Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

લૂકની સુવાર્તા 17 - કોલી નવો કરાર


ઈસુ દ્વારા ચેલાઓને બીજુ કેટલુક શિક્ષણ
( માથ્થી 18:6-7 , 21-22 ; માર્ક 9:42 )

1 પછી ઈસુએ પોતાના ચેલાઓને કીધું કે, ઈ હાસુ છે કે, માણસો ઠોકર ખાયને પાપ કરે, એવુ થાહે પણ જે માણસને લીધે પરીક્ષણ પામે છે, એને અફસોસ!

2 “જે કોય આ નાનાઓમાંથી મારા ઉપર વિશ્વાસ કરે છે; તેઓમાંના એકને પણ કોય ઠોકર ખવડાવશે, તો એની હાટુ ઈ હારું હતું કે, એની ડોકે ઘંટીનું પડ બંધાય અને એને દરિયાના ઊંડાણમાં દુબાડવામાં આવત.”

3 ઈ હાટુ તમે જે કરો છો ઈ વિષે સાવધાન રયો! “જો તારો ભાઈ પાપ કરે, તો એને ઠપકો આપ કે, ઈ પસ્તાવો કરે, અને જો ઈ પસ્તાવો કરે તો તુ એને માફ કર.

4 જો તારો ભાઈ દિવસમાં હાત વાર પાપ કરે, અને હરેક વખતે તારી પાહે આવીને કેય કે, હું પસ્તાણો છું, તો તુ એને માફ કર.”


મજબુત વિશ્વાસ

5 ગમાડેલા ચેલાઓએ પરભુને કીધુ કે, “અમારા વિશ્વાસને હજી મજબુત કરો!”

6 પરભુએ કીધુ કે, જો તમે રાયના દાણા જેટલો થોડોક પણ વિશ્વાસ કરતાં હોય, તો તમે પેલા ઝાડવાને કીધુ હોત કે, તુ ઉખડીને ઓલા દરિયામાં રોપાય જા, તો ઈ તમારુ માની જાત.


ચાકરની ફરજ

7 જો તમારો ચાકર, જમીન ખેડયા પછી કા ઘેટા સરાવયા પછી, જઈ ઈ ખેતરેથી ઘરે આવે તઈ તમે એને એમ નય કેહો કે, “અંદર આવીને તરત ખાવા બેહી જા”

8 પણ તમે કેહો કે, મારા હાટુ ખાવાનું તૈયાર કર; અને જ્યાં હુધી હું ખાવા પીવાનું પુરું નો કરુ ન્યા હુધી તુ મારી સેવા કરવા હાટુ તૈયાર રે; પછી તુ હોતન ખાય લેજે.

9 જે કામ તમે તમારા ચાકરને કરવા હાટુ હોપ્યું છે ઈ કામ હાટુ તમે એનો આભાર માનશો નય.

10 એવી જ રીતે, તમને જે બધુય કામ કરવાની આજ્ઞા આપી છે, ઈ બધુય કામ તમે કરયુ છે, તઈ તમારે એમ કેવું જોયી કે, અમે નકામાં ચાકર છયી, કેમ કે જે કામ અમારે કરવાનું હતું ઈ જ કરયુ છે.


દસ રક્તપિતયાઓ શુદ્ધ કરવા

11 જઈ ઈસુ અને એના ચેલાઓ યરુશાલેમને તરફ જાતા મારગમાં હાલતા હતાં, તેઓ સમરૂન પરદેશ અને ગાલીલ જિલ્લામાં થયને નીકળા.

12 જેમ ઈસુ એક ગામમાં ગયો, ન્યા એની હામે દસ કોઢિયા માણસ આવ્યા, પણ તેઓ એનાથી થોડા આઘા ઉભા રયા.

13 અને ઈ માણસોએ છેટા ઉભા રયને, રાડો પાડીને કીધુ કે, “હે ઈસુ, સ્વામી, અમારી ઉપર દયા કર!”

14 અને ઈસુએ ઈ માણસોને જોયને કીધુ કે, “તમે તમારા દેહને યાજકોની પાહે જયને દેખાડો જેથી ઈ જોય હકે અને એમ થયુ કે, મારગમાં હાલતા જ તેઓ હાજા થય ગયા.”

15 પછી તેઓમાના એક માણસે જોયુ કે, ઈ હાજો થયો છે, તઈ ઈ ઈસુ પાહે પાછો ગયો, અને મોટા અવાજે પરમેશ્વરની સ્તુતિ કરી.

16 ઈ ઈસુની પાહે આવીને જમીન ઉપર ઈસુના પગે પડી ગયો, અને એણે એનો આભાર માન્યો; અને ઈ માણસ સમરૂન પરદેશનો વતની હતો.

17 આ વિષે ઈસુએ કીધુ કે, “શું મે દસ માણસોને શુધ્ધ કરયા નોતા? તો બાકીના નવ ક્યા છે?

