માથ્થી 10 - કોલી નવો કરારબાર ગમાડેલા ચેલાઓને અધિકાર આપવો ( માર્ક 3:13-19 ; લૂક 6:12-16 ) 1 ઈસુએ બાર ચેલાઓને પોતાની પાહે બોલાવીને મેલી આત્માઓને કાઢવાનો, અને હરેક જાતનો રોગ અને હરેક જાતના દુખો મટાડવાનો અધિકાર તેઓને આપ્યો. 2 તે બાર ગમાડેલા ચેલાઓના નામ આ પરમાણે છે, પેલો સિમોન, જે પિતર કેવાય છે, એનો ભાઈ આંદ્રિયા; ઝબદીનો દીકરો યાકુબ, અને એનો ભાઈ યોહાન, 3 ફિલિપ અને બર્થોલ્મી, થોમા અને માથ્થી જે દાણી હતો, અલ્ફીનો દીકરો યાકુબ અને થાદ્દી, 4 સિમોન કનાની, અને યહુદા ઈશ્કારિયોત, જેણે ઈસુને પકડાવ્યો હતો. ઈસુ દ્વારા ગમાડેલા ચેલાઓને સેવા હાટુ મોકલવા ( માર્ક 6:7-13 ; લૂક 9:1-6 ) 5 ઈસુએ બાર ચેલાઓને આ આજ્ઞા આપીને મોકલ્યા કે, તમે બિનયહુદીઓના મારગમાં નો જાવ, સમરૂન પરદેશના નગરમાં ઘરતા નય. 6 પણ એના કરતાં ઈઝરાયલ દેશના લોકો પાહે જાવ ઈ એવા ઘેટાંઓની જેવા છે જે સરાવનારથી ભટકી ગયા છે. 7 અને જાતા આ સંદેશો આપો કે, સ્વર્ગનું રાજ્ય પાહે આવી ગયુ છે. 8 માંદા લોકોને હાજા કરો; મરેલાને જીવતા કરો; કોઢિયાઓને શુદ્ધ કરો; અને મેલી આત્માઓને કાઢો. તમને મફતમાં મળ્યું છે અને તમે બીજાઓને મફત દયો. 9 પોતાનુ હોનું, રૂપું કે, સાંદી કડમાં બાંધેલુ નો રાખો. 10 મારગ હારું જોળી, બબ્બે ઝભ્ભા, જોડા કે, લાકડી પણ લેતા નય, કેમ કે, મજુરને પોતાનું ખાવાનું મળવું જોયી. 11 જે કોય શહેરમાં કે ગામમાં તમે જાવ, એમા લાયક હોય એની તપાસ કરો, અને ન્યાથી નીકળતા, ન્યા હુધી રયો. 12 અને ઘરમાં જાતી વખતે એને સલામ કહો. 13 અને જો તે ઘર લાયક હોય, તો તમારી શાંતિ એની ઉપર આયશે, પણ જો ઈ લાયક નય હોય, તો તમારી શાંતિ તમારી ઉપર પાછી આયશે. 14 “જે કોય તમને આવકારે નય, તો ઈ નગરમાંથી નીકળતા જ તેઓની વિરુધ સાક્ષી હાટુ તમારા પગની ધૂળ ખખેરી નાખો. કેમ કે, તેઓને આ સેતવણી દેવા હાટુ કે, પરમેશ્વર તરફથી આવનારા દંડના તેઓ પોતે જ જવાબદાર છે.” 15 હું તમને હાસુ કવ છું કે, ન્યાયના દિવસે ઈ શહેરની દશા સદોમ અને ગમોરા શહેરથી વધારે ભુંડી હશે. ઈસુ દ્વારા આવનાર કઠણાઈ વિષે સેતવણી ( માર્ક 13:9-13 ; લૂક 21:12-17 ) 16 જાવ, હું તમને ઘેટાની જેવા વરુઓના ટોળામાં મોકલું છું, ઈ હાટુ એરુની જેવા હોશિયાર અને કબુતરની જેવા ભોળા થાવ. 17 પણ તમે માણસોથી સાવધાન રયો કેમ કે, તમારા દુશ્મનો તમને કોરાટમાં લય જાહે અને તેઓના યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં તમને કોરડા મારશે. 18 તેઓને અને બિનયહુદીઓની હારે સાક્ષીને અરથે મારે લીધે, તમને રાજ્યપાલ હારે રાજાઓની આગળ તેઓની હારે અને બીજી જાતિઓ હાટુ સાક્ષી થાવા હાટુ હોપવામાં આયશે. 19 પણ જઈ તમને તેઓ પકડાયશે તઈ તમે ઉપાદી નો કરતાં કે, અમારે કય રીતે બોલવું; કેમ કે, શું બોલવું ઈ તમને ઈજ વખતે આપવામાં આયશે. 20 કેમ કે, જે બોલશે તે તમે નથી, પણ તમારા થકી પવિત્ર આત્મા બોલશે. 21 ઈ વખતે જે લોકો મારી ઉપર વિશ્વાસ નથી કરતાં ઈ એના ભાઈઓને પકડાયશે, જે મારી ઉપર વિશ્વાસ કરે છે એને મારી નાખશે, માં-બાપ પોતાનાં દીકરાની હારે પણ એવું જ કરશે. બાળકો માં બાપની હામે ઉઠીને તેઓને મરવી નાખશે. 