Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ફિલિપ્પીઓને પત્ર 1:10 - કોલી નવો કરાર

10 જેથી બધાયથી હારી વાતો પારખી હકો આવી રીતે તમે બધાય લોકો મસીહના પાછા આવવાના દિવસ હુધી ઈમાનદાર અને નિરદોષ રય હકો.

See the chapter Copy




ફિલિપ્પીઓને પત્ર 1:10
43 Cross References  

પણ એણે પાછા ફરીને પિતરને કીધુ કે, “શેતાનની જેમ મને પારખવાનું બંધ કર, તું મારી હાટુ ઠોકરનું કારણ છે કેમ કે, તું પરમેશ્વરની વાતો ઉપર નય, પણ માણસોની વાતો ઉપર મન લગાડ છો.”


તઈ આ વાત ઉપર પિતરે એને જવાબ દીધો કે, “જો બધાય તને છોડી દેહે અને ભાગી જાહે, પણ હું નય ભાગું.”


ઈસુ નથાનિએલે પોતાની પાહે આવતો જોયને એના વિષે કીધું કે, “જોવ ખરેખર ઈઝરાયલ દેશનો છે; જે પુરી રીતે હાસો માણસ છે.”


બધાય જેવા ખરાબ કામો કરે છે તેઓ અંજવાળાને નકારે છે, અને ઈ અંજવાળાની પાહે નથી આવતો જેથી એનુ કામ ખુલુ (જાહેર) નો થાય.


એનાથી હું પોતે કોશિશ કરું છું કે, પરમેશ્વર અને માણસની નજરમાં મારૂ મન સદાય નિરદોષ રેય.


આ જગતના રીતી-રિવાજોનું અનુસરણ નો કરો, પણ પોતાના મનને પુરેપુરા પરિવર્તન દ્વારા તમારો વ્યવહાર પણ બદલતો જાય, જેથી તમે પરમેશ્વરની હારી અને ગમતી, અને પુરેપુરી ઈચ્છા જાણી હકો.


બીજાને ઢોંગ કરયા વગર પ્રેમ કરો, જે ભુંડુ છે એને ધિક્કારો, અને જે હારુ છે, એને સદાય કરતાં રયો.


મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું તમને વિનવણી કરું છું કે, જે લોકોના કારણે બીજા લોકોનો વિશ્વાસ મટી જાય છે, કે ખોટી વાતો ઉપર વિશ્વાસ કરે છે, એનાથી સાવધાન રયો અને એનાથી આઘા રયો.


તમે જાણો છો કે, પરમેશ્વર તમારાથી શું કરાવવા માગે છે અને તમે જાણો છો કે, શું હાસુ છે કેમ કે, તમને મૂસાના નિયમશાસ્ત્રમાંથી શીખવાડયુ છે.


અને જે, હું નથી ઈચ્છતો ઈ જ ખરાબ કામો હું કરું છું, તો હું માનીલવ છું કે, નિયમશાસ્ત્ર હારું છે.


કેમ કે, હું મારા પુરા હૃદયથી તો પરમેશ્વરનાં નિયમશાસ્ત્રથી વધારે રાજી રવ છું


કેમ કે, પાપીલા સ્વભાવ દ્વારા કાબુમાં રેવું પરમેશ્વરથી વેર રાખવું છે કેમ કે, નો ઈ પરમેશ્વરનાં નિયમશાસ્ત્રને આધીન છે, અને એના નિયમોનું પાલન નથી કરી હક્તા.


પરમેશ્વર તમને છેલ્લે હુધી વિશ્વાસમાં મજબુત કરશે કે, જઈ તમે ઈ દિવસે દોષ વગરના માલુમ પડો જઈ આપડા પરભુ ઈસુ મસીહ ફરીથી જગતમાં પાછા આયશે.


તમારુ જીવન એવું રાખો જેથી યહુદીઓ, બિનયહુદીઓ કે પરમેશ્વરની મંડળીને કાય નુકશાન નો થાય. તમે મારું અનુકરણ કરો. હું મારા બધાય કામોથી બધાય લોકોને રાજી કરવા માંગું છું, હું મારા સ્વાર્થનો વિસાર કરતો નથી, પણ બધાય લોકોનું ભલું કરું છું; જેથી બધાય લોકોને પરમેશ્વર બસાવે.


આથી જો મારા નીવેદ ખાવાની બાબત મારા ભાઈની પાહે પાપ કરાવે, તો મારા ભાઈનો નાશ થાય ઈ હાટુ હું કોયદી નીવેદ ખાય નય.


કેમ કે આપણે પોતાની બુદ્ધિની આ સાક્ષી ઉપર અભિમાન કરી છયી, જે જગતના લોકોમાં બોવ વધારે કરીને તમારી વસમાં, આપડુ વર્તન પરમેશ્વર તરફથી પવિત્રતા અને હાસાય પરમાણે હતું, જે માણસના જ્ઞાન પરમાણે નથી પણ પરમેશ્વરની કૃપાની હારે હતું.


