Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 8:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 યહોવા કહે છે, “તે સમયે તેઓ યહૂદિયાના રાજાઓનાં, તેના સરદારોનાં, યાજકોનાં, પ્રબોધકોનાં તથા યરુશાલેમના રહેવાસીઓનાં હાડકાં તેઓની કબરોમંથી કાઢી લાવશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

1 પ્રભુ કહે છે, “એ સમયે યહૂદિયાના રાજાઓનાં, અધિકારીઓનાં, યજ્ઞકારોનાં, સંદેશવાહકોનાં અને યરુશાલેમના રહેવાસીઓનાં હાડકાં તેમની કબરોમાંથી બહાર કાઢવામાં આવશે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 યહોવાહ કહે છે, તે સમયે તેઓ યહૂદિયાના રાજાઓનાં હાડકાં અને તેમના અધિકારીઓનાં હાડકાં, યાજકોનાં હાડકાં અને પ્રબોધકોનાં તેમ જ યરુશાલેમના રહેવાસીઓના હાડકાં તેમની કબરોમાંથી બહાર કાઢી લાવશે.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

1 યહોવા કહે છે, “જ્યારે એ સમય આવશે ત્યારે યહૂદિયાના રાજાઓનાં અને તેમના આગેવાનોનાં, યાજકોનાં અને પ્રબોધકોનાં તેમજ યરૂશાલેમના વતનીઓના હાડકાં તેમની કબરોમાંથી બહાર કાઢવામાં આવશે.

See the chapter Copy




યર્મિયા 8:1
12 Cross References  

યહોવાના વચનથી તેણે વેદી પાસે પોકારીને કહ્યું, ”હે વેદી! વેદી! યહોવા આમ કહે છે કે, જો, દાઉદના કુટુંબમાં યોશિયા નામે એક પુત્ર જન્મશે; અને તે તારા પર ધૂપ બાળનાર ઉચ્ચસ્થાનોના યાજકોનો યજ્ઞ તારી જ ઉપર કરશે, નર લોકો તારા પર માણસનાં હાડકાં બાળશે.”


યોશિયા બીજી તરફ ફર્યો ત્યારે તેણે ત્યાં પર્વત પરની કબરો જોઈ. તેણે માણસ મોકલીને તે કબરોમાંથી હાડકાં બહાર કઢાવ્યાં, ને આ વાતો પ્રકટ કરનાર ઈશ્વરભક્તે યહોવાનું જે વચન પોકાર્યું હતું તે પ્રમાણે, તેમને વેદી પર બાળીને તેને આશુદ્ધ કરી.


તેણે ત્યાંનાં ઉચ્ચસ્થાનના સર્વ યાજકોને વેદીઓ પર મારી નાખ્યા, ને તેમના પર માણસોનાં હાડકાં બાળ્યાં; પછી તે યરુશાલેમમાં પાછો આવ્યો.


અને ઇઝબેલની લાશ યિઝ્‍એલના વાંટાના ખેતરમાં ખાતરરૂપ થશે, જેથી લોકો એમ નહિ કહે કે, આ ઇઝબેલ છે.”’


જ્યાં ભય ન હતો ત્યાં તેઓ ઘણા ભયભીત થયા; કેમ કે જે તમારી સામે છાવણી નાખે છે તેઓનાં હાડકાં ઈશ્વરે વિખેરી નાખ્યાં છે; તમે તેઓને ફજેત કર્યા છે, કેમ કે ઈશ્વરે તેઓને ધિક્કાર્યા હતા.


વળી જે લોકોને તેઓ પ્રબોધ કરે છે, તેઓને દુકાળ તથા તરવારથી યરુશાલેમના મહોલ્લાઓમાં નાખી દેવામાં આવશે; અને તેઓને, તેઓની પત્નીઓને, તેઓના દીકરાઓને તથા તેઓની દીકરીઓને દાટવા માટે કોઈ રહેશે નહિ; કેમ કે હું તેઓ પર તેમની દુષ્ટતા રેડી દઈશ.’


યહોવાનો હાથ મારા પર આવ્યો, ને તે મને યહોવાના આત્મા વડે બહાર લઈ ગયો, ને મને એક ખીણમાં મૂક્યો, તે [ખીણ] માં નરદમ હાડકાં હતાં.


તમારી વેદીઓ ઉજ્જડ થશે, ને તમારી સૂર્યની મૂર્તિઓ ભાંગી નાખવામાં આવશે; અને હું તમારા કતલ થયેલા માણસોને તમારી મૂર્તિઓની આગળ નાખીશ.


ઇઝરાયલીઓની લાસો હું તેઓની મૂર્તિઓની આગળ નાખીશ; અને હું તમારા હાડકાં તમારી વેદીઓની આસપાસ વિખેરી નાખીશ.


યહોવા કહે છે: “મોઆબના ત્રણ ગુનાને લીધે, હા, ચારને લીધે હું તેની શિક્ષા માંડી વાળીશ નહિ; કેમ કે તેણે અદોમના રાજાનાં હાડકાં બાળીને તેનો ચૂનો કર્યો.


Follow us:

Advertisements


Advertisements