Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

માથ્થી 27 - કોલી નવો કરાર


પિલાતની હામે ઈસુ
( માર્ક 15:1 ; લૂક 23:1-2 ; યોહ. 18:28-32 )

1 જઈ વેલી હવાર થય તઈ બધાય મુખ્ય યાજકો અને યહુદી લોકોના વડીલોએ ઈસુને મારી નાખવા હાટુ એની વિરુધ કાવતરું કરયુ.

2 અને પછી એને તેઓએ બાંધ્યો અને પછી રોમી રાજ્યપાલ પિલાતના હાથમાં હોપ્યો.


યહુદા ઈશ્કારીયોત નો આપઘાત
( પ્રે.કૃ 1:18-19 )

3 જઈ ઈસુને દગાથી પકડાવનાર યહુદાને ખબર પડી કે, એને મરણ હાટુ અપરાધી ઠરાવવામાં આવ્યો છે, તઈ ઈ બોવ પસ્તાણો અને સાંદીના ત્રીહ સિક્કા મુખ્ય યાજકો અને વડીલોની પાહે લીયાવીને કીધું કે,

4 “જે માણસ નિર્દોષ છે એને મરણ હાટુ પકડાવીને મે પાપ કરયુ છે,” તઈ તેઓએ એને કીધુ કે, “એમા અમારે કાય લેવા-દેવા નથી, એની હાટુ તું જવાબદાર છે.”

5 અને ઈ મંદિરના ફળીયામાં સાંદીના સિકકા ફેકી દઈને બારે નીકળી ગયો અને એણે ગળા પાહો ખાધો.

6 તઈ મુખ્ય યાજકોએ ઈ રૂપીયા લયને કીધુ કે, “આ કોયની હત્યા કરવાની કિંમત છે, ઈ હાટુ એને ભંડારમાં નાખવા ઈ આપડા નિયમ પરમાણે હારું નથી.”

7 પછી તેઓએ નક્કી કરીને, પરદેશીઓને દાટવા હાટુ કુંભારનું ખેતર વેસાતું લીધું.

8 ઈ હાટુ આજ હુધી, ઈ ખેતર લોહીનું ખેતર કેવાય છે.

9 તઈ આગમભાખીયા યર્મિયાએ ઘણાય વખત પેલા કીધું હતું, ઈ વાત પુરી થય કે, તેઓએ સાંદીના ત્રીહ સિકકા લીધા, આ એની કિમંત છે, જેની કિંમત ઈઝરાયલ દેશના લોકો દ્વારા નક્કી કરવામાં આવી હતી.

10 અને જેમ પરભુએ મને હુકમ કરયો હતો, એમ જ કુંભારના ખેતરની કિંમત હાટુ તેઓએ ઈ સિકકા આપી દીધા.


પિલાત રાજ્યપાલનો ઈસુને પ્રશ્ન કરવો
( માર્ક 15:2-5 ; લૂક 23:3-5 ; યોહ. 18:33-38 )

11 જઈ ઈસુ રાજ્યપાલની આગળ ઉભો હતો, તઈ રાજ્યપાલે એને પુછયું કે, “શું તું યહુદીઓનો રાજા છો?” તઈ ઈસુએ એને કીધું કે, “તું પોતે જ કય રયો છો.”

12 જઈ મુખ્ય યાજકોએ અને વડીલોએ એની ઉપર આરોપ મુક્યા, છતાં પણ ઈસુએ કાય જવાબ દીધો નય.

13 તઈ પિલાતે એને કીધું કે, “તારા વિરુધ તેઓ કેટલી સાક્ષી આપે છે, ઈ શું તું નથી હાંભળતો?”

14 પણ એણે એને એકવાર પણ જવાબ દીધો નય, જેથી રાજ્યપાલને હોતન ઘણીય નવાય લાગી.


પિલાત ઈસુને મુક્ત કરવાની કોશીશમાં નિષ્ફળ
( માર્ક 15:6-15 ; લૂક 23:13-15 ; યોહ. 18:39-19:16 )

15 હવે રાજ્યપાલનો એવો રીવાજ હતો કે, ઈ તેવારમાં લોકો હાટુ એક કેદીને જેને તેઓ ઈચ્છતા હતાં, એને ઈ છોડી દેતો હતો.

