ઝખાર્યા 11:6 - પવિત્ર બાઈબલ6 યહોવા કહે છે, “હું પણ તેઓને દયા દાખવીશ નહિ, હું તેઓને તેઓના પોતાના દુષ્ટ આગેવાનોના ફંદામાં પડવા દઇશ, અને મરવા દઇશ. તેઓ તેમની જમીનને અરણ્યમાં ફેરવી નાખશે અને હું તે જમીનનું તેઓથી રક્ષણ કરીશ નહિ.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 યહોવા કહે છે, “હું હવે પછી દેશના રહેવાસીઓ પર દયા રાખીશ નહિ; પણ હું સર્વ મનુષ્યોને પોતપોતાના પડોશીના હાથમાં તથા પોતાના રાજાના હાથમાં સોંપીશ; અને તેઓ દેશનો નાશ કરશે, ને તેઓના હાથમાંથી હું તેમને છોડાવીશ નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 (પ્રભુએ કહ્યું, “હું પૃથ્વી પર કોઈના પર દયા દાખવીશ નહિ. હું પોતે લોકોને તેમના શાસકોની સત્તા નીચે મૂકીશ. આ શાસકો પૃથ્વીને ખેદાનમેદાન કરી નાખશે, અને હું તેને તેમની સત્તાથી બચાવીશ નહિ.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 યહોવાહ કહે છે, હવે હું પણ દેશના રહેવાસીઓ પર દયા રાખીશ નહિ.” જો, હું તેઓમાં સંઘર્ષ પેદા કરીશ, કે દરેક માણસ પોતાના પાળકના હાથમાં અને પોતાના રાજાના હાથમાં પડશે, તેઓ દેશનો નાશ કરશે, હું યહૂદિયાને તેઓના હાથમાંથી છોડાવીશ નહિ.” Faic an caibideil |