માથ્થી 24 - કોલી નવો કરારઈસુ દ્વારા મંદિરના નાશની આગાહી ( માર્ક 13:1-2 ; લૂક 21:5-6 ) 1 જઈ ઈસુ મંદિરમાંથી નીકળીને મારગે હાલતો હતો, તઈ એના ચેલાઓ મંદિરના બાંધકામો બતાવવા હાટુ એની પાહે આવ્યા. 2 તઈ ઈસુએ ચેલાઓને કીધું કે, “શું તમને આ બધુય નથી દેખાતું? હું તમને હાસુ કવ છું કે, એવો એક પણ પાણો ઈ બીજા પાણા ઉપર રેવા દેવાહે નય. આ બધુય નાશ કરવામાં આયશે.” મુશ્કેલીઓ અને સતાવણીઓ ( માર્ક 13:3-17 ; લૂક 21:7-19 ) 3 અને જઈ ઈસુ જૈતુનના ડુંગર ઉપર બેઠો હતો, તઈ એના ચેલાઓએ એકાંતમાં એની પાહે આવીને એને કીધું કે, ઈ અમને કે, “આ બધીય વાતો ક્યારે થાવાની છે? તારા આવવાની અને જગતના અંતની કાય નિશાની થાહે?” 4 તઈ ઈસુએ તેઓને જવાબ દીધો કે, સાવધાન રયો કે, તમને કોય દગો નો આપે. 5 કેમ કે, ઘણાય બધાય લોકો મારા નામનો ઉપયોગ કરીને આયશે. તેઓ કેહે કે, “હું મસીહ છું,” અને તેઓ ઘણાયને દગો આપશે. 6 તમે યુદ્ધો અને હુલ્લડો વિષે હાંભળો, તઈ ગભરાતા નય કેમ કે, ઈ બધુય થાવાનું જરૂરી છે, પણ એટલાથી જગતનો અંત નય આવે. 7 કેમ કે, એક જાતિના લોકો બીજી જાતિના લોકો ઉપર હુમલો કરશે અને એક રાજ્યના લોકો બીજા રાજ્યના લોકોની વિરુધમાં બાધશે, અને ઠેક ઠેકાણે દુકાળો પડશે અને ધરતીકંપ થાહે. 8 આ બધુય તો ખાલી મહા દુખની શરૂઆત હશે. 9 તઈ જે લોકો તમારો વિરોધ કરે છે; તેઓ તમને દુખ આપવા હાટુ પકડાયશે અને તમને મારી નાખશે કેમ કે, તમે મારા ઉપર વિશ્વાસ કરો છો, એની લીધે બધીય જાતિના લોકો તમારી ઉપર વેર રાખશે. 10 ઈ વખતે ઘણાય મારી ઉપર વિશ્વાસ કરવાનું બંધ કરી દેહે, અને એકબીજાનો વિરોધ કરશે અને વેર રાખશે. 11 ખોટા આગમભાખીયાઓ આગળ આયશે અને ઘણાય બધા લોકોને દગો દેહે. 12 અને પાપ વધવાના લીધેથી ઘણાય એકબીજા ઉપર પ્રેમ કરવાનું બંધ કરી દેહે. 13 પણ જે લોકો મોતની વખત હુધી મારી ઉપર વિશ્વાસ રાખશે; એને જ પરમેશ્વર તારણ દેહે. 14 બધી જાતિઓના લોકોને સાક્ષી થાવા હાટુ પરમેશ્વરનાં રાજ્યના હારા હમાસાર આખા જગતમાં પરચાર કરાહે, અને તઈ જ આખા જગતને અપનાવાનો અવસર મળશે, અને અંત આવી જાહે. ઉજ્જડ અને નુકશાનીની નિશાની ( માર્ક 13:14-23 ; લૂક 21:20-24 ) 15 ઈ હાટુ જઈ તમે ઈ નાશકારક ખરાબ વસ્તુ જેની વિષે દાનીયેલ આગમભાખીયાએ બોવ વખત પેલા કીધુ હતું કે, જઈ તમે એને પવિત્ર જગ્યાએ ઉભેલી જોહો. 