16 ઈ વખતે પણ ઈસુ બારાબાસ નામનો એક પ્રખ્યાત કેદી હતો.

17 ઈ હાટુ જઈ ઈ લોકોનું ટોળું પિલાતની પાહે ભેગુ થયુ તઈ એણે તેઓને કીધું કે, “હું તમારે હાટુ કોને મુક્ત કરું? બારાબાસ કે ઈસુ જે મસીહ કેવાય છે એને?”

18 કેમ કે, ઈ જાણતો હતો કે, તેઓએ ઈર્ષાના કારણે ઈસુને પકડાવી દીધો છે.

19 જઈ પિલાત ન્યાયાસન ઉપર બેઠો હતો, તઈ એની બાયડીએ એને કાક મોકલાવ્યું કે, ઈ નિરદોષને કાય પણ કરતો નય કેમ કે, આજે મેં સપનામાં એની લીધે ઘણુંય દુખ ઉઠાવું છે.

20 પણ મુખ્ય યાજકોએ અને વડીલોએ લોકોને સડાવ્યા કે, તેઓ બારાબાસને છોડી દેવા માગે અને ઈસુને મારી નખાવે.

21 તો જઈ રાજ્યપાલે તેઓને પુછયું કે, “તમારા હાટુ હું કોને છોડી દવ, એના વિષે તમારી શું ઈચ્છા છે?” તઈ તેઓએ કીધું કે, “બારાબાસને છોડી દયો.”

22 પિલાતે ફરીથી તેઓને પુછયું કે, “ઈસુ જે મસીહ કેવાય છે, એનું હું શું કરું?” બધાય લોકોએ એને કીધું કે, “એને વધસ્થંભે સડાવો.”

23 તઈ એણે કીધુ કે, “શું કામ? એણે શું ગુનો કરયો છે?” પણ તઈ તેઓએ વધારેને વધારે રાડો પાડીને કીધું કે, “એને વધસ્થંભે સડાવો.”

24 પિલાતે જોયું કે, આમાં મારું વધારે કાય જ હાલતું નથી, પણ એના કરતાં વધારે બબાલ થાય છે, તઈ એણે પાણી લયને લોકોની આગળ પોતાના હાથ ધોયા અને કીધું કે, “ઈ નિરદોષના લોહી સબંધી હું નિરદોષ છું, ઈ તમે જ જાણો.”

25 તઈ બધાય લોકોએ જવાબ દીધો કે, એનું લોહી અમારે માથે અને અમારા છોકરાઓના માથે આવે.

26 પછી એણે તેઓની હાટુ બારાબાસને છોડી દીધો, અને ઈસુને કોરડા મરાવીને વધસ્થંભે જડવા હાટુ રોમન સિપાયોને હોપ્યો.


પિલાતના સિપાયો ઈસુની ઠેકડી કરે છે
( માર્ક 15:16-20 ; યોહ. 19:2-3 )

27 તઈ પછી રાજ્યપાલના સિપાયો ઈસુને મહેલમાં લય ગયા અને સિપાયોની આખી ટુકડી એની આજુ-બાજુ ભેગી થય.

28 પછી તેઓએ ઈસુના લુગડા ઉતારીને એક જાંબુડી રંગનો ઝભ્ભો પેરાવ્યો.

29 અને તેઓએ કાંટાનો મુગટ ગુથીને એના માથા ઉપર મુક્યો અને જમણા હાથમાં ધોકળની હોટી આપી અને એની હામે ઘુટણ ટેકવીને એની ઠેકડી કરતાં કીધું કે, “યહુદીઓના રાજાને સલામ!”

30 પછી એની ઉપર થુક્યા; અને પછી ધોકળની હોટી લયને માથા ઉપર ઘણીય વાર મારી.

31 જઈ તેઓએ ઠેકડી કરી લીધી, તો એની ઉપરથી જાંબુડી રંગનો ઝભ્ભો ઉતારી લીધો, અને એના જ લુગડા પેરાવ્યા, અને તઈ એને વધસ્થંભે જડવા હાટુ શહેરની બારે લય ગયા.


