Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 13:2 - પવિત્ર બાઇબલ C.L.

2 પછી ઇઝરાયલના સર્વ લોકો સમક્ષ ઘોષણા કરી કે, “તમને સૌને પસંદ હોય અને પ્રભુની ઇચ્છા હોય તો આપણે બાકીના આપણા સર્વ દેશબાંધવોને પોતપોતાનાં નગરોમાં તેમજ તેમની આસપાસનાં ગૌચરોમાં વસતા યજ્ઞકારો અને લેવીઓને આપણી પાસે અહીં એકત્ર થવા સંદેશકો મોકલીને કહેવડાવીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 દાઉદે ઇઝરાયલની આખી સભાને કહ્યું, “જો તમને સારું લાગે, ને જો આપણા ઈશ્વર યહોવાની મરજી હોય, તો આપણા જે ભાઈઓ ઇઝરાયલના આખા દેશમાં બાકી રહ્યા છે, તથા તેઓની સાથે જે યાજકો તથા લેવીઓ પોતાનાં પાદરોવાળાં નગરોમાં રહે છે, તેઓની પાસે સર્વત્ર માણસો મોકલીએ કે, તેઓ ઈશ્વરનો કોશ આપણી પાસે ફરીથી લાવવાને એકત્ર થાય;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 દાઉદે ઇઝરાયલની આખી સભાને કહ્યું, “જો તમને સારું લાગે અને જો આપણા યહોવાહની ઇચ્છા હોય, તો આપણા જે ભાઈઓ ઇઝરાયલના દેશમાં છે તેઓને તથા પોતાના શહેરોમાં રહેતા યાજકોને અને લેવીઓની પાસે સંદેશાવાહકોને મોકલીને તેઓને આપણી સાથે જોડાવા માટે જણાવીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 પછી ઇસ્રાએલીઓના એકત્ર થયેલા લોકોને સંબોધીને કહ્યું, “જો તમને સૌને મંજૂર હોય અને આપણા યહોવાની એવી ઇચ્છા હોય તો આપણે સમગ્ર ઇસ્રાએલના બાકીના દેશબંધુઓને તેમજ આજુબાજુની ભૂમિ સહિતના પોતાનાં શહેરોમાં વસતા યાજકોને અને લેવીઓને સંદેશો મોકલીને આપણી સાથે જોડાવા માટે તેઓને આમંત્રણ આપીએ.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 13:2
16 Iomraidhean Croise  

તેમણે જવાબ આપ્યો, “તમારે આ લોકની સારી સેવા કરવી હોય, તો તેમને તેમની વિનંતીઓ સાનુકૂળ જવાબ આપો, એટલે તે વફાદારીપૂર્વક તમારી સેવા કરશે.”


યિઝયેલની ખીણમાં વસતા ઇઝરાયેલીઓ સાંભળ્યું કે તેમનું સૈન્ય ભાગીએ છૂટયું છે અને શાઉલ તથા તેના પુત્રો માર્યા ગયા છે, ત્યારે તેઓ પોતાનાં નગરો છોડી નાસી છૂટયા. પછી પલિસ્તીઓ આવીને એ નગરોમાં વસ્યા.


દાવિદે સહસ્ત્રાધિપતિઓ અને શતાધિપતિઓ એટલે સર્વ આગેવાનો સાથે મંત્રણા કરી.


પછી જઈને ઈશ્વરની કરારપેટી લઈ આવીએ; કારણ; શાઉલ રાજા હતો ત્યારે આપણે તેની ઉપેક્ષા સેવી હતી.”


જો તું ઈશ્વરની આજ્ઞા પાળી એ પ્રમાણે કરીશ તો તું નભી શકીશ અને લોકો પણ પોતાના મનમાં સંતોષ પામીને પોતપોતાને ઘેર જશે.”


સલાહ મેળવ્યા વિના યોજનાઓ નિષ્ફળ જાય છે, પણ જ્યાં ઘણા સલાહકારો હોય ત્યાં સફળતા સાંપડે છે.


આશ્શૂરના રાજાએ પોતાના મુખ્ય લશ્કરી અધિકારીને જીવતા ઈશ્વરની નિંદા કરવા મોકલ્યો છે. તેથી તારા ઈશ્વર પ્રભુ તેના સર્વ નિંદાત્મક શબ્દો લક્ષમાં લઈને તેને ધમકાવે તે માટે તું બચીને બાકી રહેલા લોકો માટે પ્રાર્થના કર.”


પલિસ્તીઓએ ઈઝરાયલી સાથે ગિલ્બોઆ પર્વત પર યુદ્ધ કર્યું. ત્યાં ઘણા ઇઝરાયલીઓ માર્યા ગયા અને બાકીના નાસી ગયા.


Lean sinn:

Sanasan


Sanasan