Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

માર્ક 7 - કોલી નવો કરાર


પરમેશ્વરનાં નિયમો અને લોકોના બનાવેલા રીતી રીવાજ
( માથ્થી 15:1-9 )

1 પછી ફરોશી ટોળાના લોકો અને થોડાક યહુદી નિયમના શિક્ષકો જે યરુશાલેમ શહેરમાંથી આવ્યા હતાં, તેઓ ઈસુની પાહે આવીને એને હાંભળવા હાટુ ભેગા થયા હતા.

2 તેઓએ જોયુ કે, એના કેટલાક ચેલાઓ ખરાબ હાથે ખાવાનું ખાતા હતા. એનો અરથ આ છે કે, તેઓએ પોતાના અશુદ્ધ હાથ યહુદી રીતી રીવાજ પરમાણે નોતા ધોયા.

3 કેમ કે, ફરોશી ટોળાના લોકો અને બધાય યહુદીઓ સદાય વડવાઓના રીતી રીવાજ પરમાણે જ્યાં હુધી હાથ નોતા ધોતા ન્યા હુધી નોતા ખાતા.

4 જઈ તેઓ બજારમાંથી ઘરે આવે છે, તો તેઓ ન્યા લગી ખાવાનું નથી ખાતા ન્યા હુધી કે તેઓ પોતાના રીવાજ પરમાણે ધોયને શુદ્ધ નો કરી લેય. અને તેઓના વડવાઓના હજી પણ કેટલાક રિવાજો છે જેને તેઓ પાળે છે જેમ કે, વાટકાઓ, લોટા અને તાંબાના વાસણોને ધોવા.

5 ઈ હાટુ ફરોશી ટોળાના લોકો અને યહુદી નિયમના શિક્ષકોએ ઈસુને પુછયું કે, “તારા ચેલા અમારા વડીલોના દ્વારા શીખવાડેલ રીતી રીવાજનું પાલન કેમ નથી કરતાં?” તેઓ હાથ ધોયા વગર રોટલી ખાય છે.

6 પછી ઈસુએ તેઓને જવાબ દીધો કે, “તમે ઢોંગીઓના વિષે યશાયા આગમભાખીયાએ પવિત્ર શાસ્ત્રમા ઠીક લખ્યું છે કે, તમે લોકો મારા વિષે બોવ હારુ બોલોસો પણ હકીકતમાં તમે મને પ્રેમ નથી કરતા.

7 તેઓના દ્વારા મારૂ કરવામા આવતું ભજન નકામુ છે કેમ કે, આ લોકોને માણસોએ બનાવેલી આજ્ઞાનું પાલન કરવાનું શિખવાડે છે.

8 તમે પરમેશ્વરની આજ્ઞાઓનું પાલન પડતું મુકીને વડવાઓના બનાવેલા રિતી રિવાજો પાળો છો.”

9 વળી ઈસુએ તેઓને કીધુ કે, “તમારા પોતાના રીવાજોને પાળવા હાટુ પરમેશ્વરનાં નિયમોનો નકાર કેમ કરો છો.”

10 દાખલા તરીકે મુસાએ કીધુ કે, “તમે તમારા માં-બાપને માન આપો, જે કોય એનામાં બાપની નીંદા કરે ઈ જરૂર મારી નાખવામાં આવે.”

11-12 પણ તમે કયો છો કે જે કોય પોતાની માં અને બાપને કેય કે, “હું તમારી મદદ નય કરી હકુ કેમ કે, જે હું તમને આપું ઈ મે પરમેશ્વરને આપવાના હમ ખાધા છે, એટલે આ દાન ફક્ત પરમેશ્વર હાટુજ છે.” ત્યારથી, તમે ઈ માણસને એની માં અને બાપની સેવા કરવાની રજા નથી આપતા એમ પરમેશ્વરની આજ્ઞા શીખવે છે.

13 ઈ રીતે તમે પરમેશ્વરની આપેલી આજ્ઞાઓનો નકાર કરો છો, જેનાથી તમારા રીતી રીવાજોને માનો જેને તમે ઠરાવ્યું છે, અને તમે એવા ઘણાય ખોટા કામો કરો છો.


માણસને અશુદ્ધ કરનારી વાતો
( માથ્થી 15:10-20 )

14 વળી ઈસુએ લોકોને પોતાની પાહે બોલાવીને તેઓને કીધુ કે, “તમે બધાય મારું હાંભળો અને હંમજો.

15 લોકો જે પણ ખાય છે એમાંથી એવુ કાય પણ નથી નીકળતું જે તેઓને અશુદ્ધ બનાવે છે. પણ લોકો ઈ વસ્તુ દ્વારા અશુદ્ધ થાય છે જે તેઓના મનમાંથી બારે નીકળે છે.

16 જો તમારી હાંભળવાની ઈચ્છા હોય તો હાંભળો.”

17 અને જઈ ઈસુ લોકોના ટોળાને છોડીને ઘરમાં ગયો તઈ એના ચેલાઓએ એને જે કીધુ હતું એના દાખલાના અરથ વિષે એને પુછયું.

18 ઈસુએ ચેલાઓને પુછયું કે, “શુ તમે ઈ નથી જાણતા? જે આપણને બારેથી ખોરાક ખાવામાં આવે છે, ઈ આપણને પરમેશ્વરની હામે અશુદ્ધ ઠરાવતો નથી.