16 તઈ જે લોકો યહુદીયા જિલ્લામાં હોય, તેઓ બસવા હાટુ ડુંગર ઉપર ભાગી જાય, 17 જે ધાબા ઉપર હોય, ઈ ઘરમાંથી પોતાનો સામાન લેવા હાટુ નીસે નો ઉતરે, 18 જે ખેતરમાં હોય, ઈ પોતાના લુગડા લેવા હાટુ ઘરે પાછો નો જાય. 19 ઈ દિવસોમાં જે ગર્ભવતી અને જે બાળકોને ધવડાવતી હોય તેઓને અફસોસ છે. 20 પણ તમારે ભાગવાનો વખત શિયાળામાં કે, વિશ્રામવારે નો થાય, ઈ હાટુ તમે પ્રાર્થના કરો. 21 કેમ કે, ઈ વખતે એવું મોટુ દુખ આયશે, એની જેવું જગતની શરૂવાતથી, તે હજી હુધી થયું નથી અને થાહે પણ નય, અને લોકો પાછા ક્યારેય દુખમાં પડશે નય. 22 જો ઈ દિવસો ઓછા કરવામાં નો આવત, તો કોય માણસ બસાવવામાં નો આવત, પણ ગમાડેલાની ખાતર ઈ દિવસોની સંખ્યા ઓછી કરવામાં આયશે. 23 ઈ વખતે જો કોય તમને કેય કે, “જોવ, મસીહ આયા છે!” કા “જોવ, ન્યા છે!” તો વિશ્વાસ નો કરતા. 24 કેમ કે, ખોટા મસીહ અને ખોટા આગમભાખીયાઓ આયશે, અને એવા મોટા સમત્કારો કરીને બતાયશે કે, જો થય હકે તો પરમેશ્વરે ગમાડેલા લોકોને પણ ઈ ભરમાવશે. 25 જોવો, આ બધીય ઘટના થયા પેલાથી, મે તમને આની વિષે બતાવ્યું છે. જેથી તમે મારા ચેલાઓ, સાવધાન રયો. 26 જો તેઓ તમને કેય કે, “જોવો, ઈ વગડામાં છે,” તો બારે નો જાતા અને કેય કે, જોવો ઈ ઓયડીમાં છે, તો વિશ્વાસ કરતાં નય. 27 કેમ કે, જેમ વીજળી ઉગમણેથી નીકળીને આથમણે હુધી સમકે છે, એમ જ માણસના દીકરાનું આવવાનું હોતન થાહે. 28 જ્યાં લાશ હોય ન્યા ગીધો ભેગા થાહે. માણસના દીકરાનું આવવું ( માર્ક 13:24-27 ; લૂક 21:25-28 ) 29 ઈ દિવસોમાં સંકટો પછી સુરજ તરત જ અંધકારરૂપ થાહે, અને સાંદો પોતાનું અંજવાળું નય આપે અને આભથી તારા ખરશે અને આભના પરાક્રમો હલાવી દેવામાં આયશે. 30 તઈ માણસના દીકરાની નિશાની આભમાં દેખાહે અને તઈ પૃથ્વી ઉપરનાં બધાય કુળો હોગ કરશે. માણસના દીકરાને બધાય પરાક્રમો અને મોટી મહિમા સહીત તેઓ આભના વાદળા ઉપર આવતો જોહે. 31 ઈ રણશીંગડાના મોટા અવાજો હારે પોતાના સ્વર્ગદુતોને આખી પૃથ્વીમાંથી પોતાના ગમાડેલા લોકોને ભેગા કરવા મોકલશે. અંજીરના ઝાડથી શિક્ષણ ( માર્ક 13:28-31 ; લૂક 21:29-33 ) 32 હવે અંજીર ઉપરથી હમજતા શીખો, જઈ એની ડાળુ કુણયુ હોય તઈ તમે જાણો છો કે, ઉનાળો પાહે આવ્યો છે. 33 એમ તમે પણ જઈ ઈ બધી વાતો થાતા જોવ, તઈ તમારે જાણવું કે, મારો આવવાનો વખત પાહે છે. 