Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ફિલિપ્પીઓને પત્ર 2:8 - કોલી નવો કરાર

8 અને માણસના રૂપમાં પરગટ થયને પોતાની જાતને નમ્ર કરી, પરમેશ્વરની આજ્ઞાને આધીન થયને વધસ્થંભના મરણને સહન કરયુ.

See the chapter Copy




ફિલિપ્પીઓને પત્ર 2:8
26 Cross References  

અને તેઓની હામે એનું આખું રૂપ બદલાય ગયુ એટલે એનું મોઢું સુરજના જેવું તેજસ્વી થય ગયુ, એના લુગડા ઉજળા થય ગયા.


પછી ઈસુએ આઘે જયને જમીન ઉપર ઉંધે મોઢે થયને પ્રાર્થના કરી કે, “ઓ મારા બાપ, થય હકે તો આ પ્યાલો મારાથી આઘો હટાવી લે, તો પણ મારી ઈચ્છા પરમાણે નય પણ તારી ઈચ્છા પરમાણે થાય.”


વળી ઈસુએ બીજીવાર જયને પ્રાર્થના કરી કે, “ઓ મારા બાપ, આ પ્યાલો મારા પીધા વગર આઘો નો થય હકે; તો તારી ઈચ્છા પરમાણે થાય.”


હવે એમ થયુ કે, જઈ ઈસુ પ્રાર્થના કરતો હતો તઈ એના મોઢાનું રૂપ બદલાય ગયુ. અને એના લુગડા બોવ જ ઉજળા થય ગયા.


કોય પણ મારો જીવ મારી પાહેથી લય હકતો નથી, પણ હું મારી મરજીથી એને આપું છું મને એને આપવાનો અધિકાર છે, અને પાછો લય લેવાનો પણ અધિકાર છે. કેમ કે, આ ઈજ આજ્ઞા છે જે મને મારા બાપ પાહેથી મળી છે.


પણ જગતના લોકો જાણે કે, હું બાપને પ્રેમ કરું છું, અને એવુ જ કરું છું જેવી મારા બાપ મને આજ્ઞા દીધી છે, ઉઠો, આયથી આપડે હવે જાયી.”


જો તમે મારી આજ્ઞાને માનશો, તો મારા પ્રેમમાં જોડાયેલા રેહો, જેવો કે મે મારા બાપની આજ્ઞાને માની છે, અને એના પ્રેમમાં જોડાયેલો રવ છું


ઈસુએ તેઓને કીધું કે, પરમેશ્વરની ઈચ્છા ઉપર હાલવાનું, અને એના કામોને પુરા કર, આજ મારું ખાવાનું છે.


એનુ અપમાન કરવામા આવ્યું, એને કાય ન્યાય મળ્યો નય, કોય પણ એના વંશની વિષે નય બતાડી હકે કેમ કે, એના વંશ થવાની પેલા જ એને મારી નાખવામાં આયશે.”


કેમ કે, જેમ એક માણસના આજ્ઞા નો પાળવાથી બોવ બધાય લોકો પાપી ઠરયા, એમ જ એક માણસના આજ્ઞા પાળવાથી બોવ બધાય લોકો પરમેશ્વરની હારે હાસા ઠરશે.


તમે આપડા પરભુ ઈસુ મસીહની કૃપા જાણો છો કે, તેઓ તો રૂપીયાવાળા હોવા છતાં તમારી હાટુ ગરીબ બન્યા કે, જેથી તમે એની ગરીબીના કારણે રૂપીયાવાળા બનો.


પણ મસીહે આપણને ઈ હરાપથી બસાવ્યા છે, જે શાસ્ત્ર લાવે છે. જઈ વધસ્થંભ ઉપર મસીહનું મોત થયુ, તો એણે આપડા પાપોની હાટુ પોતાની ઉપર હરાપને લય લીધા. કેમ કે, શસ્ત્રમાં લખ્યું છે કે, “જે કોય પણ વધસ્થંભ ઉપર મરી જાય તે હરાપિત છે.”


પરભુ ઈસુ મસીહે, પોતાની જાતનુ બલિદાન આપણને બસાવા હાટુ આપી દીધુ; જેથી આપડે બધાય પાપથી સ્વતંત્ર થય જાયી અને આપડે નૈતિક રીતે શુદ્ધ થય હકી, જેથી આપડે એના બોવ ખાસ માણસો બની જાયી, જે હારા કામો કરવાને મોટી ઈચ્છા રાખતા હોય.


આપડે આપડા વિશ્વાસમાં આગેવાની કરનારા અને સિદ્ધ કરનારા ઈસુની તરફ લક્ષ્ય રાખી. ભવિષ્યનો આનંદ મેળવવા હાટુ, ઈ શરમને તુચ્છ ગણીને એની સીંતા કરયા વગર વધસ્થંભનુ દુખ સહન કરીને મરી ગયો, અને ઈ સ્વર્ગમાં પરમેશ્વરનાં રાજ્યની જમણી બાજુ બેહી ગ્યો છે.


તમારે હજી હુધી પાપનો વિરોધ કરવા હાટુ લોહી વહેડાવું પડયું નથી.


એણે પોતે પોતાના દેહમાં આપડા પાપોની હાટુ સજા ભોગવી, જઈ ઈ વધસ્થંભ ઉપર મરી ગયો, જેથી આપડે પાપ કરવાનું છોડીને હાસી રીતે જીવવાનું શરુ કરી. કેમ કે, તેઓએ એને મરણતોલ કરી દીધો પરમેશ્વરે તમને હાજા કરયા છે.


હું આવું ઈ હાટુ કવ છું કેમ કે, મસીહ એક વખત ઈ લોકો હાટુ મરી ગયો, જેણે પાપ કરૂ. ઈ એક ન્યાયી માણસ હતો જે અન્યાયી લોકો હાટુ મરી ગયો. ઈ હાટુ મરી ગયો, જેથી ઈ આપણને પરમેશ્વરની પાહે લય જાય. જે વખતે એની પાહે સામાન્ય દેહ હતો ઈ મારી નખાણો, પણ પવિત્ર આત્માએ એને ફરીથી જીવતો કરી દીધો.


Follow us:

Advertisements


Advertisements