ઈસુનું વધસ્થંભ ઉપર મરણ
( માર્ક 15:21-32 ; લૂક 23:26-43 ; યોહ. 19:17-27 )

32 જઈ તેઓ શહેરથી બારે જાતા હતાં, તો કુરેન ગામનો સિમોન નામનો એક માણસ તેઓને મળ્યો, એની પાહે પરાણે તેઓએ ઈસુનો વધસ્થંભ ઉપડાવો.

33 ગલગથા નામની એક જગ્યા જે ખોપડીની જગ્યા કેવાય છે ન્યા તેઓ પૂગ્યા,

34 તઈ તેઓએ બોળ ભળેલો દ્રાક્ષારસ ઈસુને પીવા આપ્યો પણ એણે સાખ્યા પછી પીવાની ના પાડી.

35 તઈ તેઓએ એને વધસ્થંભે જડયો અને પછી તેઓએ છીઠ્ઠીઓ નાખીને એના લુગડા અંદરો અંદર વેસી લીધા.

36 પછી તેઓએ ન્યા બેહીને એનું ધ્યાન રાખુ.

37 એના ઉપર આરોપનામું લખીને એના માથાની ઉપરનાં ભાગે વધસ્થંભે તેઓએ લગાડયુ કે, “આ ઈસુ, જે યહુદીયાનો રાજા છે.”

38 તઈ તેઓએ એની હારે બે લુંટારાઓને એટલે, એકને એની જમણી બાજુ અને બીજાને ડાબી બાજુ વધસ્થંભે જડા.

39 અને મારગે જાવાવાળા પોતાનું માથું હલાવીને ઈસુની નિંદા કરતાં હતા.

40 વાહ રે! તું તો કેતો હતોને કે, “મંદિરને પાડી નાખય અને ત્રણ દીવસમાં એને પાછુ બાંધી લેય, તું પોતાની જાતને બસાવ! જો તું પરમેશ્વરનો દીકરો છો, તો વધસ્થંભ ઉપરથી ઉતરી આવ.”

41 ઈ જ રીતે મુખ્ય યાજકો પણ યહુદી નિયમના શિક્ષકો અને વડીલો હારે ઠેકડી ઉડાડતા કેતા હતા કે,

42 એણે બીજાઓને બસાવ્યા, પણ પોતાને બસાવી હક્યો નય. તું તો “ઈઝરાયલ દેશનો રાજા છે.” હમણાં જ વધસ્થંભ ઉપરથી ઉતરી આવ, જેથી અમે તારી ઉપર વિશ્વાસ કરી.

43 એણે પરમેશ્વરનો વિશ્વાસ રાખ્યો છે, જો ઈ એને ગમાડતો હોય, તો હમણા જ એને છોડાવે કેમ કે, એણે કીધુ હતું કે, “હું પરમેશ્વરનો દીકરો છું”

44 જે લુટારા એની હારે વધસ્થંભ ઉપર જડાયેલા હતા, એણે પણ એની આવી જ રીતે ઠેકડી ઉડાડી હતી.

45 બોપરથી લગભગ ત્રણ કલાક હુધી આખા દેશમાં અંધારું થય ગયુ.


ઈસુનું મરણ
( માર્ક 15:33-41 ; લૂક 23:44-49 ; યોહ. 19:28-30 )

46 લગભગ ત્રણ વાગે ઈસુએ મોટા અવાજે રાડ પાડીને કીધુ કે, એલોઈ, એલોઈ, લમા શબકથની એટલે કે, “હે મારા પરમેશ્વર! હે મારા પરમેશ્વર! તે મને કેમ મુકી દીધો છે?”

47 જેઓ ન્યા ઉભા હતા, એણે હાંભળ્યું, પણ તેઓ હમજી હક્યાં નય અને એકબીજાને કીધુ કે, “હાંભળો, ઈ આગમભાખનાર એલિયાને સ્વર્ગમાંથી પોતાની મદદ કરવા હાટુ બોલાવે છે.”

48 તરત એમાંથી એક માણસ ધોડ્યો, જેણે એક પન્સ લયને સરકામાં બોળીને હોટીની ટોસે બાંધી ઈસુને સુહાડુ.

49 પણ બીજાઓએ કીધુ કે, “રેવા દયો અને જોવો કે, એલિયા એને લોહી વહેવાથી બસાવવા આવે છે કે, નય.”

