. તે ત્યાં ઈશ્વરની સમક્ષ મૃત્યુ પામ્યો.


દાંડાના છેડા બીજી કોઈ જગ્યાએથી નહિ, પણ માત્ર પરમ પવિત્રસ્થાન સમક્ષ ઊભો રહેવાથી જ જોઈ શક્તા હતા. (આજે પણ તે ત્યાં છે.)


પછી તેણે સાક્ષ્યલેખની બન્‍ને શિલાપાટીઓ લઈને કરારપેટીમાં મૂકી. તેના દાંડાઓ તેના કડાંઓમાં પરોવ્યા અને કરારપેટી પર તેનું ઢાંકણ ઢાંકયું.


પડાવ ઉપાડવાનો સમય થાય ત્યારે આરોન અને તેના પુત્રો પવિત્રસ્થાન અને તેનો બધો સરસામાન ઢાંકી દે, ત્યાર પછી જ કહાથના પુત્રોએ તે ઉપાડવા માટે હાજર થવું. જો તેઓ કોઈ પવિત્ર વસ્તુનો સ્પર્શ કરશે તો માર્યા જશે. કહાથના પુત્રોની એ મુલાકાતમંડપને લગતી જવાબદારી છે.


પરંતુ મોશેએ કહાથીઓને કશું જ આપ્યું નહિ. કારણ, જે પવિત્ર વસ્તુઓની સેવા તેઓને સોંપવામાં આવી હતી, તે તેમણે પોતાના ખભા ઉપર જ ઊંચકવાની હતી.


તે સમયે પ્રભુએ લેવીના વંશજોને પ્રભુના કરારની પેટી ઊંચકવા, પ્રભુની સમક્ષ યજ્ઞકારો તરીકે સેવા બજાવવા અને પ્રભુને નામે આશીર્વચન ઉચ્ચારવા નીમ્યા; અને આજે પણ તેઓ તેમની એ ફરજો બજાવે છે.


Lean sinn:

Sanasan


Sanasan