34 હું તમને હાસુ કવ છું કે, આ બધાય બનાવો પુરા નય થાય, ન્યા લગી આ પેઢીના માણસો નય મરે. વખત તો પરમેશ્વર જ જાણે છે ( માર્ક 13:32-37 ; લૂક 17:26-30 , 34-36 ) 35 આભ અને પૃથ્વીનો સદાય હાટુ નાશ થય જાહે, પણ મારા વચનો સદાય હાટુ રેહે. 36 પણ ઈ દિવસ અને ઈ વખત બાપ વગર કોય જ જાણતું નથી, આભમાંના સ્વર્ગદુતો નય, એમ જ માણસનો દીકરો હોતન જાણતો નથી. 37 જેમ નૂહના વખતમાં થયુ, એમ હું માણસના દીકરાનું પાછુ આવવું થાહે. 38 કેમ કે, જ્યાં હુધી જળપ્રલયની અગાવ નૂહ વહાણમાં નો સડી બેઠો, ઈ દિવસ હુંધી તેઓ ખાતા, પીતા, અને પવણતા, પવણાવતા હતા. 39 અને જ્યાં હુધી જળપ્રલય આવીને બધાયને તાણીને નો લય ગયુ, ન્યા હુંધી તેઓને કાય પણ ખબર નો પડી, એવી જ રીતે હું માણસના દીકરાનું આવવાનું પણ થાહે. 40 ઈ વખતે ખેતરમાં બે માણસ હશે, એક લેવાહે અને બીજો પડતો મુકાહે. 41 જ્યાં બે બાયુ, એક હારે દયણું દળતી હશે, તો એમાંથી એકને લય લેવાહે, અને બીજીને પડતી મુકાહે. 42 ઈ હાટુ તમે જાગતા રેજો કેમ કે, તમે જાણતા નથી કે, ક્યાં દિવસે તમારો પરભુ આયશે. 43 પણ ઈ જાણો કે, ઘરનો માલીક જો જાણતો હોત કે, ક્યા વખતે સોર આયશે, તો પછી માલીક સોરને એના ઘરનો કમાડ તોડીને ઘરવા નો દેત, તો ઈ જાગતો રેય. 44 ઈ હાટુ તમે પણ મારા પાછા આવવા હાટુ તૈયાર રેજો કેમ કે, માણસનો દીકરો તમે વિસારયું નય હોય એવા ટાણે આયશે. વફાદાર અને ખરાબ ચાકર ( લૂક 12:41-48 ) 45 એક વિશ્વાસી અને બુદ્ધિશાળી ચાકર ઈ હોય છે, જેને ઘરનો માલીક બીજા ચાકરોનું ધ્યાન રાખવા હાટુ કારભારી ઠરાવે છે અને માલીક તેઓને બરાબર વખતે ખાવાનું આપવાનું કેય છે, પછી ઈ લાંબી યાત્રાએ નીકળી જાય છે. 46 આશીર્વાદિત છે ઈ ચાકર જેને ઘરનો માલીક પાછો આવીને કામ કરતાં જોવે છે. 47 હું તમને હાસુ કવ છું કે, ઈ એને પોતાની બધી માલમિલકતનો કારભારી ઠરાયશે. 48 પણ જો કારભારી ખરાબ હોય અને પોતાના મનમા વિસારે કે, મારા માલીકને આવવાની બોવ વાર છે. 49 તો પછી ઈ બીજા ચાકરોને મારવા મંડશે અને દારુડીયાઓની હારે ખાવા પીવા મંડશે. 50 પછી ઈ ચાકરનો માલીક એવા વખતે આયશે, જઈ ઈ ચાકરે વિસારુ નય હોય કે, માલીક આયશે, 51 અને એને કઠોર સજા આપશે અને એનો ભાગ ઢોંગીઓની હારે ગણાયશે, ન્યા રોવું અને દાંતની સકીયું સડાવવી પડશે. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation