૨ કાળવૃત્તાંત 11:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 ‘ઈશ્વર આમ કહે છે: તમારે તમારા ભાઈઓ તથા સંબંધીઓની વિરુદ્ધ હુમલો કે લડાઈ કરવી નહિ. દરેક માણસ પોતપોતાના ઘરે પાછા જાઓ, કેમ કે આ કામ મારાથી થયું છે.’” તેથી તેઓએ ઈશ્વરનું કહ્યું માન્યું અને યરોબામની વિરુદ્ધ ન જતા તેઓ પોતપોતાને ઘરે પાછા ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 યહોવા કહે છે કે, તમારે ચઢાઈ કરવી નહી, ને તમારા ભાઈઓની સામે યુદ્ધ કરવું નહિ. તમે સર્વ માણસો પોતપોતાને ઘેર પાછા જાઓ, કેમ કે એ કામ મારા તરફથી થયું છે.’” આથી તેઓ યહોવાનું વચન માનીને યરોબામની સામે ન જતાં પાછા ફર્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 “તમારા ઇઝરાયલી ભાઈઓ પર આક્રમણ કરશો નહિ. તમે સૌ ઘેર જાઓ. એ બધું મારી ઇચ્છા પ્રમાણે થયું છે.” તેઓ પ્રભુની આજ્ઞા માનીને યરોબામ સામે લડવા ગયા નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ4 ‘આ યહોવાના વચન છે: તમારા ભાઇઓ સામે લડવા જશો નહિ, ભલે સૌ કોઇ પોતપોતાને ઘેર પાછા જાય, જે કાઇં બન્યું છે તે ફકત મારી ઇચ્છાથી જ બન્યું છે.’” તેમણે યહોવાનું કહ્યુ માન્યું અને યરોબઆમની સાથે લડવાનું માંડી વાળ્યું. Viz kapitola |