Biblia Todo Logo
Online Bible

- Advertisements -




1 તિમોથી 5:4 - પવિત્ર બાઇબલ C.L.

4 તો તેમણે પ્રથમ તેમના પોતાના ઘર પ્રત્યે પોતાની ધાર્મિક જવાબદારી અદા કરવી જોઈએ અને માબાપનું ઋણ અદા કરવું જોઈએ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 પણ જો કોઈ વિધવાને છોકરાં કે છોકરાંના છોકરાં હોય, તો તેઓ પહેલાં પોતાના ઘરમાં ધર્મનિષ્ઠ થતાં તથા પોતાનાં માતપિતાના આભારનો બદલો વાળતાં શીખે; કેમ કે એ ઈશ્વરને પ્રિય છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 વળી કોઈ વિધવાના સંતાનો અથવા સંતાનોના સંતાનો હોય તો તેઓ પ્રથમ પોતાના ઘર પ્રત્યે સમર્પિત બને અને પોતાનાં માતાપિતાનું ઋણ ચુકવવાનું શીખે, જે ખરેખર ઈશ્વર સમક્ષ રુચિકર છે.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

4 પરંતુ જો કોઈ વિધવાને બાળકો હોય અથવા પૌત્ર-પૌત્રીઓ હોય તો પ્રથમ તો તેમણે આ શીખવાની જરુંર છે: એ બાળકો અથવા પૌત્રોઓ પોતાના જ કુટુંબ પ્રત્યેની વફાદારી તેઓને મદદરુંપ થઈને બતાવવી જોઈએ. જ્યારે તેઓ આમ કરે છે ત્યારે તેઓ પોતાનાં મા-બાપનું ઋણ અદા કરે છે. એનાથી દેવ પ્રસન્ન થાય છે.

See the chapter Copy




1 તિમોથી 5:4
18 Cross References  

યોસેફે પોતાના પિતાને અને ભાઈઓને અને પોતાના પિતાના સમગ્ર પરિવારને સભ્યોની સંખ્યાના પ્રમાણમાં અન્‍ન પૂરું પાડયું.


યાકોબ ઇજિપ્તમાં સત્તર વર્ષ જીવ્યો. એમ તેનું આયુષ્ય એક્સો સુડતાળીસ વર્ષનું થયું.


પોતાના લોકોમાં તેને કોઈ સંતતિ કે વારસદાર નથી, અને તેના નિવાસમાં તેની પાછળ કોઈ વસનાર નથી.


તેનાં બાળકો ઊઠીને તેને ધન્યવાદ આપે છે, અને તેનો પતિ પણ તેની પ્રશંસા કરે છે.


સર્વસમર્થ પ્રભુ કહે છે, “હું બેબિલોન પર હુમલો કરીશ અને તેને ખંડિયેર બનાવીશ. હું કશું બાકી રાખીશ નહિ. તેમનાં સંતાનો કે વંશજોમાંથી કોઈ બચવા પામશે નહિ. હું પ્રભુ એ બોલ્યો છું.


તેથી ઈસુ તેમની સાથે નાઝારેથ ગયા અને ત્યાં તે તેમને આધીન રહ્યા. તેમની માએ આ બધી વાતો પોતાના મનમાં સંઘરી રાખી.


એમ કરવું તે ઉત્તમ છે અને આપણા ઉદ્ધારર્ક્તા ઈશ્વરને તે ગમે છે.


પણ જો કોઈ વિશ્વાસી પુરુષ કે સ્ત્રીના કુટુંબમાં વિધવાઓ હોય તો તેણે તેમનું ભરણપોષણ કરવું અને મંડળી પર તેનો બોજો નાખવો નહિ, જેથી મંડળી ફક્ત નિરાધાર વિધવાઓની જ કાળજી રાખે.


તેમને બોલતા બંધ કરી દેવા જોઈએ. કારણ, તેઓ ખોટું શિક્ષણ આપીને કેટલાંયે કુટુંબોને બરબાદ કરે છે. તેમનો ઇરાદો તો પૈસા કમાવાનો છે અને તે શરમજનક છે.


તેને ચાલીસ પુત્રો અને ત્રીસ પૌત્રો હતા. તેઓ સિત્તેર ગધેડા પર સવારી કરતા. આબ્દોન આઠ વર્ષ સુધી ઇઝરાયલનો ન્યાયાધીશ રહ્યો.


તે લઈને તે ગામમાં ગઈ અને પોતાની સાસુને વીણેલા દાણા બતાવ્યા. વળી, તૃપ્ત થયા પછી વધેલો પોંક પણ તેણે નાઓમીને આપ્યો.


રૂથે નાઓમીને કહ્યું, “મને ખેતરમાં જવા દો. ત્યાં હું લણનારાઓથી રહી જતાં અનાજનાં કણસલાં એકઠાં કરીશ. મારા પ્રત્યે રહેમનજર દાખવનારની પાછળ પાછળ જઈ હું વીણવાનું કામ કરીશ.” ત્યારે નાઓમીએ કહ્યું, “દીકરી, ભલે જા.”


Follow us:

Advertisements


Advertisements