Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ગણના 3:4 - પવિત્ર બાઇબલ C.L.

4 પરંતુ નાદાબ અને અબીહૂ સિનાઈના રણપ્રદેશમાં પ્રભુની સમક્ષ અપવિત્ર અગ્નિ ચઢાવતાં માર્યા ગયા હતા. તેમને કોઈ સંતાન નહોતું. તેથી આરોનના જીવતાં સુધી એલાઝાર અને ઇથામારે યજ્ઞકાર તરીકેની સેવા બજાવી હતી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને નાદાબ તથા અબીહૂ યહોવાની આગળ સિનાઈના અરણ્યમાં પારકો અગ્નિ ચઢાવવાથી યહોવાની આગળ માર્યા ગયા હતા, ને તેઓ નિ:સંતાન હતા. અને એલાઝાર તથા ઇથામાર પોતાના પિતા હારુનની હજૂરમાં યાજકપદમાં સેવા બજાવતા હતા.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 પરંતુ નાદાબ અને અબીહૂ યહોવાહની આગળ સિનાઈના અરણ્યમાં પારકો અગ્નિ ચઢાવવાથી યહોવાહની આગળ માર્યા ગયા. તેથી તેઓ સિનાઈના રણમાં જ મૃત્યુ પામ્યા. તેઓ નિ:સંતાન હતા. અને એલાઝાર અને ઈથામાર પોતાના પિતા હારુનના જીવનકાળ દરમ્યાન યાજકપદમાં સેવાઓ બજાવતા હતા.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

4 પરંતુ નાદાબ અને અબીહૂ એ અપવિત્ર અગ્રિ યહોવાને ધરાવ્યો તેથી તેઓ સિનાઈના રણમાં જ મૃત્યુ પામ્યા. તેઓને એક પણ પુત્ર ન હતો. અને તેથી એલઆઝાર અને ઈથામાંર તેઓના પિતાના જીવનકાળ દરમ્યાન યાજકપદમાં સેવાઓ આપતા હતા.

See the chapter Copy




ગણના 3:4
7 Cross References  

આરોનના વંશજોનાં પણ આ પ્રમાણે જૂથ પાડવામાં આવ્યાં. આરોનને ચાર પુત્રો હતા: નાદાબ, અબીહૂ, એલાઝાર અને ઇથામાર.


ત્યાર પછી પ્રભુએ મોકલેલા અગ્નિએ આવીને ધૂપ ચડાવવા ઊભેલા અઢીસો માણસોને ભસ્મ કરી નાખ્યા.


તમે તે વાછરડી યજ્ઞકાર એલાઝારને આપો. તે તેને પડાવ બહાર લઈ જાય અને તેની હાજરીમાં તેને વધેરવામાં આવે.


આરોન અને તેના પુત્ર એલાઝારને લઈને તું હોર પર્વત પર જા.


તેમાંથી નાદાબ અને અબીહૂ પ્રભુની સમક્ષ અપવિત્ર અગ્નિ ચડાવવાને લીધે માર્યા ગયા હતા.


પ્રભુએ મોશેને કહ્યું,


Follow us:

Advertisements


Advertisements