Biblia Todo Logo
Online Bible

- Advertisements -




યર્મિયા 2:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 પેલી પાર કિત્તીમના દ્વીપોમાં જઈને જુઓ; અને કેદારમાં મોકલીને ઘણી ખંતથી શોધો; અને જુઓ કે એવું કંઈ થયું છે?

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

10 પશ્ર્વિમમાં કિત્તીમ ટાપુઓમાં જઈને જુઓ, પૂર્વમાં કેદારના પ્રદેશમાં જઈને ઝીણવટભરી તપાસ કરો; તમને ખબર પડશે કે પહેલાં આવું કદી જ બન્યું નથી.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 પેલી પાર કિત્તીમના દ્રિપોમાં જઈને જુઓ અને કેદારમાં મોકલીને ખંતથી શોધો અને જુઓ કે આવું કદી બન્યું છે ખરું?

See the chapter Copy

પવિત્ર બાઈબલ

10 સાગર પાર કરી પશ્ચિમમાં જાઓ કે પૂર્વમાં તપાસ કરો. ધ્યાનથી જુઓ અને વિચાર કરો, આવું કદી બન્યું છે ખરુ?

See the chapter Copy




યર્મિયા 2:10
21 Cross References  

અને ઇશ્માએલના દિકરાઓનાં નામ, પોતપોતાનાં નામ તથા પોતપોતાની પેઢીઓ પ્રમાણે આ છે: એટલે ઇશ્માએલનો પ્રથમજનિત નબાયોથ, પછી કેદાર તથા આદબેલ તથા મિબ્સામ,


અને તેઓ ઉત્તર આપશે, ‘તેઓના પિતૃઓને મિસર દેશમાંથી કાઢી લાવનાર તેઓના ઈશ્વર યહોવાને તજી દઈને તેઓએ અન્ય દેવોને સ્વીકાર્યાં, ને તેમની ભક્તિ કરી ને તેમની સેવા કરી, તે માટે યહોવા આ સર્વ હાનિ તેમના પર લાવ્યા છે.’”


યાવાનના પુત્રો:એલિશા, તાર્શીશ, કિત્તીમ તથા રોદાનીમ.


હવે દાઉદ વૃદ્ધ તથા પાકી ઉંમરે પહોંચ્યો હતો. તેણે પોતાના પુત્ર સુલેમાનને ઇઝરાયલ ઉપર રાજા તરીકે નીમ્યો.


કહાથના ચાર પુત્રો:આમ્રામ, ઇસહાર, હેબ્રોન તથા ઉઝ્ઝીએલ.


મને અફસોસ છે કે મેશેખનો હું પ્રવાસી છું, અને કેદારના ડેરાઓમાં વસું છું!


કેમ કે પ્રભુએ મને એમ કહ્યું છે, “મજૂરના વર્ષ પ્રમાણે એક વર્ષની અંદર, કેદારનું સર્વ ગૌરવ જતું રહેશે;


તૂર વિષે ઈશ્વરવાણી:હે તાર્શીશનાં વહાણો, તમે વિલાપ કરો; કેમ કે તે પાયમાલ થયું છે, અને પ્રવેશ કરવાની ગોદી નથી; કિત્તીમ દેશથી આવતાં તેઓને એવી ખબર મળે છે.


તેમણે કહ્યું, “જેના પર બલાત્કાર થયો છે એવી સિદોનની કુંવારી દીકરી, તું હવે પછી આનંદ કરીશ નહિ; ઊઠ, કિત્તીમ સુધી પેલે પાર જા; હા, ત્યાં પણ તને વિશ્રામ મળશે નહિ.”


કેદાર વિષે, તથા હાસોરનાં જે રાજ્ય બાબિલના રાજા નબૂખાદનેસ્સારે પાયમાલ કર્યાં તે વિષેની વાત. યહોવા કહે છે, “તમે ઊઠીણે કેદાર પર ચઢો, ને પૂર્વ તરફના લોકોનો નાશ કરો.


તેં તારા વસ્ત્રોમાંથી કેટલાંકને લઈને તરેહ તરેહના રંગના વસ્ત્રથી શણગારેલા ઉચ્ચસ્થાનો પોતાને માટે બનાવ્યાં, ને ત્યાં વ્યભિચાર કર્યો; એવું કદી થયું નથી, ને થશે પણ નહિ.


અરબસ્તાન તથા કેદારના સર્વ ઉમરાવો તારી સાથેના વેપારીઓ હતા. તેઓ હલવાનો, મેંઢાં તથા બકરાંનો વેપાર કરતા હતા.


તેઓએ તારાં હલેસાં બાશાનના એલોનકાષ્ટનાં બનવ્યાં છે; તેઓએ તારી તૂતક કિત્તિમ બેટોથી લાવવામાં આવેલા સરળ કાષ્ટની તથા હાથીદાંતજડિત બનાવી છે.


એ માટે પ્રભુ યહોવા કહે છે, “તમારી આસપાસની પ્રજાઓ કરતાં તમે વધારે હુલ્લડખોર છો, તમે મારા વિધિઓ પ્રમાણે ચાલ્યા નથી, ને મારા હુકમો પાળ્યા નથી, તેમ જ તમારી આસપાસની પ્રજાઓના નિયમો પ્રમાણે વર્તયા નથી.


એ પછી તે ટાપુઓ તરફ નજર કરશે, ને [તેમાંના] ઘણા લઈ લેશે. તેણે કરેલું અપમાન એક સરદાર દૂર કરશે. હા, બલકે તેણે કરેલું અપમાન પાછું વાળીને તેને જ શિર તે નાખશે.


કેમ કે કિત્તીમનાં વહાણો તેની વિરુદ્ધ આવશે. તેથી તે નિરાશ થઈને પાછો જશે, ને પવિત્ર કરાર વિરુદ્ધ તેને ક્રોધ ચઢશે, ને તે [પોતાની મરજી પ્રમાણે] કરશે; હા, તે પાછો જશે ને પવિત્ર કરારનો ત્યાગ કરનારાઓ પર મહેરબાની રાખશે.


પણ કિત્તીમના કિનારાથી વહાણો [આવશે] , અને તેઓ આશૂરને દુ:ખ દેશે, ને એબેરને દુ:ખ દેશે, અને તે પણ નાશ પામશે.”


ખરેખર મારા સાંભળવામાં આવ્યું છે કે તમારામાં વ્યભિચાર છે, અને તે વળી એવો વ્યભિચાર કે જે વિધર્મીઓમાં પણ ચાલતો નથી, એટલે કે કોઈએ પોતાની સાવકી માને રાખી છે.


અને એમ થયું કે, જેઓએ તે જોયું, તે બધાએ કહ્યું, “ઇઝરાયલી લોકો મિસર દેશમાંથી નીકળ્યા ત્યારથી તે આજ સુધી આવું કૃત્ય કરવામાં કે જોવામાં આવ્યું નથી. એ વિષે વિચાર કરો, મસલત કરો; ને અભિપ્રાય આપો.”


Follow us:

Advertisements


Advertisements