ગણના 5:19 - પવિત્ર બાઈબલ19 “ત્યારબાદ યાજકે સ્ત્રી પાસે સોગન લેવડાવવા, તેને કહેવું કે, ‘જો તેં કુમાંર્ગે જઈને કોઈ માંણસ સાથે વ્યભિચાર કર્યો ન હોય, તો આ શ્રાપના કડવા જળથી તને કશું જ નુકસાન નહિ થાય. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 અને યાજક તેને પ્રતિજ્ઞા લેવડાવે ને તે સ્ત્રીને કહે કે, ‘જો કોઈ પુરુષે તારી સાથે વ્યભિચાર કર્યો ન હોય, ને જો તું તારું પતિવ્રત ભંગ કરીને અશુદ્ધ થઈ ન હોય, તો આ શાપકારક કડવા પાણી [ની સત્તા] થી તું તારું પતિવ્રત ભંગ કરીને અશુદ્ધ થઈ ન હોય, તો આ શાપકારક કડવા પાણી [ની સત્તા] થી તું મુક્ત હો. See the chapterપવિત્ર બાઇબલ C.L.19 પછી યજ્ઞકાર તે સ્ત્રી પાસે પોતે નિર્દોષ છે એવા શપથ લેવડાવે અને પછી તે સ્ત્રીને કહે, ‘જો તેં પરપુરુષ સાથે વ્યભિચાર કર્યો ન હોય અને પતિના અધિકાર નીચે હતી ત્યારે વંઠી જઈને તારી જાતને ભ્રષ્ટ કરી ન હોય, તો આ ક્સોટીના શાપકારક પાણીની વિપરીત અસરથી તું મુક્ત રહેશે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 ત્યારબાદ યાજક તે સ્ત્રી પાસે પ્રતિજ્ઞા લેવડાવે અને તે સ્ત્રીને કહે કે, “જો કોઈ પુરુષ સાથે તેં વ્યભિચાર કર્યો હોય નહિ અને જો તું તારું પતિવ્રત ભંગ કરીને અશુદ્ધ થઈ હોય નહિ તો આ શાપના કડવા પાણીની સત્તાથી તું મુક્ત થશે. See the chapter |