Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ગણના 1:4 - પવિત્ર બાઇબલ C.L.

4 તે માટે દરેક ગોત્રમાંથી કુટુંબના એક આગેવાનની મદદ લો.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને પ્રત્યેક કૂળમાંનો એક પુરુષ, જે તેના પિતાના ઘરનો મુખ્ય હોય, તે તમારી સાથે રહે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 અને દરેક કુળમાંનો એક પુરુષ જે તેના કુળનો મુખ્ય હોય, તે કુળના આગેવાન તરીકે તમારી સાથે રહે. તેઓએ દરેકે પોતાના કુળના પુરુષોને લડાઈમાં આગેવાની આપવી.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

4 પ્રત્યેક કુળસમૂહના એક આગેવાન પુરુષને તમાંરી મદદમાં રહેવા કહો.

See the chapter Copy




ગણના 1:4
19 Cross References  

પછી શલોમોન રાજાએ દાવિદના નગર સિયોનમાંથી પ્રભુની કરારપેટી મંદિરમાં લાવવા માટે ઇઝરાયલનાં બધાં કુળો અને ગોત્રોના આગેવાનોને યરુશાલેમમાં બોલાવ્યા.


પણ સાથે સાથે તું કેટલાક હોશિયાર માણસો પસંદ કરીને તેમની લોકોના આગેવાનો તરીકે નિમણૂક કર. તેમને હજાર હજાર, સો સો, પચાસ પચાસ અને દસ દસ લોકોના જૂથ પર નિયુક્ત કર. આ આગેવાનો ઈશ્વરનો ડર રાખનાર, વિશ્વાસુ અને લાંચને ધિક્કારનારા હોવા જોઈએ.


અને ઇઝરાયલીઓમાંથી હોશિયાર આગેવાનો પસંદ કર્યા. તેમણે તેમને હજાર હજારના, સો સોના, પચાસ પચાસના અને દસદસના જૂથ પર આગેવાનો નીમ્યા.


લેવીવંશની લાકડી પર આરોનનું નામ લખવામાં આવે. દરેક કુળના આગેવાન માટે એક લાકડી હોવી જોઈએ.


મિદ્યાની યુવતીની સાથે માર્યા ગયેલા ઇઝરાયલીનું નામ ઝિમ્રી હતું. તે શિમયોનના કુળમાં, કુટુંબના વડા સાલૂનો પુત્ર હતો.


મોશેએ ઇઝરાયલીઓના કુળના આગેવાનોને કહ્યું, “પ્રભુની આજ્ઞા આ પ્રમાણે છે:


પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે મોશે, આરોન અને ઇઝરાયલી સમાજના આગેવાનોએ લેવીકુળના ત્રણ મુખ્ય ગોત્રો કહાથ, ગેર્શોન અને મરારીના લોકોની ગણતરી ગોત્ર અને કુટુંબ પ્રમાણે કરી. તેમણે ત્રીસથી પચાસ વર્ષ સુધીની ઉંમરના મુલાકાતમંડપને ઉપાડવા તેમજ તેમાં સેવા કરવાને લાયક એવા તમામ માણસોની નોંધણી કરી. તે નીચે પ્રમાણે છે: ગોત્ર સંખ્યા કહાથ 2,750 ગેર્શોન 2,630 મરારી 3,200 કુલ: 8,580


ત્યાર પછી જે મુખ્ય આગેવાનો વસતીગણતરીના કાર્ય માટે ઇઝરાયલીઓના કુટુંબોમાંથી પસંદ કરેલા હતા,


તેથી તમારા કુળોમાંથી તમે પસંદ કરેલા શાણા અને પ્રતિષ્ઠિત પુરુષોને લઈને મેં તેમને તમારા અધિકારીઓ તરીકે નીમ્યા: કેટલાકને હજાર હજારના ઉપરી, કેટલાકને સો સોના ઉપરી, કેટલાકને પચાસ પચાસના ઉપરી, તો કેટલાકને દશ દશના ઉપરી ઠરાવ્યા. તમારાં કુળો માટે બીજા અધિકારીઓ પણ નીમ્યા.


પશ્ર્વિમ તરફનાં કુળોમાંથી પ્રત્યેક કુળ દીઠ એક એમ દસ અગ્રગણ્ય માણસોને ફિનહાસ સાથે મોકલવામાં આવ્યા; તેમાંનો પ્રત્યેક માણસ પોતાના ગોત્રમાં કુટુંબનો વડો હતો.


Follow us:

Advertisements


Advertisements