ગણના 30:14 - પવિત્ર બાઇબલ C.L.14 જો તેની માનતાની જાણ પતિને થાય તે જ સમયે તે વિષે તે તેને કશું ન કહે તો પત્નીએ તેની માનતા અથવા બાધાને પૂર્ણ કરવી. કારણ, પતિએ તે મંજૂર રાખી છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 પણ જો તેનો પતિ તે વિષે દિનપ્રતિદિન તેને કંઈ જ ન કહે, તો તેની સર્વ માનતાઓ, અથવા તેનાં સર્વ બંધનો જે તેને શિર છે તેઓને તે કાયમ કરે છે [એમ સમજવું]. તેણે તે કાયમ કર્યાં છે, કેમ કે તેણે સાંભળ્યું તે દિવસે તેણે તે વિષે તેને કંઈ કહ્યું નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 પરંતુ જો તે તેને દિનપ્રતિદિન કંઈ જ ન કહે, તો જે સંકલ્પો તથા વચનો જે વડે તેણે પોતાને આધીન કરી હોય તે કાયમ રહે. તેણે તે કાયમ રાખ્યા છે કેમ કે તેણે તે સમયે તેને કંઈ જ કહ્યું નહિ કે તેણે તે વિષે સાંભળ્યું છે. Viz kapitolaપવિત્ર બાઈબલ14 પરંતુ જો જાણ થયા પછી બીજા દિવસ સુધીમાં પતિએ તેને કંઈજ કહ્યું ના હોય તો એનો અર્થ એ કે તે એના વચન સાથે સંમત છે, અને પતિએ જાણ થઈ તે જ દિવસે તેણે કશું જ કહ્યું નહિ, એટલે એ મંજૂર રાખ્યું ગણાય. Viz kapitola |