18 આ એક જ બિનયહુદી માણસ હતો; જે પરમેશ્વરનો આભાર માનવા હાટુ પાછો આવ્યો! એની સિવાય બીજો કોય પાછો આવ્યો નય!”

19 પછી ઈસુએ એને કીધુ કે, “ઉભો થયને વયો જા; તુ બસાવામાં આવ્યો છો કેમ કે, તે મારી ઉપર વિશ્વાસ કરયો કે, હું તને બસાવી હકુ છું.”


પરમેશ્વરનાં રાજ્યનું આવવું
( માથ્થી 24:23-28 , 37-41 )

20 એક દિવસ કેટલાક ફરોશી ટોળાના લોકોએ ઈસુને પુછયું કે, “પરમેશ્વરનું રાજ્ય ક્યારે આયશે?” તઈ ઈસુએ જવાબ આપ્યો કે, પરમેશ્વરનું રાજ્ય કાય એવુ નથી કે, જેને તમે એક ઘટના રીતે જોય હકો છો.

21 અને લોકો કેહે પણ નય કે, જોવો, આયા પરમેશ્વરનું રાજ્ય છે, કા ન્યા છે! “કેમ કે, પરમેશ્વરનું રાજ્ય તો તમારામા જ છે.”

22 પછી ઈસુએ પોતાના ચેલાઓને કીધું કે, “એવો વખત આવે છે, તઈ માણસના દીકરાના દિવસોમાંના એકને તમે જોવા ઈચ્છો તો પણ જોય હકશો નય.”

23 લોકો તમને કેહે કે, “જોવો, મસીહ ન્યા છે.” પણ ઈ હાંભળીને તમે ક્યાય જાતા નય, અને એની વાહે હાલતા નય.

24 કેમ કે, જેમ આભમાં વીજળી સમકે છે, અને એક દિશાથી બીજી દિશા હુધી અંજવાળું થાય છે, એમ જ માણસના દીકરાનું આવવાનું પણ થાહે.

25 પણ ઈ પેલા માણસના દીકરાને ઘણુય દુખ સહન કરવુ પડશે, અને આ પેઢીના માણસો એને ગમાડશે નય.

26 જેમ નૂહના વખતમાં થયુ, એમ હું માણસના દીકરાનું પાછુ આવવું થાહે.

27 નૂહ વહાણમાં સડયો, અને જળપ્રલય આવ્યું અને જે વહાણમાં નોતા ઈ બધાયનો વિનાશ કરયો ઈ દિવસ હુંધી તેઓ ખાતા, પીતા, અને પવણતા, પવણાવતા હતા.

28 એવી જ રીતે, જેમ અમારા વડવો લોત, જે સદોમ શહેરમાં રેતો હતો, એના વખતે હોતન એવુ જ થયુ હતું, જઈ પરમેશ્વરે સદોમનો નાશ કરયો, ન્યા હુંધી પેલા માણસો ખાતા-પીતા, લેતી-દેતી કરતાં, વાવતા અને ઘર બનાવતા હતાં;

29 જઈ લોતે સદોમ શહેર છોડયું, તઈ ગંધક અને આગ આભમાંથી વરહા, અને બધાય માણસો જે શહેરમાં હતાં તેઓનો નાશ કરયો.

30 એવી જ રીતે જઈ હું માણસના દીકરાનું આવવાનું થાહે, તઈ લોકો તૈયારી વગરના હશે.

31 ઈ દિવસે જે ધાબા ઉપર હોય, ઈ ઘરમાંથી પોતાનો સામાન લેવા નીસે નો ઉતરે, જે ખેતરમાં હોય, ઈ પોતાના લુગડા લેવા, ઘરે પાછો નો જાય.

32 યાદ કરો કે, લોતની બાયડીની હારે શું થયુ હતું?

33 જે કોય પોતાનો જીવ બસાવવાનું ઈચ્છે છે, ઈ ગુમાયશે, અને જે કોય માણસ પોતાનો જીવન ગુમાવશે, એને બસાવામાં આયશે.

34 હું તમને કવ છું કે, જઈ હું ફરીથી આવય, ઈ વખતે બે માણસ એક જ પથારીમાં હુતા હશે, તો એક માણસને લય લેવાહે બીજા માણસને પડતો મુકાહે.

35 જ્યાં બે બાયુ, એક હારે દયણું દળતી હશે, તો એમાંથી એકને લય લેવાહે, અને બીજીને પડતી મુકાહે.

36 ખેતરમાં બે માણસ હશે, એમાંથી એકને લય લેવાહે, અને બીજાને પડતો મુકાહે.

37 ચેલાઓએ ઈસુને પુછયું કે, પરભુ! આ ક્યા થાહે? ઈસુએ જવાબ આપ્યો કે, “જ્યાં લાશ હોય, ન્યા ગીધો ભેગા થાહે જ.”

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan