૨ કાળવૃત્તાંત 24:24 - પવિત્ર બાઈબલ24 અરામીઓએ હુમલો કર્યો ત્યારે તેમનું લશ્કર કઇં મોટું નહોતું; તેમ છતાં યહોવાએ યહૂદાની ભારે મોટી સૈના ઉપર તેમને વિજય અપાવ્યો. કારણ, એ યહૂદાના લોકોએ પોતાના પિતૃઓના દેવ યહોવાનો ત્યાગ કર્યો હતો, આમ અરામીઓએ યોઆશને ઘટતી સજા કરી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 અરામીઓનું સૈન્ય બહું નાનું હતું. પણ યહોવાએ તેઓના હાથમાં બહું મોટું સૈન્ય સોંપી દીધું, કેમ કે તેઓએ પોતાના પિતૃઓના ઈશ્વર યહોવાનો ત્યાગ કર્યો હતો. એ પ્રમાણે તેઓએ યોઆશને શિક્ષા કરી. See the chapterપવિત્ર બાઇબલ C.L.24 અરામનું સૈન્ય તો નાનું હતું, પણ લોકોએ તેમના પૂર્વજોના ઈશ્વર પ્રભુનો ત્યાગ કર્યો હોઈ તેમણે યહૂદિયાના મોટા સૈન્યને હારવા દીધું. એ રીતે રાજા યોઆશને શિક્ષા થઈ. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 અરામીઓનું સૈન્ય ઘણું નાનું હતું, પણ ઈશ્વરે તેઓને ઘણાં મોટા સૈન્ય પર વિજય આપ્યો, કેમ કે યહૂદિયાએ પોતાના પિતૃઓના પ્રભુ ઈશ્વરનો ત્યાગ કર્યો હતો. આ રીતે અરામીઓએ યોઆશને શિક્ષા કરી. See the chapter |