ગણના 30:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 જયારે કોઈ વ્યક્તિ યહોવાહ માટે, પોતાને માટે સમ ખાઈને વચન લે, તો તે પોતાનું વચન તોડે નહિ. તે તેના મુખ દ્વારા જે બોલ્યો હોય તે સર્વ કરવા માટે તેણે પોતાનું વચન પાળવું. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 જો કોઈ પુરુષ યહોવા પ્રત્યે માનતા માને, અથવા બંધનથી પોતાના જીવને બાંધવાને પ્રતિજ્ઞા લે, તો તે પોતાનું વડન તોડે નહિ. જે સર્વ તેના મુખમાંથી નીકળ્યું હોય તે પ્રમાણે તે કરે. See the chapterપવિત્ર બાઇબલ C.L.2 જો કોઈ માણસ પ્રભુને માટે સ્વેચ્છાપૂર્વક કંઈક કરવાની માનતા લે અથવા કોઈ વસ્તુનો ત્યાગ કરવાનું વચન આપે તો તેણે તે વચન તોડવું નહિ, પણ આપેલું વચન પાળવું. See the chapterપવિત્ર બાઈબલ2 “જો કોઈ વ્યક્તિ કોઈ બાબત માંટે અથવા કોઈ વસ્તુનો ત્યાગ કરવા માંટે દેવ સમક્ષ વચન આપે તો તેણે તેનો ભંગ કરવો નહિ. વચનનું પાલન અચૂક કરવું. See the chapter |