Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 13:11 - પવિત્ર બાઇબલ C.L.

11 તેથી, એ સ્થળનું નામ પેરેસ-ઉઝઝા (અર્થાત્ ઉઝ્ઝા પર ત્રાટકવું) પડયું, અને તે આજદિન સુધી એ જ નામે ઓળખાય છે. પ્રભુએ પોતાના કોપમાં ઉઝઝાને શિક્ષા કરી તેથી દાવિદ ગુસ્સે થઈ ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 યહોવા ઉઝ્ઝા પર તૂટી પડ્યા, તેથી દાઉદને ખોટું લાગ્યું, તેથી તે જગાનું નામ તેણે “પેરેસ-ઉઝ્ઝા પાડ્યું. આજ સુધી તે નામ ચાલે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 દાઉદને ઘણું ખોટું લાગ્યું કેમ કે યહોવાહે ઉઝઝાને શિક્ષા કરી હતી. તેથી તે જગ્યાનું નામ પેરેસ-ઉઝઝા પડ્યું, જે આજ સુધી તે જ નામે ઓળખાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 યહોવાએ આમ ઉઝઝા પર આક્રમણ કર્યુ. એથી દાઉદને ખોટું લાગ્યુ. અને તેણે તે જગ્યાનું નામ “પેરેસ-ઉઝઝા” પાડ્યું જે આજે પણ તે જ નામે ઓળખાય છે.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 13:11
11 Iomraidhean Croise  

પેલા પુરુષે યાકોબની જાંઘના સાંધાને સ્પર્શ કર્યો હતો તેથી ઇઝરાયલીઓ આજ સુધી જાંઘના સાંધાનો સ્નાયુ ખાતા નથી.


તરત જ ઉઝઝા પર પ્રભુનો ક્રોધ ભભૂકી ઊઠયો અને ઈશ્વરે તેની ભૂલને લીધે તેને મારી નાખ્યો.


પ્રભુએ ઉઝઝા પર ત્રાટકીને તેને મારી નાખ્યો તેથી દાવિદને અત્યંત ખોટું લાગ્યું, તેથી તેણે તે સ્થળનું નામ “પેરેસ- ઉઝ્ઝા” એટલે “ઉઝઝા પર ત્રાટકવું” પાડયું, અને આજે ય એનું એ જ નામ ચાલે છે.


તરત જ ઉઝ્ઝા પર પ્રભુનો ક્રોધ ભભૂકી ઊઠયો અને કરારપેટીને અડકવા બદલ તેને મારી નાખ્યો. તે ત્યાં ઈશ્વરની સમક્ષ મૃત્યુ પામ્યો.


તે દિવસે દાવિદે ઈશ્વરથી ગભરાઈ જઈને કહ્યું, “હવે હું કરારપેટી કેવી રીતે લઈ જઉં?”


પ્રથમ વખતે તમે તેને ઊંચકી નહોતી; તેથી આપણા ઈશ્વર પ્રભુ અમારા પર તૂટી પડયા; કારણ, નિયત કરેલી પદ્ધતિ પ્રમાણે અમે તેમની સમક્ષ ગયા નહિ.”


વળી, જે યજ્ઞકારો મારી પાસે આવે તેઓ પણ પોતે શુદ્ધ થઈને આવે, નહિ તો હું તેમના પર પ્રહાર કરીશ.”


પ્રભુએ તેને કહ્યું, “તું આમ ગુસ્સે થાય છે તે વાજબી છે?”


પણ પ્રભુએ તેને પૂછયું, “એરંડી અંગેનો તારો ગુસ્સો વાજબી છે?” યોનાએ કહ્યું, “ગુસ્સે થવાથી મારું મોત પણ થાય તો ય મને તે વાજબી લાગે છે!”


અને મોઆબ દેશના બેથ-પયોર નગરની સામે આવેલા ખીણપ્રદેશમાં તેને દફનાવવામાં આવ્યો, પણ આજ સુધી તેની કબર વિષે કોઈ જાણતું નથી.


યજ્ઞકારો કરારપેટી ઊંચકીને જ્યાં યર્દનની વચમાં ઊભા રહ્યા હતા ત્યાં પણ યહોશુઆએ બાર પથ્થર ઊભા કર્યા. આજે પણ એ પથ્થરો ત્યાં છે.


Lean sinn:

Sanasan


Sanasan