૨ શમુએલ 5:8 - પવિત્ર બાઈબલ8 તે દિવસે દાઉદે તેના સૈન્યના માંણસોને કહ્યું, “પાણીના વહેળા વચ્ચે થઈને જાઓ, અને આંધળા તથા લંગડા શત્રુઓ સુધી પહોચો.”આથી લોકો કહે છે કે, “આંધળા અને લંગડા ઘરમાં પ્રવેશી શકશે નહિ.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 તે દિવસે દાઉદે કહ્યું, “જે કોઈ યબૂસીઓને મારવા ચાહે, તે પાણીના નાળા આગળ થઈને ઉપર ચઢી જાય, ને આ જે આંધળા તથા લંગડાનો દ્વેષ દાઉદનું અંત:કરણ કરે છે, તેઓને મારે. તેથી જ કહેવત ચાલી છે, “આંધળા તથા લંગડા ઘરમાં પેસશે નહિ.” See the chapterપવિત્ર બાઇબલ C.L.8 તે દિવસે દાવિદે પોતાના માણસોને કહ્યું, “જેઓ યબૂસીઓ પર હુમલો કરવા તત્પર હોય તેઓ ભૂગર્ભ જળમાર્ગે જઈને એ આંધળા અને અપંગો એટલે દાવિદના શત્રુઓ પર ત્રાટકે. (તેથી જ આવી કહેણી થઈ પડી છે કે, “આંધળા અને અપંગો પ્રભુના ઘરમાં પ્રવેશશે નહિ.” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 યબૂસીઓએ કરેલા અપમાનના જવાબમાં ગુસ્સે થઈને દાઉદે કહ્યું કે, “સૈનિકો તે પાણીના નાળાંમાં થઈને ઉપર ચઢી જાઓ, ‘અંધ તથા અપંગ,’ યબૂસીઓનો સંહાર કરો તેઓ દાઉદના શત્રુઓ છે.” તેઓએ મારી મશ્કરી કરતા કહ્યું હતું કે, “અંધ તથા અપંગ’ તે રાજમહેલમાં આવી શકતા નથી.” See the chapter |