તેઓએ આ રાજીથી કરયુ છે, અને ઈ યરુશાલેમ શહેરના રહેવાસી લોકોના લેણદાર છે કેમ કે, બિનયહુદીઓને યરુશાલેમ શહેરના રહેવાસી વિશ્વાસુઓથી હારા હમાસારના આત્મિક આશીર્વાદો પ્રાપ્ત કરયા, ઈ હાટુ તેઓને લાગે છે કે, એના બદલામાં તેઓ ઓછામાં ઓછુ એની રૂપીયાની જરૂરિયાત પુરી કરી હકે.
તમે કેદીઓના દુખોમાં પણ ભાગીદાર થ્યા અને જઈ તમારી મીલક્ત જપ્ત કરી લીધી, ઈ વખતે તમે ઈ ખોટને રાજીથી સહન કરી, કેમ કે તમે જાણતા હતા કે એનાથી પણ વધારે હારી મિલકત સદાય હાટુ સ્વર્ગમાં છે જેનો પરમેશ્વરે વાયદો કરયો છે.