ગલાતીઓ 2:12 - પવિત્ર બાઈબલ12 તે આમ બન્યું: જ્યારે પિતર સૌ પ્રથમ અંત્યોખ આવ્યો, ત્યારે તે બિનયહૂદિ લોકો સાથે જમ્યો અને બિનયહૂદિઓ સાથે સંલગ્ન થયો. પરંતુ પછી કેટલાએક યહૂદિ માણસોને યાકૂબે મોકલ્યા. જ્યારે આ યહૂદિ લોકો આવ્યા ત્યારે, પિતરે બિનયહૂદિઓ સાથે જમવાનું બંધ કર્યુ. પિતર બિનયહૂદિઓથી અલગ થઈ ગયો. તે યહૂદિઓથી ગભરાતો હતો જેઓ માનતા હતા કે બધા જ બિનયહૂદિઓની સુન્નત કરવી જોઈએ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 કારણ કે યાકૂબની પાસેથી કેટલાકના આવ્યાં પહેલાં, તે વિદેશીઓની સાથે ખાતો હતો, પણ તેઓ આવ્યા ત્યારે સુન્નતીઓથી બીને તે પાછો હઠયો અને [તેઓથી] અલગ રહ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 યાકોબે મોકલેલા કેટલાક માણસો ત્યાં આવી પહોંચ્યા તે પહેલાં પિતર બિનયહૂદી ખ્રિસ્તીઓ સાથે ભોજન લેતો હતો. પણ જ્યારે એ માણસો આવી પહોંચ્યા, ત્યારે તે પાછો હઠી ગયો અને તેમની સાથે ભોજન લેવાનું બંધ કર્યું. કારણ, બિનયહૂદીઓની પણ સુન્નત થવી જોઈએ એવું મંતવ્ય ધરાવનારાઓની તેને બીક લાગી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 કારણ કે યાકૂબની પાસેથી કેટલાક લોકોના આવ્યા પહેલાં, તે બિનયહૂદીઓની સાથે ખાતો હતો, પણ તેઓ આવ્યા પછી, સુન્નતીઓથી ડરીને તે ખસી ગયો અને અલગ રહ્યો. Faic an caibideil |
મેં જોયું કે આ યહૂદિઓ શું કરતાં હતા. તેઓ સુવાર્તાના સત્યને અનુસરતા નહોતા. તેથી બીજા બધા યહૂદિઓ હું જે બોલું છું તે સાંભળી શકે તે રીતે મેં પિતર જોડે વાત કરી. મેં આ કહ્યું, “પિતર, તું યહૂદિ છે. પરંતુ યહૂદિ જેવું જીવન જીવતો નથી. તું બિનયહૂદિ જેવું જીવન જીવે છે. તો હવે તું શા માટે બિનયહુદિઓને યહૂદીઓ જેવું જીવન જીવવા માટે દબાણ કરે છે?”