50 તઈ ઈસુએ ફરીવાર મોટા અવાજે રાડ પાડીને છેલ્લો સુવાસ લયને જીવ છોડ્યો.

51 તઈ જોવો, ઈ જે મોટો પડદો મંદિરમાં લટકેલો હતો, જે બધાયને પરમેશ્વરની હાજરીમાં અંદર આવતાં રોકતો હતો, ઉપરથી નીસે હુધી બે ભાગમાં ફાટી ગયો.

52 અને કબરો ઉઘડી ગયને લોકોના હુતેલા મડદા જીવી ઉઠયા.

53 અને એના મરેલામાંથી જીવતા ઉઠયા પછી તેઓ કબરોમાંથી નીકળીને યેરૂશાલેમ શહરમાં ગયા અને ઘણાઓને દેખાણા.

54 તઈ ફોજદાર અને એની હારે જેઓ ઈસુનું ધ્યાન રાખતા હતા, તેઓ ધરતીકંપ અને જે જે થયુ, ઈ જોયને બોવ બીય ગયા અને કીધું કે, “આ હાસુ છે કે, આ માણસ પરમેશ્વરનો દીકરો હતો.”

55 ન્યા ઘણીય બાયુ હતી, જેઓ ઈસુની સેવા કરતી ગાલીલ જિલ્લાથી એની પાછળ આવી હતી, તેઓ આઘેથી જોયા કરતી હતી.

56 તેઓમાં મગદલા શહેરની મરિયમ, યાકુબ અને યોસેની માં મરિયમ અને ઝબદીના દીકરાઓની માં હતી.


પરભુ ઈસુનું દફન
( માર્ક 15:42-47 ; લૂક 23:50-56 ; યોહ. 19:38-42 )

57 હાંજ પડી તઈ અરિમથાઈ શહેરનો એક રૂપીયાવાળો યુસુફ નામે માણસ, કે જે પોતે પણ ઈસુનો ચેલો હતો, ઈ આવ્યો.

58 ઈ પિલાત પાહે ગયો અને ઈસુની લાશ માંગી. તઈ પિલાતે હોપવાની આજ્ઞા આપી.

59 પછી યુસુફે લાશ લયને હારા ધોળા લુંગડામા વિટાળી.

60 અને એને પોતાની નવી કબરમાં મુકી, જે એણે મોટા પાણામાં પોતાની હાટુ ખોદાવી હતી, અને કબરના દરવાજા ઉપર મોટો પાણો ગબડાવીને વયો ગયો.

61 મગદલા શહેરની મરિયમ અને બીજી મરિયમ ન્યા કબરની હામે બેઠી હતી.


ઈસુની કબરની સોકી

62 બીજા દિવસે જે યહુદી લોકોના વિશ્રામવારના પછીનો દિવસ હતો, તઈ મુખ્ય યાજકો અને ફરોશી ટોળાના લોકોએ પિલાત પાહે ભેગા થયને કીધું કે,

63 ઓ ધણી, અમને યાદ છે કે, ઈ ઠગ જઈ જીવતો હતો, તઈ ઈ કેતો હતો કે, મારા મોતના ત્રણ દિવસ પછી હું પાછો જીવતો થાય.

64 ઈ હાટુ ત્રણ દિવસ હુંધી સિપાયને કબરની દેખરેખ રાખવાની આજ્ઞા આપવામાં આવે, કદાસ એવું નો થાય કે, એના ચેલાઓ આવીને એના મડદાને સોરી જાય, અને માણસો એમ કેય કે, મરેલામાંથી ઈ જીવતો થયો છે, તઈ છેલ્લો દગો પેલા દગા કરતાં મોટો થાહે.

65 તઈ પિલાતે તેઓએ કીધું કે, સોકીદારોને લય જાવ અને તમારાથી બની હકે એટલું ધ્યાન રાખો.

66 તઈ તેઓ સોકીદારોને હારે લયને ઈસુની કબર પાહે ગયા અને કબરના પાણા ઉપર મહોર લગાડી, જેથી એને કોય હટાવે નય, ફરી તેઓ કેટલાક સોકીદારોને કબરનું ધ્યાન રાખવા હાટુ ન્યા મુકી ગયા.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan