Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ગણના 2:2 - પવિત્ર બાઇબલ C.L.

2 “જ્યારે ઇઝરાયલી લોકો મુલાકાતમંડપની આસપાસ પડાવ નાખે ત્યારે દરેકે પોતપોતાના કુળના વજ અને ગોત્રના નિશાન પ્રમાણે પડાવ નાખવો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 “ઇઝરાયલી લોકોમાંનો પ્રત્યેક પુરુષ પોતાના પિતાના ઘરના નિશાન સાથે પોતાની ધજાની પાસે છાવણી કરે. મુલાકાતમંડપની સામે ચારે બાજુએ તેઓ છાવણી કરે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 “ઇઝરાયલપુત્રોમાંનો દરેક પુરુષ પોતાના સૈન્યના જૂથનાં નિશાન સાથે પોતાની અલગ ધજાની પાસે છાવણી કરે. મુલાકાતમંડપ સામે બાજુ તેઓ છાવણી કરે.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

2 “પ્રત્યેક ઇસ્રાએલી કુળને છાવણી માંટે પોતાનું અલગ સ્થાન હોય તથા પોતાના કુળનું અલગ નિશાન અને અલગ ધ્વજ હોય; કુળોની સર્વ છાવણીઓની મધ્યમાં મુલાકાત મંડપ રહે અને બધા જ પ્રવેશદ્વાર મુલાકાત મંડપ તરફ હોય.

See the chapter Copy




ગણના 2:2
23 Cross References  

તમારા સભાસ્થાનમાં વૈરીઓએ વિજયની ગર્જનાઓ કરી છે; તેમણે ત્યાં પોતાની વિજયપતાકાઓ ઊભી કરી છે.


તમારા ઈશ્વર પ્રભુની આગળ લીધેલી માનતાઓ પૂર્ણ કરો; તેમની ચારેબાજુ એકઠા થયેલા લોકો ભયાવહ ઈશ્વરની પાસે ભેટો લાવો.


સિયોનમાં વસનાર સૌ કોઈ આનંદથી મોટે સાદે ગીત ગાય; કારણ, ઇઝરાયલના પવિત્ર ઈશ્વર મહાન છે, અને તે પોતાના લોકો વચ્ચે વસે છે.


હે પૃથ્વીના પટ પર વસતા સૌ લોકો, સાંભળો! પર્વતની ટોચે સંકેતરૂપે વજા ફરકાવાય તેની રાહ જોજો! રણશિંગડું વાગે ત્યારે તે સાંભળજો!


તેણે કહ્યું: “હે મનુષ્યપુત્ર, આ મારા રાજ્યાસનનું સ્થાન છે, આ મારું પાયાસન છે. હું અહીં ઇઝરાયલી લોકો મધ્યે સદાસર્વદા નિવાસ કરીશ, અને તેમના પર સદાસર્વદા શાસન કરીશ. હવે પછી ઇઝરાયલી લોકો કે તેમના રાજાઓ કદી પણ અન્ય દેવોની પૂજા કરીને મારા પવિત્ર નામને કલંક લગાડશે નહિ. તેઓ તેમના રાજાઓના મૃતદેહો પર અહીં સ્મારક રચી ફરી કદી મારા પવિત્ર નામને અપવિત્ર કરશે નહિ.


એ દિવસ આવશે ત્યારે જેમ ઘેટાંપાળક પોતાનાં ઘેટાંનું જોખમથી રક્ષણ કરે છે, તેમ પ્રભુ પોતાના લોકોને બચાવશે. પ્રભુના પ્રદેશમાં તેઓ મુગટમાંના હીરાઓની જેમ પ્રકાશશે.


તેને બદલે લેવીઓને કરારપેટી, સાક્ષ્યમંડપ તથા તેનો સરસામાન સાચવવાની સેવા સોંપવી. તેમણે સાક્ષ્યમંડપનો સરસામાન ઊંચકવો, તેની સંભાળ રાખવી અને સાક્ષ્યમંડપની આસપાસ પડાવ નાખવાનો છે.


દરેક વખતે એક જ ક્રમમાં તેઓ કૂચ કરતા. યહૂદા કુળના સૈન્યના વજવાળા લોકો તેમની ટુકડીઓ પ્રમાણે પ્રથમ ચાલી નીકળ્યા.


