Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ફિલિપ્પીઓને પત્ર 2:2 - કોલી નવો કરાર

2 તો પછી તમે એક જ મનના થાવ, એક હરખો પ્રેમ રાખો, એક જીવના અને એક હેતુથી એક આત્માના થાવ અને મારો આનંદ આવી રીતે પુરો કરો.

See the chapter Copy




ફિલિપ્પીઓને પત્ર 2:2
28 Cross References  

જેને કન્યા છે એને જ વર છે; પણ વરનો જે મિત્ર ઉભો રયને એનુ હાંભળે છે, ઈ વરના શબ્દોથી બોવ આનંદ પામે છે; ઈ હાટુ મારો ઈ આનંદ પુરેપુરા થયો છે.


તેઓ સદાય ઈ જગ્યા ઉપર પ્રાર્થના કરવા ભેગા થાતા હતાં, ન્યા બાયુ હોતન હતી, જેણે ઈસુની મદદ કરી હતી અને ઈસુની મા મરિયમ હોતન ઈસુના ભાઈઓની હારે બધાય એક મનના થયને પ્રાર્થના કરતાં હતા.


યહુદી લોકોના પસાસમાના તેવારના દિવસે, તેઓ બધાય એક જગ્યાએ ભેગા થયા હતા.


ઈ દરોજ એક મનના થયને મંદિરમાં ભેગા થતા હતાં, અને ઘરે ઘરે પરભુ ભોજન લેતા અને ઉદાર મનથી રાજી થયને હારે હળી મળીને ખાતા.


ગમાડેલા ચેલાઓ દ્વારા સમત્કાર અને અદભુત કામો લોકોને બતાવવામાં આવતાં હતાં, અને બધાય વિશ્વાસી લોકો એક મનના થયને સુલેમાનના ઓસરી; જે મંદિરના ફળીયામાં હતી ન્યા ભેગા થાતા.


અંદરો-અંદર એક મનના થાવ; અભિમાન નો કરો, પણ સામાન્ય લોકો હારે સંગત રાખો. તમે જ બુદ્ધિમાન સો એવુ નો હંમજો.


મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું તમારામાંથી આપડા પરભુ મસીહ ઈસુના નામમાં તમને એવું કરવા આવકારૂ છું જેમ કે, એક જ વિસાર રાખીને અને એક જ હેતુની હારે એકબીજાની હારે હું એક મન અને એક મત સ્થાપિત કરવા વિનવણી કરું છું


છેલ્લે વિશ્વાસી ભાઈઓ અને બહેનો, રાજી રયો, સિદ્ધ બનતા જાવો, અને મારી સલાહને હાંભળો, એક જ મન રાખો, મેળ રાખો અને પ્રેમ અને શાંતિનો દાતાર પરમેશ્વર તમારી હારે રેહે.


અને તઈ હું ઈ વાતોને લીધે આ પત્ર તમને લખુ છું કે, ન્યા એવુ નો થાય કે, મારા આવવાથી, જેનાથી મને ખુશી મળવી જોયી, હું તેઓથી દુખી થય જાવ, કેમ કે મને તમારી બધાય ઉપર આ વાતોનો ભરોસો છે કે, જે મારી ખુશી છે, ઈ જ તમારી બધાયની પણ છે.


ખાલી એના આવવાથી જ નય પણ તિતસને તમારી તરફથી જે દિલાસો મળ્યો હતો એનાથી પણ, એણે તમારી ઈચ્છા, તમારા દુખ, અને મારી હાટુ તમારી દેખભાળની વિષે હમાસાર આપણને હંભળાવ્યા, જેનાથી હું બોવ રાજી થયો.


અને આનંદથી અમારી દરેક પ્રાર્થનાઓમા તમારા બધાય હાટુ સદાય પરમેશ્વર પાહે મદદની વિનવણી કરી છયી.


જેથી જઈ મસીહ પાછો આયશે, તઈ મારે અભિમાન કરવાનું કારણ થાહે કે, હું નકામું ધોડ્યો નથી અને મે નકામી મેનત કરી નથી.


કેમ કે, મારી પાહે એવો બીજો કોય પણ નથી, જે તિમોથીની જેમ સોખા મનથી તમારા ઉપકારના લીધે હરખી રીતે કાળજી રાખે.


હું યુઓદિયા અને સુન્તુખે બેય બહેનોને વિનવણી કરું છું કે, તેઓ બેય પરભુમાં એક મનની થાય.


કેમ કે, તમારાથી હું આઘો છું, તો પણ હું તમારા વિષે વિચારતો રવ છું, અને હું ઈ જોયને બોવ રાજી છું કે, તમે એક હારે થયને એમ જ જીવો છો જેમ તમારે જીવવું જોયી અને મસીહમા તમારો વિશ્વાસ મજબુત છે.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમારે સદાય તમારા હાટુ પરમેશ્વરનો આભાર માનવો જોયી કેમ કે, પરમેશ્વરે જગત બનાવ્યા પેલા જ તમને ગમાડી લીધા હતા, જેથી તમે હાસાય ઉપર વિશ્વાસ કરીને પવિત્ર આત્મા દ્વારા પવિત્ર બનીને તારણ મેળવો.


અને જઈ મારે તને છોડીને જાવું પડયું હતું, તઈ તુ કેવી રીતે રોતો હતો ઈ યાદ કરીને, ફરીથી તને મળવાની ઈચ્છા થાય છે કે, તને મળીને હું હરખથી ઉભરાય જાવ.


હે વાલા મિત્ર, આ આનંદ મને મસીહમા તારાથી મળે, એક સાથી વિશ્વાસીના રૂપમાં એવુ કરીને મને રાજી કર.


હું બોવ રાજી થયો, જઈ મે હાંભળૂ કે, તારા થોડાક સંતાનો ઈ હાસાયનું પાલન કરીને જીવી રયા છે, જેણે આપડા પોતાના પરમેશ્વર બાપે આપણને કરવાનો હુકમ આપ્યો છે.


જઈ પણ હાંભળુ છું કે, ઈ લોકો જે મારા બાળકો જેવા છે, ઈ એવી રીતે જીવે છે, જે ખરેખર પરમેશ્વરે આપણને દેખાડયું છે. આ મને હજી પણ વધારે રાજી કરે છે.


Follow us:

Advertisements


Advertisements