Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ગણના 1:1 - પવિત્ર બાઇબલ C.L.

1 ઇઝરાયલી લોક ઇજીપ્તમાંથી નીકળ્યા તે પછીના બીજા વર્ષના બીજા મહિનાને પ્રથમ દિવસે સિનાઈના રણપ્રદેશમાં પ્રભુએ મુલાકાતમંડપમાં મોશેને આ પ્રમાણે કહ્યું:

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને ઇઝરાયલી લોકો મિસર દેશમાંથી નીકળ્યા ત્યાર પછી બીજા માસને પહેલે દિવસે સિનાઈના અરણ્યમામ મુલાકાતમંડપમાં યહોવાએ મૂસાને કહ્યું,

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 સિનાઈના અરણ્યમાં મુલાકાતમંડપમાં યહોવાહે મૂસાની સાથે વાત કરી. ઇઝરાયલીઓ મિસર દેશમાંથી રવાના થયા ત્યાર પછી બીજા વર્ષના બીજા મહિનાના પ્રથમ દિવસે આ બન્યું. યહોવાહે મૂસાને કહ્યું કે,

See the chapter Copy

પવિત્ર બાઈબલ

1 ઇસ્રાએલીઓ મિસર દેશમાંથી નીકળી ગયા ત્યાર પછી બીજા વર્ષના બીજા મહિનાના પ્રથમ દિવસે સિનાઈના અરણ્યમાં મુલાકાતમંડપમાં યહોવાએ મૂસાને કહ્યું,

See the chapter Copy




ગણના 1:1
15 Cross References  

ઇઝરાયલી લોકો ઇજિપ્તમાંથી નીકળી આવ્યા પછી ચારસો એંસી વરસે, શલોમોનના ઇઝરાયલ ઉપરના અમલના ચોથા વરસે, વર્ષના બીજા એટલે ઝીવ માસમાં શલોમોને મંદિર બાંધવાનું શરૂ કર્યું.


ઇઝરાયલીઓ રફીદીમ- માંથી નીકળ્યા, અને ઇજિપ્તમાંથી નીકળ્યાને ત્રીજા માસને પ્રથમ દિવસે તેઓ સિનાઈના રણપ્રદેશમાં આવ્યા. તેમણે સિનાઈ પર્વતની તળેટીમાં પડાવ નાખ્યો.


હું તને ત્યાં મળીશ અને દયાસન ઉપરથી સાક્ષ્યપેટી પરના બે કરુબો વચ્ચેથી હું તને ઇઝરાયલીઓ માટેના મારા સર્વ નિયમો આપીશ.


તેથી તેમના ઇજિપ્તમાંથી નીકળ્યાના બીજા વર્ષના પ્રથમ માસના પ્રથમ દિવસે મુલાકાતમંડપની સ્થાપના કરવામાં આવી.


પ્રથમ માસના પ્રથમ દિવસે મુલાકાતમંડપ ઊભો કરજે.


પ્રભુએ મોશેને બોલાવીને મુલાકાત મંડપમાંથી કહ્યું:


આ બધી આજ્ઞાઓ પ્રભુએ મોશેને સિનાઈ પર્વત પર ઇઝરાયલી લોકને માટે આપેલી છે.


તેમણે બીજા મહિનાને પ્રથમ દિવસે સમગ્ર સમાજને એકત્ર કર્યો અને ગોત્ર તથા કુટુંબ પ્રમાણે બધાંની ગણતરી કરવામાં આવી. વીસ વર્ષ અને તેથી વધુ ઉંમરના બધા પુરુષોનાં નામ નોંધવામાં આવ્યાં.


પ્રભુએ એકાએક મોશે, આરોન અને મિર્યામને કહ્યું, “તમે ત્રણે જણ મુલાકાતમંડપ પાસે આવો.”


ઇઝરાયલીઓ ઇજિપ્તમાંથી નીકળ્યા તે પછીના બીજા વર્ષના પ્રથમ મહિનામાં સિનાઈના રણપ્રદેશમાં પ્રભુએ મોશેને કહ્યું,


પ્રભુએ ઇઝરાયલીઓને જે જે કહેવા મોશેને આજ્ઞા આપી હતી તે સર્વ મોશેએ તેમને ઇજિપ્તમાંથી નીકળ્યા પછી ચાલીસમા વર્ષના અગિયારમા મહિનાના પ્રથમ દિવસે કહી સંભળાવ્યું.


આપણે કાદેશ-બાર્નિયાથી નીકળ્યા ત્યારથી ઝેરેદ વહેળો ઓળંગ્યો ત્યાં સુધીમાં આડત્રીસ વર્ષનો સમય વીત્યો. તે સમય દરમ્યાન પ્રભુએ શપથ લીધા હતા તે પ્રમાણે યોધાઓની આખી પેઢી છાવણીમાંથી નાશ પામી;


કારણ, તમારા ઈશ્વર પ્રભુએ તમારા હાથનાં સર્વ કાર્યો પર આશીર્વાદ આપ્યો છે અને આ વિશાળ રણપ્રદેશમાં તમારા રઝળપાટ દરમ્યાન તેમણે તમારી સંભાળ લીધી છે અને ચાલીસ વર્ષ સુધી તમારા ઈશ્વર પ્રભુ તમારી સાથે રહ્યા છે અને તમને કશાની ખોટ પડી નથી.’


Follow us:

Advertisements


Advertisements