૧ શમુએલ 2:13 - પવિત્ર બાઈબલ13 યાજકોએ લોકો સાથે કેવી રીતે વર્તવું તેની તેઓને ચિંતા ન હતી. યાજકોએ લોકો માંટે આ કરવું જોઇએ કે જ્યારે કોઇ વ્યકિત યજ્ઞાર્પણ લાવે, યાજકોએ માંસને ઉકળતા પાણીના વાસણમાં નાખવું. પછી યાજકનાં સેવકે ત્રણ અણીવાળો ખાસ કાંટો લાવવો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 લોકો સાથે યાજકોનો રિવાજ એવો હતો કે જ્યારે કોઈ માણસ યજ્ઞાર્પણ કરતો, ત્યારે માંસ બફાતી વેળાએ યાજકનો ચાકર હાથમાં ત્રિશૂળ લઈને આવતો; See the chapterપવિત્ર બાઇબલ C.L.13 તેઓ પ્રભુને ગણકારતા નહિ. વળી, લોકો પાસેથી યજ્ઞકારો શું લઈ શકે તે અંગેના નિયમો પ્રત્યે બેદરકાર હતા. જ્યારે કોઈ માણસ બલિ ચઢાવે ત્યારે યજ્ઞકારનો નોકર ત્રિશૂળ લઈને આવતો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 લોકો સાથે યાજકોનો રિવાજ એવો હતો કે જયારે કોઈ માણસ યજ્ઞાર્પણ કરતો અને જયારે માંસ બફાતું હોય ત્યારે યાજકનો ચાકર પોતાના હાથમાં ત્રણ અણીવાળું સાધન લઈને આવતો. See the chapter |