કેમ કે, આપડે બધાય ઈ લોકોની જેમ નથી જે રૂપીયા હાટુ પરમેશ્વરનાં વચનનો પરચાર કરી છયી, પણ આપડે પરમેશ્વરનાં વચનનો પરચાર હાસાય અને મસીહના અધિકારથી કરી છયી, આ જાણતા હોવા છતા પરમેશ્વર આપણને જોય રયા છે.


પરમેશ્વરનાં સહભાગી થાવાના લીધે આપડી સેવામાં કોય રોક ટોક કરવાનો પ્રયાસ નથી કરતા.


હું તમને કોય આજ્ઞા નથી આપતો, પણ બીજા લોકોની તાલાવેલીનો દાખલો આપીને હું તમારા પ્રેમની હાસાય પારખવા માગું છું


હે વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જો હું હજી હુંધી સુન્‍નત કરવા વિષે શીખવતો હોઉં, તો હજી પણ મારી સતાવણી કેમ થાય છે? ઈ હાટુ થાય છે કે, વધસ્થંભનો મારો સંદેશો ઠોકરરૂપ નથી.


પણ, પ્રેમથી હાસુ બોલીને, આપડે દરેક વાતમાં હમજણ અને મસીહની જેવા થય જાયી, જે પોતાનો દેહ એટલે કે, મંડળીનું માથું છે.


અને ઈ ગોતવાનો પ્રયત્ન કરો કે, શું પરભુને રાજી કરે છે.


મસીહે આવું ઈ હાટુ કરયુ જેથી ઈ આપડે બધાય વિશ્વાસુ લોકોનું એક એવું મહિમામય જૂથ બનાવી હકે જે એનાથી સબંધીત છે, એવા લોકો જેમાં સ્વાભાવિક દોષ નો હોય, પણ તેઓ પુરી રીતેથી પવિત્ર હોય; જઈ મંડળી આપણને પોતાની હાજરીમાં ભેગા કરે છે.


જેઓ આપડા પરભુ ઈસુ મસીહ ઉપર કપટ વગરનો પ્રેમ રાખે છે તેઓ બધાય ઉપર કૃપા થાય. આમીન.


જેઓ પ્રેમથી દોરવાયને આ કામ કરે છે તેઓ જાણે છે કે, હું હારા હમાસારનું સમર્થન દેવા હાટુ નિમાયેલો છું


મને આ વાતનો ભરોસો છે કે, પરમેશ્વરે તમારામા જે હારા કામો શરુ કરયા છે, ઈજ એને ઈસુ મસીહના પાછા આવવાના દિવસ હુધી પુરા કરશે.


જેથી જઈ મસીહ પાછો આયશે, તઈ મારે અભિમાન કરવાનું કારણ થાહે કે, હું નકામું ધોડ્યો નથી અને મે નકામી મેનત કરી નથી.


અને પરભુ ઈસુ મસીહ તમારા મનોને એવી રીતે મજબુત કરે કે, જઈ ઈ આપડા બધાય પવિત્ર લોકોની હારે પાછા આયશે, તો તેઓ પોતાના પરમેશ્વર બાપની હામે પવિત્રતામાં નિરદોષ ઠરશે.


પણ દરેક વચનને પારખો કે, ઈ પરમેશ્વર તરફથી છે કે નય. અને જે વાત હાસી છે ઈ વાતને માની લ્યો.


હવે શાંતિનો પરમેશ્વર પોતે તમને પુરી રીતે પવિત્ર કરે આપડા પરભુ ઈસુ મસીહના પાછા આવતાં હુંધી તમારો આત્મા અને પ્રાણ અને દેહ પુરેપુરી રીતેથી નિરદોષ રાખવામાં આવે.


હે વાલા મિત્રો, દરેક એક માણસ ઉપર વિશ્વાસ નો કરો, જે પવિત્ર આત્મા દ્વારા બોલવાનો દાવો કરે છે, પણ આત્માઓને પારખો કે, તેઓ પરમેશ્વર તરફથી છે કે નથી, કેમ કે, ઘણાય બધાય ખોટા આગમભાખીયા જગતમાં છે.


હું જાણું છું કે, તુ શું કરશો, તુ પુરા મનથી મારું કામ કરશો, મારી ઉપર વિશ્વાસ કરવાને લીધે જઈ તને હેરાન કરવામા આવે છે તો પણ તુ સહન કરશો અને હું જાણું છું કે, તુ ખરાબ લોકોના ખોટા શિક્ષણને સહન નથી કરતો, તુ એવા લોકોને પારખે છે જે કેય છે કે, તેઓ ગમાડેલા ચેલાઓ છે પણ ખરેખર નથી, અને તે એને ખોટા જાણયા છે.


Follow us:

Advertisements


Advertisements