૨ કાળવૃત્તાંત 31:10 - પવિત્ર બાઈબલ10 અને મુખ્ય યાજક સાદોકવંશથી અઝાર્યાએ જણાવ્યું કે, “લોકોએ યહોવાના મંદિરમાં ભેટો લાવવાનું શરૂ કર્યુ, ત્યારથી અમને પૂરતું ખાવાનું મળી રહે છે. અને એ ઉપરાંત પુષ્કળ વધે છે, કારણ યહોવાએ પોતાના લોકોને પુષ્કળ આશીર્વાદ આપ્યો છે, આ મોટો ઢગ તો જે કઇં વધ્યું તેનો છે.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 સાદોકના કુટુંબના મુખ્ય યાજક અઝાર્યાએ તેને ઉત્તર આપ્યો, “યહોવાના મંદિરમાં [લોકો] અર્પણો લાવવા લાગ્યા ત્યારથી અમે ધરાઈને ખાધું છે, અને વળી પુષ્કળ વધીપડ્યું છે; કેમ કે યહોવાએ પોતાના લોકને આશીર્વાદ આપ્યો છે અને જે વધી પડેલું છે તેનો આ મોટો સંગ્રહ છે.” See the chapterપવિત્ર બાઇબલ C.L.10 સાદોકના વંશજ પ્રમુખ યજ્ઞકાર અઝાર્યાએ તેને કહ્યું, “લોકોએ પ્રભુના મંદિરમાં ભેટો લાવવાની શરૂઆત કરી ત્યારથી અમારે ખાવાને માટે અમને પૂરતો ખોરાક મળ્યો છે અને વળી આટલું બધું વયું છે. પ્રભુએ પોતાના લોકોને આશીર્વાદ આપ્યો હોઈ આ બધું એકત્ર થયેલું છે.” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 સાદોકના કુટુંબનાં મુખ્ય યાજક અઝાર્યાએ તેને જવાબ આપ્યો, “લોકોએ ઈશ્વરના ઘરમાં અર્પણો લાવવાનું શરૂ કર્યું, ત્યારથી અમે ધરાઈને જમ્યા છીએ. તેમાંથી ધરાતાં સુધી જમ્યા પછી પણ જે વધ્યું છે, કારણ કે ઈશ્વરે પોતાના લોકોને પુષ્કળ આશીર્વાદ આપ્યો છે. વધારાનું જે બાકી રહેલું છે તેનો આ મોટો સંગ્રહ છે.” See the chapter |