Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ફિલિપ્પીઓને પત્ર 4:9 - કોલી નવો કરાર

9 જે વાતો તમે મારાથી સીખી, મેળવી, હાંભ્ળી અને મારામાં જોય, ઈ વાતોનું પાલન કરો, તઈ શાંતિનો પરમેશ્વર તમારી હારે રેહે.

See the chapter Copy




ફિલિપ્પીઓને પત્ર 4:9
36 Cross References  

“જોવ, એક કુવારી ગર્ભવતી થાહે અને ઈ દીકરાને જનમ દેહે, અને એનુ નામ ઈમ્માનુએલ રાખવામાં આયશે” જેનો અરથ ઈ છે કે, પરમેશ્વર આપડી હારે છે.


અને મે તમને જે જે આજ્ઞાઓ આપી છે, ઈ બધી પાળવાનું તેઓને શીખવતા જાવ, અને યાદ રાખો અને જોવ, જગતના છેલ્લા વખત હુધી હું તમારી હારે છું.”


જે મને “હે પરભુ! હે પરભુ!” કેય છે, તેઓમાના બધાય સ્વર્ગના રાજ્યમાં જાહે નય, પણ જેઓ મારા બાપની ઈચ્છા પુરી કરે છે, તેઓ જ જાહે.


ઈસુએ ઈ લોકોને કીધુ કે, જઈ તમે મારું કેવું માનતા નથી તો તમે મને હે પરભુ! હે પરભુ! હુકામ કયો છો?


પણ એણે એને જવાબ દીધો કે, “આ જેઓ પરમેશ્વરની વાત હાંભળે છે અને પાળે છે, ઈ મારી માં અને ભાઈઓ છે.”


જઈથી હવે તમે ઈ વાત જાણો છો કે, જો તમે આવું કરો, તો પરમેશ્વર તમારી ઉપર બોવ રાજી થાહે.


જે કાય હું તમને આજ્ઞા આપું છું, જો એને તમે માનો તો હું તમારો મિત્ર છું


પણ ઈસુની માંએ ચાકરોને કીધું કે, “જે કાય ઈ તમને કેય, ઈ કરો.”


પણ તુ હવે ઉભો થા અને શહેરમાં જા અને ન્યા તારે શું કરવાનું છે, ઈ તને કોય કેહે.”


હું પ્રાર્થના કરું છું કે, પરમેશ્વર, શાંતિ દેનાર તમારી બધાયની હારે રેય. આમીન.


શાંતિનો પરમેશ્વર જલ્દીથી શેતાનની તાકાતને નાશ કરીને એને તમારી આધીન કરી દેહે. આપડા પરભુ ઈસુ મસીહની કૃપા તમારી ઉપર થાતી રેય.


છેલ્લે, હું તમને ઈ કેવા માગું છું કે, તમારી ઈચ્છા હોય તો ખાવો, પીવો, અને જે કાય કરો પરમેશ્વરની મહિમા હાટુ કરો.


કેમ કે, પરમેશ્વર અવ્યવસ્થાના નથી, મેળ કરાવવા અને શાંતિનો પરમેશ્વર છે, આજ નિયમ પરમેશ્વરનાં લોકોની દરેક મંડળીઓમાં પાલન કરવામાં આવે છે.


ઈ હાટુ હું વિનવણી કરું છું કે, મારા નમૂના પરમાણે કરો.


છેલ્લે વિશ્વાસી ભાઈઓ અને બહેનો, રાજી રયો, સિદ્ધ બનતા જાવો, અને મારી સલાહને હાંભળો, એક જ મન રાખો, મેળ રાખો અને પ્રેમ અને શાંતિનો દાતાર પરમેશ્વર તમારી હારે રેહે.


વિશ્વાસી ભાઈઓ અને બહેનો! તમે બધાય મારાં વહેવારનું અનુસરણ કરો અને અમે જે નમૂનો તમને આપી છયી; ઈ પરમાણે જે લોકો હાલે છે એની ઉપર લક્ષ રાખો.


તઈ પરમેશ્વર તમને શાંતિ આપશે, ઈ શાંતિ લોકોની હમજથી ઘણીય વધારે છે, જે તમારુ હ્રદય અને વિસારોને મસીહ ઈસુમાં હાસવી રાખશે.


તમે ઘણાય દુખમાં હતાં તો પણ તમે પવિત્ર આત્મા દ્વારા આપેલા સંદેશાનો આવકાર કરીને તમે, અમારી અને પરભુ ઈસુ મસીહની જેમ જીવન જીવ્યા.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે પરમેશ્વરની ઈ મંડળીના પરમાણે હાલો છો જે યહુદીયા પરદેશમા ઈસુ મસીહમા છે કેમ કે, જેમ તેઓએ યહુદી લોકો તરફથી દુખ સહન કરયુ છે, એમ તમે પણ પોતાના જાતિના લોકો તરફથી એવા જ દુખ સહન કરયા છે.


હવે શાંતિનો પરમેશ્વર પોતે તમને પુરી રીતે પવિત્ર કરે આપડા પરભુ ઈસુ મસીહના પાછા આવતાં હુંધી તમારો આત્મા અને પ્રાણ અને દેહ પુરેપુરી રીતેથી નિરદોષ રાખવામાં આવે.


અને અમને પરભુમાં તમારી ઉપર ભરોસો છે કે, અમે તમને જે આજ્ઞા આપી છે, ઈ તમે પાલન કરો છો અને પાળતા રેહો.


હું પ્રાર્થના કરું છું કે, પરભુ તારી હારે રેય, અને એની કૃપા તમારા બધાય ઉપર થાતી રેય. આમીન.


પરમેશ્વરનાં વચનને ખાલી હાંભળનારા બનીને પોતાની જાતને દગો નો આપો, પણ વચનને માનનારા બનો.


ઈજ કારણે ભાઈઓ, તમે પોતાને અને બીજા લોકોને ઈ બતાવવા હાટુ હજી હારો વ્યવહાર કરવા હાટુ કઠણ પ્રયત્ન કરો કે, પરમેશ્વરે તમને ખરેખર ગમાડયા છે અને તમને પોતાના લોકો થાવા હાટુ બોલાવ્યા છે. જો તમે એવુ કરશો તો પાક્કી રીતે પરમેશ્વરથી જુદા નય થાવ.


જે કાય પરમેશ્વર પાહેથી માંગી છયી, ઈ આપણને એની પાહેથી મળે છે કેમ કે, આપડે એની આજ્ઞાઓને માની છયી, અને અમે ઈ જ કરી છયી જે એને ગમે છે.


Follow us:

Advertisements


Advertisements