19 કેમ કે, ઈ એના હૃદયમાં નથી, પણ પેટમાં જાય છે, અને પેટમાંથી બારે નીકળી જાય છે!” એવુ કયને, ઈસુએ કીધુ કે, બધોય ખોરાક ખાવાની લાયક છે.

20 વળી ઈસુએ કીધુ કે, “જે ખરાબ વસ્તુઓ માણસના હૃદયમાંથી નીકળે છે ઈજ માણસને અશુદ્ધ કરે છે.

21 કેમ કે, અંદરથી એટલે માણસના હૃદયમાંથી જે ભુંડા વિસારો, છીનાળવા, સોરીઓ, હત્યાઓ, દુરાચાર,

22 લોભ, દુષ્ટતા, કપટ, કામાતુરતા, ભુંડી નજર, નિંદા, અભિમાન અને મુરખાય નીકળે છે.

23 ઈ બધાય ભુંડાવાના હૃદયમાંથી નીકળે છે અને ઈ તમને પરમેશ્વરની હામે અશુદ્ધ બનાવે છે.”


સુરુફીનીકી જાતિની બાયનો વિશ્વાસ
( માથ્થી 15:21-28 )

24 પછી ઈસુ અને એના ચેલાઓ ન્યાથી વયા ગયા અને પછી તુર અને સિદોન શહેરની આજુ-બાજુની જગ્યામાં ગયા. ઈ એક ઘરમાં વયો ગયો અને ઈ નોતા ઈચ્છતા કે, કોય જાણે કે ઈ ન્યા રોકાણા હતા.

25 પણ એક બાય જેની નાની દીકરીને મેલી આત્મા વળગેળી હતી, ઈ તરત ઈસુની વિષે હાંભળીને માન આપવા હાટુ પગમાં પડી.

26 ઈ બાય બિનયહુદી હતી. ઈ સિરિયા પરદેશના ફિનીકિયા નામના વિસ્તારની હતી, ઈ બાયે ઈસુને એની દીકરીમાંથી મેલી આત્મા કાઢવા હાટુ વિનવણી કરી.

27 પણ ઈસુએ એને કીધુ કે, “પેલા મારે યહુદી લોકોની મદદ કરવી જોયી. કેમ કે, બાળકોની રોટલી લયને કુતરાની આગળ નાખી દેવી ઈ હારું નથી.”

28 ઈ બાય હંમજી ગય કે, ઈસુ બિનયહુદીઓને કુતરા અને યહુદીઓને બાળકો કયને બતાવે છે, ઈ હાટુ એણે જવાબ આપ્યો કે, “હાસુ છે પરભુ, કુતરા પણ પોતાના ધણીઓની થાળીમાંથી જે હેઠવાડું પડેલું છે ઈ ખાય છે.”

29 તઈ ઈસુએ કીધુ કે, “તે વિશ્વાસથી જવાબ આપ્યો છે, ઈ હાટુ જ તારી દીકરીમાંથી મે મેલી આત્માને કાઢી નાખી છે.” એટલે તુ ઘરે જા.

30 ઈ બાયે પોતાના ઘરે આવીને જોયુ તો છોકરી ખાટલામાં હુતેલી હતી અને એમાંથી મેલી આત્મા નીકળી ગય હતી.


ઈસુ દ્વારા બેરા અને બોબડાને હાજા કરવા

31 પછી ઈસુ અને એના ચેલાઓ તુર શહેરની આજુ-બાજુની જગ્યાઓ છોડી દીધી. પછી તેઓએ સિદોન શહેરની યાત્રા કરી. તઈ તેઓ દશનગરની (દિકાપોલીસ) આજુ-બાજુની જગ્યાઓમાં થયને નીકળા, જ્યાં હુધી કે, તેઓ ગાલીલ દરિયાની પાહે નો પુગ્યા.

32 લોકો એક બેરાને જે બોબડો પણ હતો એને ઈસુ પાહે લીયાવીને વિનવણી કરી કે, એને હાજો કરવા હાટુ પોતાનો હાથ એની ઉપર મુક.

33 તઈ ઈસુ એને ગડદીથી આઘો લય ગયો, અને પોતાની આંગળીયુ એના કાનમાં નાખી, એની પછી એને પોતાની એક આંગળી ઉપર થુંક્યો અને ઈ માણસની જીભને અડયો.

34 પછી ઈસુએ આભ તરફ જોયને નિહાકો નાખીને કીધુ કે, “એફફથા” એટલે “ઉઘડી જા.”

35 તરત ઈ માણસ હાંભળવા લાગ્યો ને એની જીભથી ઈ બોબડો સોખું બોલી હક્યો.

36 ઈસુએ લોકોને કીધુ કે, તેઓ કોયને નો બતાવે કે, એણે શું કરયુ છે. પણ જેટલી વધારે એણે તેઓને આજ્ઞા આપી કે, બીજાઓને નો બતાવતા, એટલા વધારે જોશથી તેઓ બીજાઓની વસે આ ખબરને ફેલાવવા લાગ્યા.

37 અને તેઓ બધાય ખુબજ સોકી ગયા અને કેવા લાગ્યા કે, “એણે હંધુય બોવ જ હારું કરયુ છે! ન્યા હુધી કે, ઈ બેરાઓને હાંભળવા અને મૂંગાઓને બોલવાના લાયક બનાવે છે.”

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan