ગણના 5:8 - પવિત્ર બાઈબલ8 પણ જેને નુકસાન કર્યું છે તે જો મૃત્યુ પામ્યો હોય અને ક્ષતિપૂર્તી માંટે તેનું નજીકનું કોઈ સગું ના હોય, તો તે રકમ યહોવાને આપવી અને યાજકને ચૂકવવી અને જે ઘેટો પાપોના પ્રાયશ્ચિત માંટે વધેરવા આપવાનો હોય છે, તે ઉપરાંત આ રકમ આપવાની છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 પણ ગુનાએ માટટે જેને બદલો આપવો ઘટે એવો તેનો કોઈ સગો ન હોય તો ગુનાને માટે જે બદલો યહોવાને આપવાનો છે તે યાજકને મળે. વળી પ્રાયશ્ચિત્તનો ઘેટો, કે જેથી તેને માટે પ્રાયશ્ચિત્ત કરવામઆં આવશે તે પણ [યાજકને મળે.] See the chapterપવિત્ર બાઇબલ C.L.8 હવે જો તે માણસ મરી ગયો હોય અને ચૂકવણી કરવા માટે તેનું કોઈ નજીકનું સગું પણ ન હોય તો પછી ચૂકવણીની રકમ યજ્ઞકારને આપવી. તે ઉપરાંત પ્રાયશ્ર્વિત માટે પ્રભુને અર્પણ કરવાનો ઘેટો યજ્ઞકારને આપવો. જેથી યજ્ઞકાર તે દ્વારા દોષિત માટે પ્રાયશ્ર્વિત કરે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 પણ ગુનાને માટે જેને બદલો આપવાનો હોય એવું તેનું નજીકનું કોઈ સગું ના હોય, તો તે રકમ યહોવાહને આપવી અને યાજકને ચૂકવવી. વળી જે પ્રાયશ્ચિતનો ઘેટો કે જેથી તેને સારુ પ્રાયશ્ચિત કરવામાં આવશે તે પણ યાજકને મળે. See the chapter |