22 તમે મારી ઉપર વિશ્વાસ કરો છો, ઈ હાટુ ઘણાય લોકો તમારી હારે વેર કરશે, પણ જે લોકો મોતની વખત હુધી મારી ઉપર વિશ્વાસ રાખશે એને જ પરમેશ્વર તારણ દેહે. 23 જઈ એક શહેરમાં તમને સતાવણી કરે, તઈ તમે બીજા શહેરમાં ભાગી જાવ કેમ કે, હું તમને હાસુ કહું છું કે, હું, માણસના દીકરાને આવવા પેલા, તમારામાંથી ઈઝરાયલ દેશના બધાય શહેરમાંથી પાછા ગયા પણ નય હોય. ચેલા થાવાનો અરથ 24 ચેલો પોતાના ગુરુ કરતાં મોટો નથી; અને ચાકર પણ પોતાના માલિક કરતાં મોટો નથી. 25 ચેલો પોતાના ગુરુ જેવો અને ચાકર પોતાના માલિક જેવો બની જાય એટલું ઘણુંય છે; જો ઘરધણીને તેઓ બાલઝબુલ શેતાન કીધો છે, તો એના ઘરનાં લોકોને એનાથી કેટલું વધારે તેઓ એમ જ કેહે! કોની બીક રાખવી? ( લૂક 12:2-7 ) 26 ઈ હાટુ એનાથી તમે બીતા નય કેમ કે, કોય પણ એવી વસ્તુ નથી, જે હતાડેલી રેહે, અને કોય પણ એવી વસ્તુ નથી જે હતાડી હકી. પણ બધુય ઉઘાડું કરાહે. 27 જે કાય પણ તમને અંધારામાં કેય છે, એને અંજવાળામાં કયો, અને જે કાનો કાન હાંભળતા હોય, એને સોરામાં જયને પરચાર કરો. 28 જે દેહને મારી હકશે, પણ આત્માને નાશ નથી કરી હકતા, એનાથી બીવોમાં; પણ પરમેશ્વરથી બીવો, જે આત્મા અને દેહ બેયને નરકમાં નાખી હકે છે. 29 જઈ એક પૈસામાં બે સકલીયો વેસાય છે, તો પણ તમારા બાપની ઈચ્છા વગર એમાંથી એક જમીન ઉપર પડનાર નથી. 30 પરમેશ્વર તમારા જીવનની દરેક પળોની ઉપાદી કરે છે, ઈ હોતન જાણે છે કે, તમારા માથાના કેટલા વાળ છે. 31 એટલે તમે બીવોમાં કેમ કે, ઘણીય સકલીયુ કરતાં તમે વધારે કિંમતી છો. ઈસુનો સ્વીકાર અને નકાર ( લૂક 12:8-9 ) 32 જો કોય મને માણસોની હામે કબુલ કરશે, ઈ મારો ચેલો છે, તો એને હું પણ મારા સ્વર્ગીય બાપની આગળ ચેલા તરીકે કબુલ કરય. 33 પણ જે કોય લોકોની હામે મારો નકાર કરશે, એનો હું પણ, મારા સ્વર્ગમાના બાપની હામે નકાર કરય. 34 શું તમે એમ માનો છો કે, હું જગતમાં શાંતિ લાવવા આવ્યો છું? નય, હું જગતમાં શાંતિ લાવવા નય પણ ભાગલા પાડવા આવ્યો છું. 35 કેમ કે, દીકરાને એના બાપથી, દીકરી એની માંથી, અને વહુને એની હાહુથી, વિરોધ કરાવવા હાટુ હું આવ્યો છું 36 માણસના દુશ્મનો તો એના પોતાના ઘરના જ લોકો હશે. 37 મારા કરતાં જે બાપ કા એની માં વતી પ્રેમ કરે છે, ઈ મારી લાયક નથી, અને જે દીકરી કા દીકરાને મારાથી વધારે વાલો માંને છે, ઈ મારો ચેલો બનવાને લાયક નથી. 38 અને જે મારો ચેલો બનવા પોતાનું વધસ્થંભ ઉસકીને દુખ સહન કરવા અને મરવા હાટુ તૈયાર નો રેય, ઈ મારો ચેલો બનાવને લાયક નથી. 39 જે પોતાનો જીવ બસાવવા માગે છે, ઈ એનો જીવ ગુમાયશે, અને જે મારે લીધે પોતાનો જીવ ગુમાયશે, ઈ પોતાનો જીવ બસાયશે. વળતર ( માર્ક 9:41 ) 40 “જે તમારો સ્વીકાર કરે છે, ઈ મારો પણ સ્વીકાર કરે છે, અને જે મારો સ્વીકાર કરે છે, ઈ મને મોકલનારનો પણ સ્વીકાર કરે છે. 41 જે માણસ આગમભાખીયાને નામે જે આગમભાખીયો માનીને સ્વીકાર કરે છે, ઈ આગમભાખીયા પરમાણે ફળ પામશે; જે ન્યાયી જાણીને ન્યાયીઓનો સ્વીકાર કરે છે, ઈ ન્યાયી પરમાણે ફળ પામશે. 42 હું તમને હાસુ કવ છું કે, જે મારા ચેલાઓમાંથી નાનામાં નાનાને એક પ્યાલો ટાઢું પાણી પીવડાયશે, ઈ પોતાનું સોક્કસ ફળ મેળવશે.” |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation