૨ કાળવૃત્તાંત 7:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 તે લોકો જવાબ આપશે, ‘કેમ કે તેઓએ પોતાને મિસરમાંથી બહાર લાવનાર તેમના પિતૃઓના ઈશ્વર પ્રભુનો ત્યાગ કર્યો અને બીજા દેવોનો સ્વીકાર કર્યો. તેઓને દંડવત કરીને તેઓની પૂજા કરી. તેથી આ બધી આફતો ઈશ્વર તેઓના પર લાવ્યા છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 ત્યારે તેઓ ઉત્તર આપશે, ‘તેઓના પિતૃઓના ઈશ્વર યહોવા જે તેઓને મિસર દેશમાંથી કાઢી લાવ્યા, તેમનો તેઓએ ત્યાગ કરીને અન્ય દેવોને સ્વીકાર્યા ને તેઓનું ભજન કર્યું; તેઓની ઉપાસના કરી, તે માટે; તે જ માટે યહોવા એ બધી આફત તેઓના ઉપર લાવ્યા છે.’” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 ત્યારે લોકો કહેશે, ‘આવું એટલા માટે બન્યું કે લોકોએ તેમના પૂર્વજોને ઇજિપ્તમાંથી મુક્ત કરનાર પ્રભુનો ત્યાગ કર્યો છે. અન્ય દેવોનો અંગીકાર કરીને તેમની સેવા ભક્તિ કરી છે, તેથી પ્રભુ તેમના પર આ બધી આફત લાવ્યા છે.” Viz kapitolaપવિત્ર બાઈબલ22 અને જવાબ મળશે, ‘કારણકે એ લોકોએ પોતાને મિસરમાંથી બહાર લાવનાર પોતાના પિતૃઓના દેવ યહોવાનો ત્યાગ કર્યો અને બીજા દેવોનો અંગીકાર કરીને તેમની સેવાપૂજા કરવા માંડી, એ કારણથી યહોવાએ આ બધી આફતો તેમના પર ઉતારી છે.’” Viz kapitola |