Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 15:14 - પવિત્ર બાઇબલ C.L.

14 તેથી ઇઝરાયલના ઈશ્વર પ્રભુની કરારપેટી લાવવા માટે યજ્ઞકારો અને લેવીઓએ પોતાને શુદ્ધ કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 આથી યાજકોએ તથા લેવીઓએ ઇઝરાયલના ઈશ્વર યહોવાનો કોશ લઈ આવવા માટે પોતાને શુદ્ધ કર્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તેથી યાજકોએ તથા લેવીઓએ ઇઝરાયલના ઈશ્વર યહોવાહનો કોશ લઈ આવવા સારુ પોતાને શુદ્ધ કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 તેથી યાજકોએ અને લેવીઓએ ઇસ્રાએલના દેવ યહોવાના કોશને લઇ આવવા માટે પોતાની જાતને પવિત્ર કરી.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 15:14
8 Iomraidhean Croise  

તેણે લેવીઓને કહ્યું, “તમે લેવીઓનાં ગોત્રના આગેવાન છો. તમે અને તમારા સાથી લેવીભાઈઓ શુદ્ધ થાઓ; જેથી મેં જે સ્થાન ઇઝરાયલના ઈશ્વર પ્રભુની કરારપેટી માટે તૈયાર કર્યું છે તેમાં તમે તેને લાવી શકો.


પ્રભુએ મોશે દ્વારા આપેલી આજ્ઞા પ્રમાણે લેવીઓએ કરારપેટીને દાંડા વડે પોતાને ખભે ઉપાડી લીધી.


એ માણસોએ સાથી લેવીઓને એકઠા કર્યા અને પોતાને વિધિગત રીતે શુદ્ધ કર્યા. પછી રાજાના આદેશ પ્રમાણે પ્રભુના નિયમશાસ્ત્ર મુજબ તેમણે મંદિરનું શુદ્ધિકરણનું કામ ઉપાડયું.


આ બધાં પશુઓ કાપવા પોતાને વિધિગત રીતે શુદ્ધ રાખવા સંબંધમાં પૂરતી સંખ્યામાં યજ્ઞકારો ઉપલબ્ધ ન હોઈ, કામ પૂર્ણ થયું ત્યાં સુધી લેવીઓએ તેમને મદદ કરી. દરમ્યાનમાં, બીજા વધારાના યજ્ઞકારોએ પોતાને શુદ્ધ કર્યા. (યજ્ઞકારોની સરખામણીમાં પોતાને શુદ્ધ રાખવામાં લેવીઓ વિશેષ વિશ્વાસુ હતા).


પોતે કયા વારામાં કે જૂથના છે એનો ભેદ રાખ્યા વિના હાજર રહેલા સર્વ યજ્ઞકારોએ પોતાને સમર્પિત કર્યા. આસાફ, હેમાન અને યદુથૂન તથા તેના ગોત્રના સર્વ લેવીઓએ અળસીરેસાનાં વસ્ત્ર પહેર્યાં હતાં. લેવીઓ ઝાંઝ અને વીણા સાથે વેદીની પૂર્વગમ ઊભા હતા અને તેમની સાથે એક્સો વીસ યજ્ઞકારો રણશિંગડાં વગાડતા હતા. રણશિંગડાં વગાડનારાઓએ અને ગાયકોએ એક સાથે તાલબદ્ધ રીતે પ્રભુની આભારસ્તુતિ કરવાની હતી. તેથી રણશિંગડાં વગાડતાંની સાથે જ તેમણે ઊંચે સાદે ગીત ગાયું: “પ્રભુની સ્તુતિ હો, કેમ કે તે ભલા છે અને તેમનો પ્રેમ સનાતન છે.” ત્યારે પ્રભુનું મંદિર એકાએક વાદળથી ભરાઈ ગયું. પ્રભુનું ગૌરવ મંદિરમાં વ્યાપી ગયું હોઈ યજ્ઞકારો ત્યાં આરાધના કરવા ઊભા રહી શક્યા નહિ.


યાજકો અને લેવીઓએ પોતાને માટે અને પછી લોકો, દરવાજા તેમ જ નગરકોટ માટે શુદ્ધિકરણનો વિધિ કર્યો.


પછી મોશેએ આરોનને કહ્યું, “આ તો પ્રભુએ જે પ્રમાણે કહ્યું હતું તે પ્રમાણે જ બન્યું છે. ‘મારી સેવા કરનારાઓએ મારી પવિત્રતાની અદબ જાળવવી જોઈએ. હું મારું ગૌરવ મારા લોક સમક્ષ પ્રગટ કરીશ.’ ” પરંતુ આરોન શાંત રહ્યો.


Lean sinn:

Sanasan


Sanasan