૨ કાળવૃત્તાંત 23:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 યાજકો તથા લેવીઓ જે સેવા કરતા હોય તેઓના સિવાય કોઈને પણ ઘરમાં પ્રવેશ કરવા દેવો નહિ; માત્ર તેઓએ જ અંદર જવું, કેમ કે તેઓ પવિત્ર હોઈને આજના દિવસના કામ માટે તેઓને નિયત કરાયા છે. સર્વ લોકોએ ઈશ્વરની આજ્ઞા પાળવી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 પણ યાજકો તથા જે લેવીઓ સેવા કરતા હોય તેઓ સિવાય કોઈએ યહોવાના મંદિરમાં પેસવું નહિ. ફક્ત તેમણે જ અંદર જવું; કેમ કે તેઓ પવિત્ર છે. પણ સર્વ લોકોએ યહોવાના નિયમનો અમલ કરવો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 ફરજ પરના લેવીઓ અને યજ્ઞકારો વિધિગત રીતે પવિત્ર થયેલા છે; તેથી તેમના સિવાય બીજા કોઈને મંદિરમાં પ્રવેશ કરવા દેવાનો નથી. બાકીના લોકો તો પ્રભુની સૂચના પ્રમાણે બહાર રહે. Viz kapitolaપવિત્ર બાઈબલ6 પરંતુ યાજકો તથા જે લેવીઓ સેવા કરતા હોય તેઓના સિવાયના કોઇએ યહોવાના મંદિરમાં પ્રવેશ કરવો નહિ; ફકત તેમણે જ અંદર જવું, કારણકે તેઓ પવિત્ર છે; પરંતુ સર્વ લોકોએ યહોવાના નિયમોનો અમલ કરવો. Viz kapitola |