યહોશુઆ 5:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 અને યહોશુઆએ તેઓની સુન્નત કરી તેનું કારણ આ હતું કે, જે પુરુષો મિસરમાંથી બહાર આવ્યા હતા ત્યારે જેઓની સુન્નત કરાયેલી હતી તેઓ એટલે કે યુદ્ધ કરનારા બધા પુરુષો અરણ્યના રસ્તે મરણ પામ્યા હતા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને યહોશુઆએ સુન્ન કરી તેનું કારણ એ હતું કે, મિસરમાંથી નીકળેલા સર્વ લોકોમાં જે પુરુષો હતા તેઓ, એટલે યુદ્ધ કરનારા સર્વ માણસો, મિસરમાંથી નીકળ્યા પછી રસ્તામાં અરણ્યમાં મરણ પામ્યા હતા. See the chapterપવિત્ર બાઇબલ C.L.4 હવે યહોશુઆએ તેમની સુન્નત કરી તેનું કારણ આવું હતું: લડાઈમાં જવાની ઉંમરના જે સર્વ પુરુષો ઇજિપ્તમાંથી નીકળ્યા હતા તેઓ સૌ ઇજિપ્તમાંથી નીકળ્યા પછી મુસાફરી દરમ્યાન રણપ્રદેશમાં મરી પરવાર્યા હતા. See the chapterપવિત્ર બાઈબલ4 યહોશુઆએ બધાં ઇસ્રાએલી પુરુષોની સુન્નત કરી. તેને આમ કેમ કર્યું તેનું આ કારણ છે: See the chapter |