ગણના 35:28 - પવિત્ર બાઈબલ28 કારણ કે મુખ્ય યાજકનું મૃત્યુ થાય ત્યાં સુધી મોત નીપજાવનારે આશ્રયનગરમાં જ રહેવું જોઈતું હતું. મુખ્ય યાજકના મૃત્યુ પછી તે વ્યક્તિ પોતાના પ્રદેશમાં અને પોતાને ઘરે પાછો ફરી શકે છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 કેમ કે પ્રમુખયાજકના મરણ સુધી પેલાએ પોતાના આશ્રયનગરમાં રહેવું જોઈતું હતું. પણ પ્રમુખયાજકના મરણ પછી મનુષ્યઘાતક પોતાના વતનની ભૂમિમાં પાછો જાય. See the chapterપવિત્ર બાઇબલ C.L.28 કારણ, ખૂન કરનારે પ્રમુખ યજ્ઞકારના મૃત્યુ સુધી આશ્રયનગરની હદની અંદર જ રહેવું જોઈએ. પ્રમુખ યજ્ઞકારના અવસાન પછી જ તે પોતાના વતનમાં પાછો જઈ શકે છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 કેમ કે મુખ્ય યાજકનું મૃત્યુ થાય ત્યાં સુધી દોષી માણસે આશ્રયનગરમાં જ રહેવું. મુખ્ય યાજકના મૃત્યુ પછી તે વ્યક્તિ પોતાના વતનના દેશમાં પાછો જાય. See the chapter |