એ પછી રૂબેનના કુળના સૈન્યના વજવાળા લોકોએ ટુકડીઓ પ્રમાણે કૂચ શરૂ કરી. શદેઉરનો પુત્ર એલિસૂર તેમનો આગેવાન હતો.


ત્યાર પછી એફ્રાઈમના કુળના સૈન્યના વજવાળા લોકો ટુકડીઓ પ્રમાણે ચાલી નીકળ્યા. આમ્મીહૂદનો પુત્ર એલિશામા તેમનો આગેવાન હતો.


છેલ્લે દાનના કુળના સૈન્યના વજવાળા લોકોએ ટુકડીઓ પ્રમાણે કૂચ કરી તેઓ બધાં સૈન્યોની પછવાડે હતા. આમ્મીશાદ્દાયનો પુત્ર અહીએઝેર તેમનો આગેવાન હતો.


પ્રભુએ મોશે અને આરોનને આવી સૂચનાઓ આપી:


“દક્ષિણ બાજુએ રૂબેનના સૈન્યના વજવાળા લોકો ટુકડી પ્રમાણે પડાવ નાખે. તેમના આગેવાનોનાં નામ અને સંખ્યા નીચે પ્રમાણે છે: કુળ આગેવાન સંખ્યા રૂબેન શદેઉરનોપુત્ર એલિસૂર 46,500 શિમયોન સુરીશાદ્દાયનો પુત્ર શલૂમીએલ 59,300 ગાદ દેઉએલનો પુત્ર એલ્યાસાફ 45,650 કુલ: 151,450 રૂબેનનું સૈન્ય કૂચ કરતી વખતે બીજા ક્રમે રહે.


“પૂર્વ બાજુએ યહૂદાના સૈન્યના વજવાળા લોકો ટુકડી પ્રમાણે પડાવ નાખે. તેમના આગેવાનોનાં નામ અને સંખ્યા નીચે પ્રમાણે છે: કુળ આગેવાન સંખ્યા યહૂદા આમ્મીનાદાબનો પુત્ર નાહશોન 74,600 ઇસ્સાખાર સૂઆરનો પુત્ર નાથાનાએલ 54,400 ઝબુલૂન હેલોનનો પુત્ર એલિયાબ 57,400 કુલ: 186,400 યહૂદાના સૈન્યે સૌપ્રથમ આગેકૂચ કરવી.


બલામે નજર ઉઠાવીને જોયું તો ઇઝરાયલીઓએ તેમનાં કુળો પ્રમાણે પડાવ નાખ્યો હતો. ઈશ્વરના આત્માએ તેનો કબજો લીધો.


કારણ, આપણો ઈશ્વર અવ્યવસ્થાનો નહિ, પણ શાંતિનો ઈશ્વર છે.


પણ બધું શોભતી રીતે અને વ્યવસ્થિત રીતે થવું જોઈએ.


હવે તમારું વર્તન ખ્રિસ્તના શુભસંદેશને અનુરૂપ રાખો. જેથી હું તમારી મુલાકાત લઉં કે પછી તમારાથી દૂર હોઉં, તો પણ તમારા વિષે મને સમાચાર મળે કે તમે સૌ એક યેયમાં સ્થિર રહીને એક મનથી શુભસંદેશના વિશ્વાસને માટે પ્રયત્ન કરો છો,


અને ખ્રિસ્ત જે શિર છે તેને વળગી રહેતો નથી. એ ખ્રિસ્તના શિરપદ નીચે રહેવાથી સમગ્ર શરીરનું પોષણ થાય છે, અને તે શરીર સાંધાઓ તથા મજ્જાઓ સુદ્ધાં જોડાઈને ઈશ્વર તરફથી પોષણ મેળવીને વૃદ્ધિ પામે છે.


પ્રભુની કરારપેટી તમને જવાનો રસ્તો બતાવશે, કારણ, આ રસ્તે તમે અગાઉ કદી ગયા નથી. પણ તમે કરારપેટીની નજીક જશો નહિ; તેનાથી લગભગ એક કિલોમીટર દૂર રહેજો.”


Follow us:

Advertisements


Advertisements