૨ કાળવૃત્તાંત 12:7 - પવિત્ર બાઈબલ7 યહોવાએ જ્યારે જોયું કે એ લોકો શરણે થઇ ગયા છે, ત્યારે તેણે ફરી શમાયાને પોતાની વાણી સંભળાવી કે, “એ લોકો શરણે થઇ ગયા છે એટલે હું એમનો નાશ નહિ કરું; હું એમને થોડીવારમાં રાહત આપીશ, હું મારો રોષ શીશાક મારફતે યરૂશાલેમ પર નહિ ઉતારું. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 યહોવાએ જોયું કે તેઓ દીન બની ગયા છે, ત્યારે યહોવાની વાણી શમાયાની પાસે એવી આવી, “તેઓ દીન બની ગયા છે. માટે હું તેઓનો નાશ કરીશ નહિ; પણ હું તેઓનો થોડી મુદતમાં બચાવ કરીશ, ને શિશાકની હસ્તક યરુશાલેમ પર મારો કોપ થશે નહિ. Se kapitletપવિત્ર બાઇબલ C.L.7 તેઓ દીન બની ગયા છે એ જોઈને પ્રભુએ ફરીથી શમાયાને સંદેશો આપ્યો, “તેમણે દીનભાવે પોતાના પાપનો એકરાર કર્યો હોઈ હું તેમનો વિનાશ નહિ કરું પણ શીશાક હુમલો કરશે ત્યારે તેઓ માંડમાંડ બચી જશે અને હું યરુશાલેમ પર મારો પૂરો કોપ નહિ ઉતારું, Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 ઈશ્વરે જયારે જોયું કે તેઓએ પોતાને નમ્ર બનાવ્યા છે, ત્યારે ઈશ્વરની વાણી શમાયાની પાસે આવી, “તેઓએ પોતાને નમ્ર બનાવ્યા છે. માટે હું તેમનો નાશ નહિ કરું; હું તેમને થોડીવારમાં છોડાવીશ અને હું મારો ક્રોધ શિશાકની મારફતે યરુશાલેમ પર નહિ ઉતારું. Se kapitlet |